ઘૂંટણની કાળાશ એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી દરેક વ્યક્તિ પરેશાન છે. ખાસ કરીને સ્ત્રીઓ ઘૂંટણની કળાને કારણે ટૂંકા વસ્ત્રો પહેરવાનું ટાળે છે. ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે અલગ-અલગ પ્રકારની ક્રીમ, જેલ વગેરેનો ઉપયોગ કર્યો હશે પરંતુ તેમાં તમને કોઈ ખાસ ફરક પડ્યો નહીં હોય.

આજે અમે તમને અસરકારક ઘરેલું નુસખા જણાવવા જઈ રહ્યા છીએ. આ ઘરેલું નુસખા અપનાવીને તમે આસાનીથી ઘૂંટણની કાળાશ દૂર કરી શકો છો. તો આવો જાણીએ આ ઘરેલું નુસખા.

કાકડી : કાકડી ત્વચાને નિખારવામાં ઘણી મદદ કરે છે. કાકડીનો ઉપાય કરવા માટે સૌથી પહેલા તાજી કાકડીને છીણી લો. ત્યારબાદ આ પેસ્ટમાં હળદર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને ઘૂંટણ પર લગાવો. લગભગ અડધા કલાક પછી પાણીથી ધોઈ લો.

નારંગીની છાલ : ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે નારંગીની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે નારંગીની છાલને સૂકવીને પેસ્ટ બનાવો. હવે તેનો પાવડર તૈયાર કરો, તેમાં દૂધ અથવા ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટથી ઘૂંટણની મસાજ કરો. આ ઉપાયથી ઘૂંટણની કાળાશ દૂર થઇ જશે.

લીંબુ : લીંબુ કુદરતી બ્લીચ તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ તમે ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે કરી શકો છો. આ માટે સૌથી પહેલા લીંબુને કાપી લો. ત્યારબાદ તેનાથી ઘૂંટણ પર 10 મિનિટ સુધી મસાજ કરો, પછી પાણીથી ધોઈ લો.

ઓલિવ તેલ : ઓલિવ ઓઈલના ઉપયોગથી ઘૂંટણની કાળાશ દૂર કરી શકાય છે. સૌથી પહેલા બે ચમચી ઓલિવ ઓઈલમાં એક ચમચી ખાંડ મિક્સ કરો. હવે આ મિશ્રણથી ઘૂંટણની મસાજ કરો. 5-10 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા નિયમિત રીતે કરી શકાય છે. તમે આના દ્વારા તફાવત જોશો.

નાળિયેર તેલ : નાળિયેર તેલ ઘૂંટણની કાળાશ દૂર કરવામાં મદદરૂપ છે. તેનો ઉપયોગ કરવા માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણથી ઘૂંટણની મસાજ કરો. દરરોજ આ તેલનો ઉપયોગ કરવાથી તમને વધુ સારા પરિણામો મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *