આજે અમે તમને એક એવા જ્યુસ વિષે જણાવીશું જેની મદદથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે આ ઉપરાંત શરીરમાં ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ પણ જોવા મળશે. આપણે જે જ્યુસ બનાવવાનું છે તે જ્યુસ આપણે રસોડામાં રહેલ મસાલા અને શાકભાજી માંથી બનાવાનો છે.
આ જ્યુસ સૌથી શક્તિ શાળી જ્યુસ માનવામાં આવે છે જે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે, હાઈ બ્લડપ્રેશર, હૃદયની બ્લોક નસો ખોલવા, હૃદયને બીમારી, હાથ પગ કે સાંધા ના દુખાવા, વાળ ખરવાની, કેન્સરની સમસ્યા, વાયરલ ઈન્ફેક્શનની સમસ્યા જેવી શરીરમાં બીજી કોઈ સમસ્યા હશે તો તેને દૂર કરવામાં મદદ કરશે.
જ્યુસ બનાવવા માટેની સામગ્રી : આ માટે સૌથી પહેલા પાલકના 5 પાન લેવાના છે, ત્યાર પછી 10 ગ્રામ તાજા કોથમીર, 10 ગ્રામ ફુદીના પાન, નાગરવેલનાં 2 પાન, 2 ગ્રામ તજ, 5 નંગ કાળામરી, 2 ગ્રામ મેથીના દાણા, એક ચમચી આમળાનો પાવડર, એક ચમચી હળદર.
જ્યુસ બનાવવાની રીત: હવે સોથો પહેલા બધી વસ્તુ ભેગી કરી લો હવે બધાને એક મિક્સર જારમાં નાખીને પીસી લેવાનું છે, ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરવાનું છે, હવે ફરીથી મિક્સર જાર ફેરવો, હવે એક ગ્લાસ માં ગળણીની મદદથી જ્યૂસને ગાળી લેવાનું છે. હવે આ જ્યુસ પીવાનું છે.
આ જ્યુસ તમારે દિવસમાં એક જ સમયે પીવાનું છે. આ માટે સવારે નરણાકાંઠે ખાલી પેટ પીવાનું છે. જ્યુસ પીધા પછી એક કલાક સુધી કોઈ પણ વસ્તુ ખાવની કે પીવાની નથી. હવે આ જ્યુસ 100 થી વધુ રોગોને નાશ કરવા માટે તૈયાર થઈ ગયો છે.
આ જ્યુસ પીવાથી શરીરમાં રહેલ વધારાના સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, માટે ડાયાબિટીસ હોય એવા દર્દી માટે આ જ્યુસ રામબાણ સાબિત થશે. આંખોને લગતી કોઈ સમસ્યા હોય, આંખો કમજોર થઈ ગઈ હોય, આંખોના નંબર આવી ગયા હોય તેવા લોકો માટે આ જ્યુસ ખુબ જ લાભદાયક સાબિત થશે.
જેમને વાળને લગતી કોઈ સમસ્યા છે તેમના માટે પણ આ જ્યુસ ખુબ જ અસરકારક છે, જેમના વાળ ઉમર પહેલા જ સફેદ થવાનું ચાલુ થયું હોય, વાળ ખરતા હોય જેવી સમસ્યામાં જ્યુસ પીવાથી વાળ મજબૂત બનશે અને વાળનો ગ્રોથ પણ થવા લાગશે.
જે લોકોની પાચનક્રિયા નબળી થઈ ગઈ છે અને બરાબર ડાયજેશન થતું નથી તેમને આ જ્યુસ પીવાથી પાચનક્રિયાને સુધારી પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટને લગતા અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં મદદ કરશે.
જેમનું વજન વધારે હોય અને અનેક પ્રયત્નો કરવા છતાં પણ ઓછું થતું નથી તો આ જ્યૂસને નિયમિત પણે પીવાનું ચાલુ કરી દેતો પેટની વધી ગયેલ બધી જ ચરબી ને ઓગાળી દેશે અને વજન ને નિયત્રંણમાં લાવશે.
લીવર, કિડની અને આંતરડામાં કચરો જામી ગયો હોય તો તેને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. લોહીને શુદ્ધ કરવા અને લોહીમાં રહેલ હાનિકારક ઝેરી પદાર્થોને પણ દૂર કરશે. આ જ્યુસ પીવાથી લોહીનો પરિવહન ખુબ જ સારું થાય છે જેથી આપણું હૃદય સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે. આ જ્યુસ શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે આ ઉપરાંત શરીરમાં થતા દુખાવા અને સાંધા ના દુખાવા રાહત આપવામાં મદદ કરશે.