લીલા વટાણા વિષે તો બધા લોકો જાણતા હશો. તે એક છોડ આધારિત પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે શિયાળાની ઋતુમાં ઘણી રીતે ખાવામાં આવે છે. વટાણા ખાવાના ઘણા ફાયદા છે. જો કે, તેનું વધુ સેવન કરવાથી આડઅસર થઈ શકે છે. વટાણામાં વિટામીન એ, વિટામીન ઈ, વિટામીન ડી, વિટામીન સી અને વિટામીન કે ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેમાં કોલિન, રિબોફ્લેવિન જેવા સંયોજનો પણ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

શિયાળામાં લીલા વટાણા ખાવાથી ઘણી નાની મોટી બીમારીઓથી બચાવ થાય છે. પરંતુ વધુ વટાણા ખાવાના કેટલાક ગેરફાયદા છે. કેટલાક લોકોએ લીલા વટાણાનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. આટલું જ નહીં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં લીલા વટાણાનું સેવન કરવાથી દર્દીની હાલત ખરાબ થઈ શકે છે.

હવે સવાલ એ થાય છે કે લીલા વટાણાનું સેવન કોને ન કરવું જોઈએ અને ક્યારે ન ખાવા જોઈએ? તો આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે લીલા વટાણાનું સેવન ક્યારે અને કોણે ન કરવું જોઈએ. તો આવો જાણીએ.

લીલા વટાણા કોણે ન ખાવા જોઈએ? જે લોકોને પેટની સમસ્યાઓ જેવી કે પેટમાં ગેસ અથવા પેટનું ફૂલવું હોય તો લીલા વટાણાનું સેવન ટાળવું જોઈએ. વાસ્તવમાં લીલા વટાણામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. આ સાથે, તેમાં રહેલ સુગર આપણી પાચન તંત્ર દ્વારા સરળતાથી પચતું નથી. આવી સ્થિતિમાં જ્યારે તમે લીલા વટાણાનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો તે સરળતાથી પચતું નથી. તેનાથી પેટમાં ગેસ, કબજીયાત અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.

મેદસ્વી લોકો : વટાણામાં ફાયટીક એસિડ અને લેકટીન્સ જેવા પોષક તત્વો હોય છે, પરંતુ તે અન્ય ઘણા પોષક તત્વોના શોષણને અવરોધે છે. આ વટાણાની સૌથી મોટી આડઅસર છે, જે શરીરમાં પોષક તત્વોની ઉણપનું કારણ બને છે અને કુપોષણ તરફ દોરી શકે છે. લોકો જાણ્યા વગર કોઈપણ માત્રામાં વટાણા ખાય છે. તેમજ વધુ વટાણા ખાવાથી વજન વધી શકે છે તેથી વટાણા ચોક્કસ માત્રામાં ખાવા જોઈએ જે ફાયદાકારક સાબિત .થઇ શકે.

કિડની સમસ્યાઓ : જે લોકોને કિડની સંબંધિત સમસ્યાઓ હોય તેમને પણ લીલા વટાણાનું સેવન ટાળવું જોઈએ. લીલા વટાણામાં પ્રોટીનની માત્રા વધુ હોવાને કારણે કિડનીની કામગીરી પર અસર પડે છે. આ સ્થિતિમાં લીલા વટાણાના વધુ પડતા સેવનથી કિડનીની સમસ્યા થઈ શકે છે. આ જ કારણ છે કે કિડનીના દર્દીઓને મર્યાદિત માત્રામાં વટાણાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉચ્ચ યુરિક એસિડની સમસ્યા : જે લોકોને હાઈ યુરિક એસિડની સમસ્યા હોય તેમણે લીલા વટાણાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે લીલા વટાણામાં પ્રોટીન, એમિનો એસિડ, વિટામિન ડી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો હાડકાને મજબૂત બનાવે છે. પરંતુ વધુ લીલા વટાણા ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધે છે, જેનાથી સાંધાનો દુખાવો વધી શકે છે.

બ્લડ ક્લોટિંગ અને થ્રોમ્બોફ્લેબિટિસ : વટાણામાં વિટામિન K સારી માત્રામાં હોય છે. જે મેટાબોલિઝમ, લોહીમાં કેલ્શિયમ લેવલ અને કોષોમાં એનર્જી લેવલ વધારી શકે છે, જેનાથી લોહી ગંઠાવાનું જોખમ વધી જાય છે. વિટામિન K શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તમને હાઈ યુરિક એસિડ, લોહી ગંઠાઈ જવા અને થ્રોમ્બોફ્લેબિટિસ જેવી સમસ્યા હોય તો તમારે વટાણા ન ખાવા જોઈએ.

જો તમે લીલા વટાણાનું સેવન ભરપૂર માત્રામાં કરો છો પરંતુ તમને ઉપર જણાવેલ કોઈ સમસ્યા હોય તો તમારે લીલા વટાણાનું સેવન ઓછું કરવું જોઈએ અથવા બંધ કરી દેવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *