સારું સ્વાસ્થ્ય રહે તો જીવન જીવવાની ખુબ જ મજા આવે છે. માટે આપણે હંમેશા સ્વસ્થ રહીએ તે માટે ફિટ અને હેલ્ધી રહેવું જોઈએ ખુબ જ જરૂરી છે, માટે આપણે રોજિંદા જીવનમાં ઘણા બઘા બદલાવ પણ લાવવા ખુબ જ જરૂરી છે.

આપણા શરીરના દરેક અંગો અમૂલ્ય છે જે શરીરમાં અલગ અલગ કામ કરતા હોય છે, માટે દરેક અંગોને જરૂરી પોષક તત્વો મળી રહે તે પણ ખુબ જ જરૂરી છે, કારણકે આપણું જીવન ખુબ જ અમૂલ્ય છે, માટે શરીરને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું જોઈએ,

આપણા અમુલાય જીવન ને લાંબા સમય સુઘી સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં શુ બદલાવ લાવવો જોઈએ તેના વિષે જણાવીશું. જો તમે જીવનમાં આ નિયમોનું પાલન કરશો તો હંમેશા ફિટ અને નિરોગી રહેશો. જેથી દવાખાન ના ચક્કર લગાવવાના ઓછા થઈ જશે.

વોકિંગ કરવું જોઈએ: આજના સમયમાં મોટાભાગના લોકો જીમમાં સૌથી વધુ પૈસા કસરત કરવામાં ખર્ચ કરી દે છે, પરંતુ સવારે વહેલા ઉઠીને વોકિંગ કરવું જોઈએ, જે જીમ કસરત કરવા કરતા પણ સૌથી વધુ ફાયકારક છે, કારણકે સવારે ઉઠીને ચાલવા જવાથી શુદ્ધ ઓક્સિજન મળી રહે છે જેથી આપણા ફેફસા પણ ચોખા અને મજબૂત રહે છે,

આ ઉપરાંત ચાલવાથી આપણા શરીરના દરેક અંગો કામ કરવાનું શરુ દે છે અને શરીરને ઉર્જાવાન બનાવી એનર્જી આપે છે. સાથે મૂડને સુધારી શરીરની કમજોરી પણ દૂર કરે છે. આ માટે સવારે ઉઠીને 25-30 મિનિટ ચાલવું જોઈએ જો તમે રોજે ચાલશો તો શરીર હંમેશા સ્વસ્થ અને હેલ્ધી રહેશે.

વિટામીન-ડી લેવું: વિટામિન-ડી આપણે કુદરતી રીતે સૂર્ય પ્રકાશના કિરણોથી મળે છે, વિટામિન-ડી આપણા શરીરના હાડકાને મજબૂત બનાવે છે માટે હાડકાને મજબૂત બનાવવા માટે દરરોજ સવારનો પહેલો તડકો પડે ત્યારે 10 મિનિટ માટે સૂર્ય પ્રકાશ સામે ઉભું રહેવું જોઈએ, જે શરીરમાં વિટામિન-ડી ની ઉણપને પૂર્ણ કરશે અને હાડકાને 80 વર્ષની ઉંમરે પણ નબળા નહીં થવા દે.

પૌષ્ટિક આહાર લેવો: આપણા શરીરને સૌથી વધુ પોષક તત્વોની જરૂર હોય છે, માટે પોષક તત્વો મેળવવા માટે રોજે લીલા શાકબાજી અને ફળો ખાવા જોઈએ, જે પ્રોટીન, કેલ્શિયમ, ફાયબર, ખનીજ તત્વો, કાર્બોહાઈડ્રેટ જેવા અનેક પોષક તત્વોનો સ્ત્રોત મળી રહેશે. માટે શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા સીઝનમાં મળતા ફળો અને શાકભાજી સૌથી વધુ ખાવા જોઈએ.

પાણી પીવું: પાણી આપણા શરીરને સૌથી વધુ જરૂર હોય છે, આપણા શરીરમાં પાણી ઓછું થવાથી શરીરમાં થાક અને કમજોરી આવી જતી હોય છે. આ માટે દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ, પાણી જયારે પણ પીવું હોય ત્યારે હંમેશા પાણીને નીચે બેસીને જ પીવું. દિવસમાં દર એક કલાકે અડઘો ગ્લાસ પાણી પીવું જોઈએ.

બહારના આહાર ના ખાવા: આજની નવી જનરેશનમાં બહારના જંકફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાના ખુબ જ શોખીન હોય છે, પરંતુ બહારનો આહાર ખાવાથી શરીર ભારે રહે છે અને તે ચરબી યુક્ત ખોરાક પચવામાં ઘણી મુશ્કેલ થઈ શકે છે જેથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે, માટે બહારના આહાર ખાવાના બંધ કરી દેવા જોઈએ અને ઘરે બનાવેલ આહાર કહવો જોઈએ.

રાત્રિનું ભોજન ઘણા લોકો વધારે તળેલું અને મસાલા વાળું ખાતા હોય છે, પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે રાત્રિનું ભોજન હંમેશા હળવું જ ખાવું જોઈએ, જેથી તે ખોરાક સરળતાથી પચી જાય છે અને પેટને લગતી લગતી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

રાત્રે ઊંઘ પુરી ના થવાના કારણે બીજા દિવસે શરીરમાં થાક અને કમજોરીનો અહેશાસ થાય છે. માટે રાત્રે ઓછામાં ઓછી 6 થી 7 કલાક ની ઊંઘ લેવી જોઈએ. સારી ઊંઘ લેવાથી માનસિક તનાવ અને ટેન્શન પણ ઓછું રહે છે.

શરીરને હંમેશા સ્વસ્થ અને એનર્જીવાન રાખવું હોય તો અઠવાડિયામાં બે થી ત્રણ વખત લીંબુનો સરબત બનાવીને પીવો જોઈએ, જો તમે પણ રોજિંદા જીવનમાં શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માંગતા હોય તો આટલી વસ્તુનું ઘ્યાન રાખવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *