આપણું શરીર ઘણા બધા અમૂલ્ય અંગોથી બનેલુ છે આ માટે આપણા શરીરના દરેક અંગોને પૂરતું પોષણ મળી રહે તે પણ ખુબ જ જરૂરી છે. આપણા શરીરના અંગોને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આપણે અનેક પ્રકારના પૌષ્ટિક ખોરાક પણ ખાતા હોઈએ છીએ.

આપણું શરીરને પૂરતા પોષક તત્વો મળી રહેતા હોય તો શરીર સ્વસ્થ અને મજબૂત બની રહેશે. જેથી આપણે કોઈ પણ કામ કરતા હશું તો વારે વારે થાક લાગશે નહીં. આપણા રસોઈ ઘરમાં અનેક પ્રકારના મરી મસાલા મળી આવે છે. જેને આપણે રોજિંદા રસોઈ બનાવવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ.

આજે અમે તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું જેના અદભુત ફાયદા છે. તે વસ્તુનું નામ ગોળ છે, જનો ઉપયોગ આપણે દરેક શાક, દાળ બનાવતી વખતે ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ ગોળને ભોજન પછી ખવાથી તેના અદભુત લાભ પણ જોવા મળે છે.

ભોજન પછી ગોળ ખાવાથી શરીરમાં ભરપૂર એનર્જી અને તાકાત મળી રહે છે. ગોળ બે પ્રકારના આવે છે એક સફેદ ગોળ અને બીજો ડાર્ક બ્રાઉન કલરમાં મળી આવે છે. એમાંથી આપણે કયો ગોળ આપણા શરીર માટે ફાયદાકારક છે તે ગોળ આપણે ખાવો જોઈએ.

બંને ગોળ માંથી સૌથી વધુ શરીરને ફાયદો આપો ગોળ ડાર્ક બ્રાઉન કલર માં મળી આવે છે તે છે જેને આપણે દેશી ગોળ થી ઓળખતા હોઈએ છીએ. જેમાં ચાર મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે. ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ અને ઝીંક આ ચાર તત્વો માત્ર દેશી બ્રાઉન કલરના ગોળમાં જ મળી આવે છે. જે સફેદ ગોળમાં આ ચાર તત્વો હોતા જ નથી.

માટે સફેદ ગોળ ખાવો તેના કરતા દેશી ગોળ ખાવો આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયકારક છે. આ માટે આજે અમે તમને દેશી ગોળ ખાવાં ફાયદા વિષે જણાવીશું. આ ફાયદા જાણીને તમારે પણ દેશી ગોળ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ.

ભોજન કરતી વખતે પણ ઘણા લોકો ગોળનો ખાતા હોય છે જે ખાવો જોઈએ પરંતુ ભોજન પછી પણ એક ટુકડો દેશી ગોળ નો ખાવામાં આવે તો આપણે તેનો રસ આપણા બનવાથી આપણે જે કઈ ખોરાક ખાધો છે તે ખુબ જ ઝડપથી પચાવી ડાયજેશન સુઘારે છે જેથી આપણું પાચનતત્ર પણ મજબૂત બને છે.

આ ઉપરાંત આંતરડામાં જામી ગયેલ મળને છૂટો કરી પેટને સાફ કરવામાં મદદ કરે છે. તેમાં મળી આવતું આયર્ન તત્વ લોહીને વધારવામાં મદદ કરે છે. જે લોહીને શુદ્ધ પણ બનાવે છે અને હિમોગ્લોબિન ના સ્તર ને પણ વધારવામાં મદદ કરે છે.

આપણા લોહી શુદ્ધ થઈ જવાથી આપણા ચહેરા પર નિખાર આવે છે જે ચહેરા પરની કરચલી ને દૂર કરી ત્વચાને હેલ્ધી અને મુલાયમ બનાવે છે જે લાંબા સમય સુધી જવાન અને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

રોજે ભોજન પછી દેશી ગોળ ખાવાથી કોઈ પણ કામ કરવામાં વારે વારે થાક લાગતો હોય કમજોરી રહેતી હોય, અથવા કોઈ કામ કરીને થાકીને આવ્યા હોય તો એક દેશી ગોળનો ટુકડો ખાઈ લેવાથી શરીરનો બધો જ થાક ઉતરી જાય છે. દેશી ગોળ માં ભરપૂર મારામાં કેલ્શિયમ પણ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવે છે

જેથી નાની ઉંમરે થતા સાંધા ના દુખાવા કમરના દુખાવા ઠીચણ ના દુખાવા થાય તો રોજે દેશી ગોળ ખાવાથી દુખાવા દૂર થઈ જશે. 60 વર્ષ ની ઉંમરે પણ હાડકાને લગતી સમસ્યાથી બચવું હોય તો રોજે ગોળ ખાવો જોઈએ.

દેશી ગોળમાં ભરપૂર શક્તિ મળી આવે છે જેને ખાવાની શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા મળી રહે છે જે આપણે મુડફ્રેશ રાખે અને કામ કરવામાં મન બનાવી રાખવામાં મદદ કરે છે. રોજે આ દેશી ગોળ ખાવાથી આપણે વજન ને પણ નિયત્રંણમાં રાખવામાં મદદ કરે છે માટે વજન ઓછું કરવા માંગતા હોય તેવા લોકોએ ખાસ ગોળનું સેવન કરવું જોઈએ.

દરેક મહિલાઓએ એક દેશી ગોળનો ટુકડો ખાવો જોઈએ કારણકે દેશી ગોળ ગોળ ખાવાથી માસિક સમયે થતા દુખાવા રાહત આપે છે. આ ઉપરાંત લોહીને વધારવા અને શરીરમાં લાગેલ થાક ને ઉતારવામાં માટે ખુબ જ અસરકારક સાબિત થશે.મહિલાઓ લાંબા સમય સુધી યુવાન અને જવાન દેખાવા માટે જરૂર ખાઈ શકે છે.

રોજે એક ટુકડો ખાઈ લેવાથી શરીરમાં શારીરિક જાતીય અનેક સમસ્યા દૂર થઈ શકે છે. જો દરેક મહિલાઓ કરિયાણુ લેવા જાય ત્યારે સફેદ ગોળની જગ્યાએ બ્રાઉન ગોળ જ લેવાનો આગ્રહ રાખવો અને તે જ ગોળ દાળ શાકમાં ઉપયોગ કરવો જોઈએ, સફેદ ગોળ કરતા બ્રાઉન દેશી ગોળ 10-15 રૂપિયા જ વધારે થશે. માટે લાબું જીવન જીવવા અને શરીરને હંમેશા સ્વસ્થ અને અને હેલ્ધી બનાવી રાખવા માટે દેશી ગોળ જ ઘરમાં લાવીને ખાવો જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *