આજે અમે તમને શરીરની બ્લોક નસોને ખોલવા માટેના ઉપાય જણાવીશું.માનવ શરીરમાં હાથ-પગ, હૃદયની બ્લોક નસોને ખોવામાં માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થઈ શકશે. આજે વ્યક્તિની બદલાયેલ લાઈફસ્ટાઈલ હોવાના કારણે ઘણી બીમારીના શિકાર બનતા હોય છે.

જયારે હાઈ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધુ હોય છે તેવા સમયમાં હાર્ટ અટેક આવવાનું જોખમ ખુબ વધુ રહેતું હોય છે. લોહી જાડું રહેવું લોહી ગંઠાઈ જવું જેવી સમસ્યા થવાના કારણે નસો માં બ્લોક ની સમસ્યા આવતી હોય છે.

માનવ શરીરમાં 72 હાજર નસો આવેલ હોય છે. માનવ શરીરની હૃદયની નસ બંધ થવાના કારણે વ્યક્તિનું મુત્યુ થતું હોય છે. તેવા ઘણા કિસ્સો પણ જોવા મળતા હોય છે. વ્યક્તિની જીવન બેઠાળુ અને પરિશ્રમ વગર નું હોય છે તેવા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળતી હોય છે.

જયારે હૃદયની નસો ખુબ જ નબળી અને કમજોર પડવા લાગે છે ત્યારે હૃદયને લગતી બીમારીઓ થવાનું જોખમ ખુબ જ વધુ રહેતું હોય છે, શરીરના ઘણા બધા અંગોમાં નસોનું બ્લોકેજ થતું હોય છે. જેના કારણે તે અંગને જરૂરી લોહી મળતું નથી જેના પરિણામે લાખો રૂપિયાનું ઓપરેશન પણ કરાવવું પડતું હોય છે. આ માટે આજે અમે તમને બ્લોક નસોને ખોવા માટેના ઘરેલુ ઉપાય વિષે જણાવીશું.

તજ અને મેથીદાણા: તજ અને મેથીદાણા દરેક રસોઈ ઘરમાં ખુબ જ આસાનીથી મળી આવે છે જે શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, જે બ્લોક નસોને ખોલવામાં મદદ કરે છે. આ માટે સૌથી પહેલા એક તજનો ટુકડો અને એક ચમચી મેથીદાણા બંને લઈને એક વાટકીમાં પાણી લઈ આખી રાત માટે પલાળીને રાખી મુકવાના છે.

ત્યારબાદ સવારે તે પાણીને ગાળી લેવાનું છે. પછી તે પાણીને એક પેનમાં નાખી ઘીમાં ગેસ પર ગરમ કરવાનું છે, અને પીવા જેટલું ઠંડુ થઈ જાય ત્યારે પી જવાનું છે. આ પાણી પીવાથી શરીરમાં જાડું થઈ ગયેલ લોહીને પાતળું બનાવે છે આ સાથે ગંઠાઈ ગયેલ લોહીને પણ છૂટું પાડે છે.

તે લોહીના પ્રવાહને સુધારે છે અને લોહીને શુદ્ધ પણ કરે છે, જેથી શરીરની બધી નસો માં આસાનીથી લોહીને પહોંચાડે છે. જો તમે હૃદય, કે હાથ પગ ની બ્લોક નસોથી પરેશાન છો હોય તો આ પીણું પીવાથી ખુબ જ સારું પરિણામ જોવા મળી શકે છે.

વઘેલ મેથીદાણા ને ચાવીને ખાઈ જવાના છે જે હૃદય, વાળ, ત્વચા અને હાડકાને મજબૂત અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. આ સિવાય વજન ઘટાડવાં માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

શેકેલું લસણ : લસણ આરોગ્યનો ખજાનો માનવામાં આવે છે, તે રસોઈનો સ્વાદ વધારવાની સાથે ગંભીર બીમારીઓ ને મટાડવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. તેનો ઉપયોગ બ્લોક નસોને ખોવા માટે કરી શકાય છે. આ માટે સૌથી પહેલા એક લસણ ને શેકી લો અને ત્યાર પછી તે લસણ ને ખાલી પેટ સવારે ખાઈ લેવાનું છે.

ખાલી પેટ લસણ ખાવાથી શરીરમાં બ્લોક થયેલ નસોને ખોવાનું કામ કરે છે. તેની તાસીર ગરમ હોવાના કારણે તે લોહીને પાતળું બનાવે છે જેથી નસો માં આસાનીથી લોહી પહોંચે છે. આ માટે શરીરની કોઈ પણ નસોને ખોવા માટે શેકેલા લસણ ને ખાઈ શકાય છે. જે ઓપરેશન ના વધુ ખર્ચથી બચાવામાં મદદ કરશે.

આ ઉપરાંત જો તમને લોહી જાડું રહેતું હોય, હાઈ કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય તો ભોજન માં લસણ નો સમાવેશ કરવો જોઈએ. જે હૃદયને લગતી અને શરીરની ઘણી બીમારીઓ ને દૂર કરવામાં મદદ કરી શકે છે.

અહીંયા જણાવેલ માહિતી એક સામાન્ય માહિતી પર આધારિત છે, આ માટે કોઈ પણ બીમારીમાં કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા નજીકના ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ લઈ શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *