મિત્રો શરીરમાં યુરિક એસિડનું હાઈ હોવું એક ખતરનાક સ્થિતિ છે. યુરિક એસિડ વધુ હોવાને કારણે, ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી વધવા લાગે છે, તેથી શરીરમાં યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવું જરૂરી છે. યુરિક એસિડ વધુ હોય ત્યારે સૌથી સામાન્ય સમસ્યા સાંધાનો દુખાવો છે. જો શરૂઆતના તબક્કામાં આ સમસ્યાને કાબૂમાં ન લેવામાં આવે તો સમયની સાથે સમસ્યા વધતી જાય છે.

યુરિક એસિડ વધવાને કારણે સાંધાના દુખાવા, હાડકાના દુખાવાની સમસ્યા વધુ રહે છે, જેના કારણે આર્થરાઈટિસ થાય છે. યુરિક એસિડ વધુ હોવાને કારણે ઓસ્ટિયોપોરોસિસ, કિડની અને મેદસ્વીતા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. યુરિક એસિડના કારણે બેસવામાં તકલીફ થઇ શકે છે.

વધારે વજન, ડાયાબિટીસ, વધુ દવાઓ લેવી અને વધુ દારૂ પીવાને કારણે કિડની શરીરમાંથી યુરિક એસિડ દૂર કરી શકતી નથી. જે લોકોના યુરિક એસિડનું પ્રમાણ વધુ રહે છે તેઓએ તેમના આહારનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટમાં અમુક ખોરાક લેવાથી યુરિક એસિડને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. જો તમે યુરિક એસિડની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો તમારા આહારમાં ખાસ અનાજ લો.

આયુર્વેદિક નિષ્ણાત ડૉ. ઝૈદી સલીમએ એક વિડિયોમાં જણાવ્યું છે કે જો યુરિક એસિડના દર્દીઓ સાંધાના દુખાવા, સોજો અને સંધિવાથી પરેશાન હોય તો તેમણે બે ખાસ પ્રકારના અનાજનો સમાવેશ કરવો જોઈએ. આ અનાજ યુરિક એસિડને કંટ્રોલ કરવાની સાથે સાંધાના દુખાવામાં પણ રાહત આપી શકે છે. તો આવો જાણીએ કે કયા બે ખાસ અનાજ છે જે યુરિક એસિડને નિયંત્રિત કરે છે.

જુવારના લોટની રોટલીનું સેવન કરો : હેલ્થલાઈનના સમાચાર મુજબ જે લોકોનું યુરિક એસિડ વધારે રહે છે તેઓ ઘઉંના લોટની રોટલી ખાવાને બદલે જુવારના લોટની રોટલી ખાઓ. જુવાર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે એક મહિના સુધી તમારા આહારમાં ઘઉંની જગ્યાએ જુવારની રોટલીનું સેવન કરશો તો તમારા શરીરને ઘણો ફાયદો થશે.

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમારે દિવસમાં એકવાર જુવારની રોટલી ખાવી જોઈએ. જુવારમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સુધારે છે. આનું સેવન કરવાથી આખા દિવસ માટે લગભગ 48% ફાઈબર મળે છે, જે 12 ગ્રામથી વધુ છે. જુવારની રોટલી યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે જાદુઈ અસર ધરાવે છે.

બાજરીના રોટલા સાથે હાઈ યુરિક એસિડને નિયંત્રિત કરો : બાજરી એક બરછટ ધાન્ય પણ છે જે સ્વાસ્થ્ય માટે અપાર ફાયદા ધરાવે છે. બાજરીની તાસીર ગરમ હોય છે તેથી શિયાળામાં આ લોટમાંથી બનેલી રોટલીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. બાજરીનો રોટલો ખાવાથી પાચનક્રિયા સારી રહે છે અને યુરિક એસિડ કંટ્રોલ થાય છે. બાજરી ગ્લુટેન ફ્રી છે.

ફાઈબરથી ભરપૂર બાજરી પાચનને ઠીક રાખે છે અને કબજિયાતમાં રાહત આપે છે. ફાઈબરથી ભરપૂર ખોરાક લોહીમાંથી યુરિક એસિડને શોષી લે છે, જે શરીરમાંથી આ ઝેરને દૂર કરે છે. યુરિક એસિડના દર્દીઓના આહારમાં બાજરીનો રોટલો અવશ્ય સામેલ કરવો જોઈએ.

જો તમે પણ હાઈ યુરિક એસિડથી પરેશાન છો તો તમે ઘઉંની જગ્યાએ જુવાર અને બાજરીના લોટની રોટલી ખાઈ શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *