અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શકતી મજબૂત હોવી મહત્વ પૂર્ણ છે. કારણકે જો આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી સારી હોય તો આપણાથી અનેક રોગ દૂર રહે છે. જેના કારણે આપણે બીમાર પડતા નથી.

ઘણા લોકો પોતાને સ્વસ્થ અને ફિટ રાખવા માટે ઘણી કસરત, યોગા અને યોગ્ય પૌષ્ટિક આહાર પર ખુબ જ ઘ્યાન આપતા હોય છે. પરંતુ ઘણા લોકો પોતાને સ્વસ્થ અને ફિટ રાખવામાં માટે ઘણા બેદરકાર હોય છે.

આયુર્વેદમાં જણાવ્યું છે કે સ્વસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ઘરનો યોગ્ય પૌષ્ટિક આહાર જ લેવો જોઈએ. પરંતુ ઘણા લોકોને ઘરના આહાર ખાવો ગમતો જ નથી. માટે ઘણા લોકો બહારના ફાસ્ટ ફૂડ, ઠંડા પીણાં જેવી વસ્તુઓનું સેવન કરતા હોય છે.

બહારના ફાસ્ટ ફૂડમાં ઘણા પ્રકારના મરી મસાલા, તીખું, તળેલું વઘારે હોય છે. જેનું સેવન કરવાથી ઘણી વખત આપણું શરીર કમજોર થઈ જાય છે અને આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેના કારણે આપણે કોઈ પણ વાયરલ બીમારીના શિકાર થઈ જતા હોઈએ છીએ

આપણું શરીર કમજોર થઈ જાય તો આપણે થાક અને નબળાઈ રહેતી હોય છે. આ ઉપરાંત માનસિક રીતે આપણે થાકી જતા હોઈએ છીએ જેથી ખુબ જ નર્વસ અનુભવ કરતા હોઈએ. માટે આપણું શરીર હેલ્ધી અને ફિટ રહે તેવો પ્રયાશ કરવો જોઈએ.

આપણા શરીરમાં ઈમ્યુનિટીને વધારવા માટે આપણે કેટલીક આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જેથી આપણે સરળતાથી ઈમ્યુનિટીને વઘારી શકીશું. માટે આજે આ આર્ટિકલમાં કેટલાક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકો છો.

1. ગાજર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દરરોજ એક ગાજર ને સલાડના રૂપમાં ખાઈ લેવું જોઈએ. આ ઉપરાંત ગાજરનો જ્યુસ બનાવીને દિવસમાં એક વખત પીવાથી પણ શરીરમાં સ્ટેમિનાર રહેશે. જેના કારણે શરીરમાં થાક, નબળાઈ દૂર થઈને રોગપ્રતિકારક શક્તિને વઘારશે.

2.કેળાં ખાવું દરેક વ્યક્તિને ગમે છે. કેળામાં કેલ્શિયમ, વિટામિન-સી જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુ કરે છે અને હાડકામાં કેલ્શિયમની ઉણપ ને પણ દૂર કરવામાં મદદ કરે છે. માટે દરરોજ જમ્યા પછી એક કેળાનું સેવન કરવું જોઈએ.

3. શરીરમાં થાક કે નબળાઈ રહેતી હોય તો દૂઘ અને અંજીર ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. દૂઘને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. માટે એક ગ્લાસ દૂઘ અને તેમાં બે થી ત્રણ અંજીર નાખીને દૂઘને ગરમ કરી લો, ત્યાર પછી તેમાંથી અંજૂર ચાવીને ખાઈલો અને ઉપરથી દૂઘ પી જાઓ. આમ કરવાથી શરીરમાં શારીરિક નબળી પણ દૂર થશે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો થશે.

4. ઈમ્યુનીટી વઘારવા સૌથી પહેલા એક સફેદ ડુંગળી લઈલો, ત્યાર પછી તે ડુંગળીને શુદ્ધ દેશી ઘી માં શેકી લો. ત્યાર પછી તે ડુંગળીને ખાઈ લો. આ શેકેલી ડુંગળીનું સેવન કરવાથી શારીરિક નબળાઈને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિને વઘારવામાં મદદ કરે છે. આ ઉપરાંત વીર્ય શક્તિમાં પણ વઘારો થાય છે.

5. ઈમ્યુનિટીને બમણી કરવા માટે એક ગ્લાસ દૂઘમાં તારણ થી ચાર બદામ, કેસર, ઈલાયચી અને એક ચપટી સાકરનો ભૂકો મિક્સ કરીને પીવાથી ઈમ્યુનીટી બુસ્ટ થાય છે. શરીરમાં કમજોરીને પણ દૂર કરવા અને એનર્જી વઘારવા આ દૂઘ ફાયદાકારક છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *