આજની ચાલી રહેલ વ્યસ્ત અને અનિયમિત ખાણી પીણી ના કારણે વ્યક્તિ ઘણા બધા રોગોના સંક્રમણમાં આવી જતા હોય છે. તેવી એક એક એવી બીમારી છે આજના સમયમાં નાની ઉંમરના વ્યકતિમાં સૌથી વધુ જોવા મળી રહી છે.
તે બીમારી હૃદયને લગતી બીમારી છે, હૃદય ના હુમલા અચાનક આવતા હોય છે, જે કોલેસ્ટ્રોલ વધી જવાના કારણે આવતા હોય છે, આ માટે શરીરમાં વધી ગયેલ કોલેસ્ટ્રોલને ઓછું કરવું જોઈએ. જેથી હૃદય સ્વસ્થ અને હેલ્ધી રહેશે.
હૃદયને લગતી બીમારી પહેલાના સમયમાં 55 વર્ષની ઉમર પછી જોવા મળતી હતી. પરંતુ આજે 30 થી 45 વર્ષની ઉંમરની વ્યક્તિને થવા લાગી છે. જે વ્યક્તિની અનિયમિત જીવન શૈલી સૌથી મોટું કારણ છે.
આ માટે રોજિંદા આહારમાં એવી કેટલીક વસ્તુનો સમાવેશ કરવો જોઈએ જે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે, હેલ્ધી ખોરાક લેવાથી મગજની કાર્ય ક્ષમતામાં પણ વધારો થાય છે.
હૃદયની બીમારી એક ખુબ જ ગંભીર બીમારી માનવામાં આવે છે આ માટે હૃદયની બીમારીથી બચવા માટે શરીરમાં લોહી પાતળું હોવું જોઈએ જેહિ લોહીનું પરિભ્રમણ હૃદય ઉપરાંત શરીરના અન્ય ભાગમાં પણ પહોંચે છે. જેના કારણે બીજા અંગો પણ સારી રીતે કાર્ય કરવામાં સક્ષમ બને છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે મગફળીનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. આ માટે રાતે એક કાચના બાઉલમાં 7-9 સીંગદાણા પલાળીને સવારે ખાલી પેટ ચાવીને ખાઈ લેવા જોઈએ. જે હૃદય ના ધબકારાને નિયંત્રણમાં રાખે છે અને તેની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
મગફળીના દાણામાં કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, વિટામિન-એ, વિટામિન-ઈ, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત મળી આવે છે, જે હૃદય ઉપરાંત વાળ, ત્વચા, મસ્તિષ્ક, પેટના રોગો હાડકા માટે ખુબ જ લાભદાયક છે. તેમાં બદામ કરતા પણ શક્તિ શાળી ગુણ મળી આવે છે.
રોજે સવારે આ દાણા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ જળવાઈ રહે છે. તે જાડા લોહીને પાતળું કરી લોહીના અવરોધને દૂર કરે છે અને હૃદયની નસોમાં લોહીના પ્રવાહને પહોંચાડે છે જેના કારણે હૃદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે. તે નસોમાં બ્લોક થતું અટકાવે છે.
જેના પરિણામે હાર્ટ અટેક અને બ્રેન સ્ટોકના જોખમ ને ઓછું કરે છે. તેનું રોજે ખાવાથી ખરાબ થઈ ગયેલ પેટને સાફ કરે છે અને શરીરનો બધો જ વધારાના કચરાને દૂર કરે છે. આ માટે રોજે 7-9 દાણા ખાવા શરીરના સ્વાસ્થ્ય રહેવા અને લાબું જીવન જીવવામાં મદદ કરે છે.