શિયાળાની ઋતુ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં આપણે આપણા ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સિઝનમાં આપણે એવા શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ, જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. શિયાળામાં શું ન ખાવું જોઈએ તે વિશે આપણામાંથી મોટાભાગના લોકો વાકેફ છે.

પરંતુ કદાચ ઘણા લોકો શિયાળામાં શું ન ખાવું જોઈએ તેનાથી અજાણ હોય છે. જો તમે આ વિશે અજાણ હોવ તો ચિંતા કરશો નહીં. આજે અમે તમને આ લેખમાં શિયાળામાં શું ન ખાવું જોઈએ તેના વિશે વિગતવાર જણાવીશું. તો આવો જાણીએ આ વિશે.

1. ડેરી પ્રોડક્ટસ : શિયાળામાં ડેરી પ્રોડક્ટસનું સેવન ટાળો. વાસ્તવમાં, ડેરી પ્રોડક્ટસનું વધુ પડતું સેવન કરવાથી લાળ બનવાની શક્યતા વધી જાય છે, જેના કારણે છાતીમાં ઘરઘર, દુખાવો અને ચેપનું જોખમ વધી જાય છે. ખાસ કરીને આ સિઝનમાં રાત્રે દહીં ખાવાનું ટાળો. દહીંનું વધુ સેવન કરવાથી કફ અને શરદી જેવી સમસ્યાઓ વધી શકે છે.

2. પ્રોસેસ્ડ ફૂડ્સ અને મીટ : શિયાળામાં પ્રોસેસ્ડ ફૂડ અને માંસનું સેવન ટાળો. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે શિયાળામાં આ પ્રકારનો ખોરાક વધુ પ્રમાણમાં લેવાથી ખોરાક પચવામાં તકલીફ પડે છે. આ સાથે, આ પ્રકારનો આહાર લેવાથી, તમારું શરીર ખૂબ સુસ્તી અનુભવે છે, જેના કારણે સ્થૂળતા વધવાની સંભાવના છે.

3. કાચી વસ્તુઓ ખાવાનું ટાળો : શિયાળામાં સાંજે સલાડ ન ખાવું. આ ઋતુમાં કાચા ખાદ્ય પદાર્થોથી બચવું જોઈએ. કાચી વસ્તુઓનું સેવન કરવાથી એસિડિટી અને પેટમાં સોજાની સમસ્યા વધી શકે છે. જો કે, જો તમે કાચા શાકભાજી અથવા સલાડ ખાવા માંગતા હો, તો તમે તેને બપોરે ખાઈ શકો છો.

4. કેલરી ખોરાક: શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ઘણા લોકો વધારે કેલરીવાળા ખોરાક લે છે. પરંતુ આવી વસ્તુઓનું સેવન કરવાથી તમને ગેસ, એસિડિટી, સ્થૂળતા અને બ્લડ પ્રેશર વધવાની શક્યતા રહે છે.

5. લાલ મરચું : શિયાળામાં શરદી, કફ થાય ત્યારે લાલ મરચું ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ સિઝનમાં લાલને બદલે કાળા મરીનો પાવડર વાપરવો જોઈએ.

6. સ્ટ્રોબેરી: શિયાળો આવતી સ્ટ્રોબેરીનો રંગ પણ ઝાંખો થવા લાગે છે. સ્ટ્રોબેરીના રંગનો સીધો સંબંધ ફાઇટોન્યુટ્રીશન સાથે છે. ડોક્ટર્સનું માનીએ તો હાઇન્યુટ્રીશન ફૂડ ઉનાળામાં જ ખાવા હિતાવહ છે.

જો તમે પણ અહીંયા જણાવેલી વસ્તુઓનું સેવન શિયાળામાં ટાળો છે અથવા ઓછું કરો છો તો તમે શિયાળામાં એકદમ સ્વસ્થ્ય રહી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *