આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

કબજિયાત અનેક રોગોનું મૂળ માનવામાં આવે છે, જે સામાન્ય રીતે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના વ્યક્તિમાં જોવા મળતી હોય છે, કબજિયાત એક એવી સમસ્યા છે જે આપણી કેટલીક ભૂલો અને ખરાબ ટેવના કારણે થતી હોય જ છે.

ઘણા લોકોને એવી કબજિયાતનો સામનો કરવો પડતો હોય છે કે બે દિવસ સુધી મળનો ત્યાગ ના થતો હોય, મળ નીકાળવામાં ખુબ જ જોર કરવું પડતું હોય, ઘણી વખત મળ ત્યાગ કરવા માટે વારે વારે જવું પડતું હોય અને બરાબર મળ સાફ ના થતો હોય જેના કારણે પણ કબજિયાતના લક્ષણો હોઈ શકે છે.

આંતરડામાં મળ જામી ગયો હોય અને તે મળ છૂટો ના પડે ત્યાં સુઘી પેટ ખરાબ થતું રહેતું હોય છે જેના કારણે ઘણી વખત મોમાં થી દુર્ગધ આવે, લોહીનો બગાડ થાય જેવી અનેક નાની મોટી સમસ્યાઓ થતી રહેતી હોય છે.

આપણે ખાઘેલા ખોરાક ત્યાં સડવા લાગે છે જેના કારણે ઘણી બઘી બીમારીઓ થવાનું જોખમ રહેતું હોય છે, આ માટે અનેક બીમારીથી બચવા આપણે અનંતદ અને પેટને સાફ રાખવું કજહુબા જ જરૂરી છે, માટે આજે અમે તમને એવા કેટલાક દેશી ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી વર્ષો જૂની કબજિયાત પણ દૂર થઈ જશે.

વર્ષો જૂની કબજિયાત હોય તો આંતડામાં ભરપૂર મળ જામી ગયેલ હોય છે જૈન કર કરવા માટે રોજે સવારે નરણાકાંઠે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ. જેથી ગમે તેવો આંતરડામાં મળ જામી ગયો હશે તો તેને દૂર કરી દેશે જેથી આંતરડા અને પેટ બને માં જામેલ કચરો દૂર થશે અને સાફ થઈ જશે, જેથી કબજિયાતમાં રાહત મળશે.

ફાયબર યુકત આહાર ખાવો તેમાં આપણે એક એવું ફળ ખાવાનું છે જે ખાવાથી આંતડામાં જામેલ કઠણ મળ પણ ન્દુર થઈ જશે, આ માટે સવારે ત્રણથી ચાર ટુકડા મોસંબીના ખાવાના છે આ ઉપરાંત તમે મોસંબીનો અડઘો ગ્લાસ બનાવીને પણ પી શકો છો જે આંતરડા અને પેટ બંનેને સાફ કરી દેશે. જેથી જૂનામાં જૂની કબજિયાત પણ દૂર થઈ જશે અને મળ ખુબ જ ઝડપથી ત્યાગ થશે.

એરંડિયું પણ કબજિયાતનો દુશ્મન માનવામાં આવે છે આ માટે એક વાટકી ગાયનું દૂઘ લેવાનું છે અને તેમાં અડઘી ચમચી એરંડિયાનું તેલ નાખી હલાવીને પીવાનું છે. આ દૂધનો ઉપયોગ રાત્રે સુવાના 15 મિનિટ પહેલા કરવાનો છે, જેથી આખી રાત તેની પ્રોસેસ થશે અને આંતરડામાં જામેલ મળને છૂટો કરશે. માટે કબજિયાત હોય તો આ ઉપાય પણ ખુબ જ કારગર સાબિત થશે.

રોજે રાત્રે એક ચમચી દેશી ગાયનું ઘી પીને સૂવાથી પણ કબજિયાતની સમસ્યામાં રાહત મળશે. ઘી પેટને સંપૂર્ણ પણે સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત રાત્રીના ભોજન પછી નિયમિત 30 મિનિટ ચાલવાનું છે જે કબજિયાત ઘરાવતા દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

લીંબુ અને કાળામરીનો પાવડર પણ ખુબ જ ફાયદાકારક છે. આ માટે એક લીંબુના બે ટુકડા કરવાના છે અને એક ટુકડામાં એક ચપટી કાળામરીનો પાવડર મિક્સ કરીને લીંબુને ચુસવાનું છે આ રીતે સવારે અને રાત્રે સુતા પહેલા કરવાથી પાચનક્રિયા મજબૂત બનશે અને કબજિયાત માંથી છુટકાળો મળશે, લીંબુ અને કાળામરી નો આ ઉપાય શરીરનો બધો જેરી કચરો પણ દૂર કરશે માટે વર્ષો જૂની કબજિયાતમાં આ ઉપય ખુબ જ અસરકારક સાબિત થશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *