આ લેખમાં તમને લોહી વધારવા માટે શું ખાવું, લોહીની ઉણપ હોય તો શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે અને લોહીની ઉણપથી કઈ બીમારીઓ થવાનો ભય રહે છે તે વિષે જણાવીશું. સૌ પ્રથમ તો શરીરના દરેક અંગો યોગ્ય કામગીરી કરે તે માટે હિમોગ્લોબિન ખૂબ જ જરૂરી છે, પરંતુ જ્યારે શરીરને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળતા નથી ત્યારે શરીરમા હિમોગ્લોબિનની ઉણપ સર્જાય છે.
લોહીની ઉણપ થવી એ અત્યારના સમયમાં એક સામાન્ય સમસ્યા છે. અત્યારના સમયમાં , બાળકો અથવા પુખ્ત વયના લોકો પણ કુપોષણનો શિકાર બને છે. સગર્ભા સ્ત્રીઓમાં આ સ્થિતિ ખૂબ ગંભીર હોઈ શકે છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જો સમયસર સંતુલિત આહાર લેવામાં આવે તો શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારી શકાય છે.
શરીરમાં હિમોગ્લોબીનની ઉણપને દૂર કરવા માટે આયર્નથી ભરપૂર ખોરાક વધુ પ્રમાણમાં લેવો જોઈએ તેમજ વિટામિન-સી ધરાવતાં ફળોનું પણ સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ શરીરમાં હિમોગ્લોબિનની ઉણપના લક્ષણો, હિમોગ્લોબિનની ઉણપથી થતા રોગો અને આ ઉણપને દૂર કરવાના કેટલાક ઉપાયો વિશે.
હિમોગ્લોબિનની ઉણપના લક્ષણો: શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થવાથી માથાનો દુખાવો, શ્વાસની તકલીફ, ચક્કર, ગભરાટ, સ્વભાવ ચીડિયાપણું, ક, નબળાઇ, ધ્યાનનો અભાવ અને ઠંડા હાથ પગમાં ખાલરી ચઢવી વગેરે થઇ શકે છે.
હિમોગ્લોબિનની ઉણપથી થતા રોગો: શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થવાથી એનિમિયા, કિડની અને યકૃતના રોગો અને હૃદય રોગો વગેરેની સમસ્યા થઇ શકે છે.
શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવા શું કરવું જોઈએ: 1. લીલા શાકભાજી :- શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવા માટે આહારમાં પાલક અને અન્ય લીલા શાકભાજીની સમાવેશ કરવો જોઈએ. આ શાકભાજી આયર્નનો મુખ્ય સ્ત્રોત છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
2. દાડમ :- દાડમ જેનો કલર લાલ લોહી જેવો હોય છે જે આયર્ન, કેલ્શિયમ, ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે. નિષ્ણાતો જે લોકોને એનિમિયા હોય તેમને દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે. દાડમનું સતત થોડા મહિના સેવન કરવાથી હિમોગ્લોબીન જળવાઈ રહે છે.
3. ખજૂર :- ખજૂરમાં ઘણા પોષક તત્વોનો ખજાનો છે જેનું સેવન સ્વસ્થ માટે ખુબજ ફાયદાકારક છે. ખજૂરમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે લાલ રક્તકણોની સંખ્યા વધારવામાં મદદ કરે છે.
4. કઠોળ :– અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ તમારા ભોજનના કઠોરનો સમાવેશ કરવો જોઈએ. અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ કઠોર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. તેમેં કઠોરમાં સોયાબીન, સફેદ રાજમા અને ચણા વગેરેનો સમાવેશ કરી શકો છો.
આ સિવાય તમે હિમોગ્લોબિન વધારવા માટે બીટ, કેળા, ગાજર, જામફળ, સફરજન, દ્રાક્ષ, નારંગી, ટામેટા ખાઓ. ખાંડની જગ્યા એ ગોળ ખાઓ અથવા ગોળની ચા પીઓ. ખજૂર, બદામ અને કિસમિસ ખાઓ. દરરોજ શક્ય હોય તો બદામનું દૂધ પીવો.
જો તમે પણ અહીંયા જણાવેલી વસ્તુઓ ખાવાનું શરુ કરશો તો તમારા શરીરમાં પણ લોહી વધવા લાગશે. માહિતી પસંદ આવી હોય તો મિત્રોને આગળ મોકલો એ આવીજ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.