આજના સમયમાં મોટાભાગના લોકો અનિદ્રાની સમસ્યા થતી હોય છે. અનિદ્રાની સમસ્યા એટલ કે આપણી અપૂરતી ઊંઘ ના કારણકે આ સમસ્યા થતી હોય છે. માટે આજે અમે તમને એક ખુબ જ સરળ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમને માત્ર 5 મિનિટમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે.

ઊંઘ ના આવવાની સમસ્યા મોટાભાગે આપણી કેટલીક બેદરકારી અને આપણી વ્યસ્ત જીવન શૈલીના કારણે થતી હોય છે. વધારે પડતા તણાવ અને વધારે પડતા વિચારોના કારણે જયારે આપણે ઊંઘતા હોઈએ ત્યારે આમ તેમ પડખા ફેરવવા છતાં પણ ઊંઘ આવતી નથી.

આ ઉપરાંત રાત્રીના સમયે જ્યારે આપણે વઘારે ભૂખ લાગે ત્યારે ભોજન કરવા બેસીએ ત્યારે જેટલા પ્રમાણમાં ખાવું જોઈએ તેના કરતા પણ વઘારે ખવાઈ જતું હોય છે. જેના કારણે ઊંઘવાથી પણ આપણે ઊંઘ આવતી નથી અને પડખા ફરતા રહીએ છીએ.

આ સિવાય ઘણા લોકોને રાત્રે મોડા સુઘી મોબાઈલ અને ટીવી જોવાની ટેવ હોય છે. આ ટેવ પણ આપણી ઊંઘ ને ડિસ્ટરબ કરી શકે છે. વધારે લાંબા સમય સુઘી મોબાઈલ જોઈ રહેવાથી આપણી આંખો ભારે અને ખેંચાતી હોય તેવું લાગતું હોય છે. જેના કારણે આપણે મોબાઈલ મૂકીને સુવાની કોશિશ કરીએ તો પણ ઊંઘ આવતી નથી. જેના કારણે મોડા સુઘી ઊંઘ આવતી નથી.

જો આપણા શરીરને પૂરતી ઊંઘના મળે તો આપણા શરીરમાં અશકતી અને નબળાઈ રહેતી હોય છે. જેના કારણકે ઓફિસમાં કામ કરતી વખતે જોકા આવતા હોય છે અને કામ કરવામાં મન પણ લાગતું નથી. આજે અમે તમને ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ લાવવા માટે નો ઉપાય જણાવીશું. આ ઉપાય કરવાથી તમને થોડા જ સમય માં ઊંઘ આવી જશે.

આજે અમે તમને એક મંત્ર વિષે જણાવીશું જેનું ઉચ્ચારણ કરવાથી તમને ખુબ જ ઝડપથી ઊંઘ આવશે. આ મંત્રનો જાપ કરવા શાંત રૂમમાં બેસીને કરવાનો છે. સૌથી પહેલા ઘ્યાન મુદ્રામાં બેસી જાઓ. હવે તમે ઊંડો શ્વાસ લો અને પછી શ્વાસ છોડતી વખતે ” ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા “ આ મંત્રનો જાપ કરવાનો છે.

આ મંત્રનો જાપ કરવાથી આપણું મન શાંત થાય છે. આ ઉપરાંત રાત્રે સૂતી વખતે જો તમને ખરાબ સપના આવતા હોય તો આ હનુમાન દાદાનો મંત્ર બોલવાથી ખરાબ સપના આવતા પણ બંઘ થઈ જાય છે. જો તમને તણાવ અને ચિંતા હોય ત તેને દૂર કરી મગજને શાંત પાડે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

આ ઉપરાંત તમે સારું ઊંઘ લાવવા માટે આ મંત્રનો જાપ પણ કરી શકો છો. તેના માટે પણ તમારે શાંત જગ્યાએ બેસીને આ મંત્રનો જાપ કરવાનો છે. હવે ઘ્યાન કરવાની સ્થિતિમાં બેસી જાઓ. ત્યાર પછી ઊંડો શ્વાસ લો અને પછી જયારે શ્વાસને બહાર નીકાળો ત્યારે ” ॐ નમઃ શિવાય “ નામને થોડું લાબું ખેંચીને બોલવાનું છે. તેવી જ રીતે ફરીથી શ્વાસ અંદર ખેંચો અને પછી બહાર નીકળતી વખતે ફરીથી આ મંત્રનો જાપ કરવાનો છે.

આ મંત્રનો જાપ તમારે પાંચ મિનિટ કરવાનો છે. આ નામનું ઉચ્ચારણ કરવાથી આપણા શરીરમાં રહેલ રક્ત વાહિનીઓમાં રક્તનું પરિવહન ખુબ જ સારું અને ઝડપી બને છે. આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી આપણા શરીરમાં ધ્રુજારી પેદા થાય છે. જેના કારણે આપણા ફેફસા યોગ્ય રીતે કામ કરવામાં પ્રેરિત કરે છે ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રોજે આ મંત્રનો જાપ કરવાથી ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ લાવી દેશે.

જો તમે આ બંને મંત્રનો રોજે રાત્રે સુવાના 10 મિનિટ પહેલા કરવાથી પથારીમાં સુતાની સાથે જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. આ માત્રનો જાપ કરવાથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો તમને રાતે ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય તો રોજે રાત્રે 21 વખત આ મંત્રનો જાપ કરવાનો છે. જેથી તમને ખુબ સારી અને સુકૂનની ઊંઘ આવી જશે.

આ મંત્રનો જાપ કરવાથી બઘા દુખોનો નાશ થાય છે. જો તમને રાત્રે પથારીમાં પડયા બરાબર ઊંઘ નથી આવતી અને મોડા સુઘી જાગો છો તો આ મંત્રના ઉચ્ચારણને રોજિંદા જીવનમાં અપનાવી લેજો જેથી તમને અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.

ઘ્યાનમાં રાખવું: રાત્રીના સમયે ઓછામાં ઓછી 6-7 કલાકની ઊંઘ લેવી જોઈએ. રાત્રિનું ભોજન ઓછું અને હળવું લેવું જોઈએ. સુવાના એક કલાક પહેલા મોબાઈલનો ઉપયોગ કરવાનું બંઘ કરી દેવું જોઈએ. મોબાઈલને ક્યારેય પથારીમાં જોડે લઈને ના સૂવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *