ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીની આદતો લાંબા સમયે એવી બીમારીઓનું કારણ બની જાય છે, કે જેના ઈલાજ માટે ડોક્ટરો અને દવાઓ પાછળ ઘણા પૈસા ખર્ચવા પડે છે. ઘણા બધા રોગો એવા હોય છે કે જે પૈસા ખર્ચ્યા પછી પણ સંપૂર્ણ રીતે મટી શકતા નથી, અને તેમને ફક્ત નિયંત્રણમાં રાખી શકાય છે, જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા અને બીપી.

તો જો તમે ડોક્ટરની મોંઘી ફી અને દવાઓ પાછળ વધુ પૈસા ખર્ચવા નથી માંગતા અને હેલ્ધી રહેવા માંગતા હોય તો આજથી તમારે અહીંયા જણાવેલી હેલ્થ ટિપ્સને ફોલો કરવાનું શરૂ કરો.

1. સવારે થોડો સમય સૂર્યપ્રકાશમાં જાઓ: તમને જણાવીએ કે સવારનો સૂર્યપ્રકાશ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂર્યપ્રકાશના કારણે શરીરને ભરપૂર માત્રામાં વિટામિન ડી મળે છે જે હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય થોડો સમય સૂર્યપ્રકાશમાં રહેવાથી ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર રહે છે.

આ સાથે સાથે આરામદાયક ઊંઘ માટે સૂર્યપ્રકાશ લેવો પણ ખુબજ જરૂરી માનવામાં આવે છે કારણ કે તે શરીરમાં મેલાટોનિન હોર્મોન ઉત્પન્ન કરે છે જે સારી ઊંઘ માટે જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત થોડીવાર તડકામાં બેસવાથી તણાવ પણ દૂર થાય છે.

2. દરરોજ વર્કઆઉટ: દરરોજ 20-30 મિનિટનો સમય વર્કઆઉટ કરવા માટે જરીર ફાળવવો જોઈએ. વર્કઆઉટ ન માત્ર તમારા શરીરને ફિટ રાખી શકો છો, પરંતુ તમે તમારી ઉંમર પણ ઘણા વર્ષો સુધી વધારી શકો છો અને મોટી ઉંમરે પણ યુવાન દેખાઈ શકો છો.

વર્કઆઉટનો અર્થ એ નથી કે જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડવો, પરંતુ તમે ઘરના સામાન્ય કામો કરીને પણ સરળતાથી ફિટ રહી શકો છો. વર્કઆઉટ કરવા માટે તમે યોગ, દોરડા કૂદવા, ચાલવા જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકો છો, જેમાં કોઈ પણ પ્રકારના રોકાણની જરૂર નથી અને માત્ર લાભો જ છે.

3. સ્વસ્થ આહાર લો: જો તમે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ જેવી ખતરનાક બીમારીઓથી દૂર રહેવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારા આહારમાંથી તૈલી, મસાલેદાર અને જંક ફૂડ જેવા ખોરાક ખાવાથી દૂર રહો. આ ઉપરાંત ખાંડ અને મીઠાની માત્રા પણ ઓછી કરો.

સાદો ખોરાક લો જેથી માત્ર શરીર જ નહીં પણ મન પણ સ્વસ્થ રહે અને સૌથી મહત્વની બાબતોમાંની એક એ છે કે ખાવાનો સમય નક્કી કરો. ખાવાનો ચોક્કસ સમય પણ તમને ફાયદાકારક સાબિત થાય છે.

4. વધુ પાણી પીવો: શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત, શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખા દિવસમાં ઓછામાં ઓછું 8 થી 9 ગ્લાસ પાણી પીવો. જો તમે દિવસમાં એક ગ્લાસ હૂંફાળું પાણી સવારે પીવો છો તો તેનાથી તેનાથી પણ વધુ ફાયદાકારક છે. આના કારણે પાચનક્રિયા બરાબર રહે છે સાથે જ મેદસ્વીપણાને પણ કંટ્રોલ કરી શકાય છે.

5. 7-8 કલાકની ઊંઘ લો: શરીર અને મનને સ્વસ્થ રાખવામાં ઊંઘની બહુ મોટી ભૂમિકા હોય છે. આરામની ઊંઘ તમને દિવસભર તાજગી અને ઊર્જાવાન અનુભવ કરાવે છે. તમે કોઈ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

પૂરતી ઊંઘ લેવાથી યાદશક્તિ સ્વસ્થ રહે છે અને પાચનક્રિયા પણ યોગ્ય રહે છે. તેથી સારી ઊંઘ માટે સુવાની 30 મિનિટ પહેલા મોબાઈલ, ટીવી વગેરેનો ઉપયોગ ન કરવો.

જો તમે તમારા જીવનમાં આ 5 નિયમોનું પાલન કરો છો તો તમે પણ ઘડપણમાં એકદમ સ્વસ્થ્ય, ફિટ અને ફાઈન રહી શકો છો આ સાથે સાથે તમારે બીમારીઓથી પણ દૂર રહી શકો છો.

જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો અને આવી જ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *