મિત્રો કેળા એક એવું ફળ છે જેને ઘણા લોકો ખાવાનું પસંદ કરે છે. તેને ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આ એક એવું ફળ છે, જે દરેક જગ્યાએ 365 દિવસ સરળતાથી મળી જાય છે. તેમાં રહેલા પોષક તત્વો આપણને ઘણી સમસ્યાઓથી બચાવે છે, પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કેળું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
વાસ્તવમાં કેળાના સેવનથી શરીરને જેટલા ફાયદા થાય છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે. જો તમે પણ આ ગેરફાયદાઓને જાણ્યા વિના સતત કેળા ખાતા હોવ તો અમે તમને તેના કારણે થતા કેટલાક નુકસાન વિશે જણાવીશું. તો આવો જાણીએ.
કબજિયાત : સામાન્ય રીતે કેળા ખાવાથી પેટની સમસ્યા જેવી કે કબજિયાતમાં રાહત મળે છે. પરંતુ જો તમે તેનું વધારે માત્રામાં સેવન કરો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને એવા લોકો માટે કે જેમને પેટ ફૂલવાની અને કબજિયાતની ફરિયાદ હોય છે. આવા લોકોને જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે કેળા ખાવાનું ટાળવું જોઈએ.
વજન : કેળાની ભલામણ સામાન્ય રીતે એવા લોકો માટે કરવામાં આવે છે જેનું વજન ઓછું હોય છે. વાસ્તવમાં, કેળામાં હાજર ફાઈબર, નેચરલ સુગર અને કેલરીની માત્રા ખૂબ જ વધારે જોવા મળે છે. આવી સ્થિતિમાં તેનું વધુ પડતું સેવન કરવાથી સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો કેળાથી દૂર રહેવું વધુ સારું રહેશે.
ડાયાબિટીસ : જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો કેળાનું સેવન તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, કેળામાં રહેલી નેચરલ સુગર ખાંડ શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો વધુ સારું છે કે તમે કેળાનું સેવન ન કરો.
અસ્થમા :અસ્થમાના દર્દીઓ માટે પણ કેળું ઘણું નુકસાનકારક છે. ખરેખર, કેળા ખાવાથી અસ્થમાના દર્દીઓમાં તેની સમસ્યા વધુ વધી શકે છે. તેથી જો તમે અસ્થમાના દર્દી છો, તો તેનું સેવન ન કરવાનો પ્રયાસ કરો.
માઈગ્રેન: જો તમને માઈગ્રેનની સમસ્યા હોય તો પણ કેળા ન ખાઓ. વાસ્તવમાં, તેમાં હાજર એમિનો એસિડ ટાયરોસિન છે, જે શરીરમાં ટાયરામાઇનમાં પરિવર્તિત થાય છે. જેના કારણે તમારું માઈગ્રેન થઈ શકે છે.
એલર્જી: ઘણા લોકોને કેળા ખાવાથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને કેળા ખાવાથી સોજા અને એલર્જીની સમસ્યા થઈ રહી છે, તો તેનું સેવન ન કરવું વધુ સારું છે, કારણ કે તમને એલર્જીના કારણે આ સમસ્યા થઈ શકે છે.
ખરખર કેળા ખાવા ખુબજ ફાયદાકારક છે પરંતુ જો તમે અહીંયા જણાવેલી કોઈ બીમારીથી પીડિત છો તો કેળાં ખાવાના ટાળો.