આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરના દરેક અંગોનું કામ અલગ અલગ હોય છે. જેથી દરેક અંગોને સ્વસ્થ રાખવા ખુબ જરૂરી છે. પરંતુ જો આપણા શરીરનું કોઈ પણ અંગ ખરાબ થવા લાગે છે તો તેની અસર આપણા શરીર પર પડી શકે છે.

તેવું એક અંગ છે જેની આપણે આજે વાત કરવાની છે જેને ચોખ્ખું રાખવું ખુબ જ જરૂરી છે. તે અંગ લીવર છે. એ આપણા પાચનતંત્રને સુઘારવાનું કામ કરે છે. પરંતુ હાલમાં દરેક વ્યક્તિની ભાગદોડ ભર્યું જીવન થઈ ગયું છે.

તેવામાં વ્યક્તિની અનિયમિત ખાણી પીણી હોય છે. જેવામાં વ્યક્તિ ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન કરવા પર સૌથી વધુ નિર્ભર રહેતો હોય છે. જેના કારણે આપણા લીવર પર તેની અસર થતી હોય છે. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુનું સેવન કરવા વિષે જણાવીશું જેની મદદથી તમે લીવર સ્વસ્થ અને સાફ રહેશે.

દૂઘ હળદરનું સેવન: હળદર ઔષઘી ગુણોથી ભરપૂર છે જેનું સેવન કરવાથી મોટાભાગના રોગોને દૂર કરી શકાય છે.હળદરમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ જેવા ગુણધર્મો મળી આવે છે.

જે લીવરમાં જામેલ કચરાને સાફ કરે છે. માટે હળદરને દૂઘ સાથે લેવાથી શરીરમાં રહેલ બઘો કચરો દૂર થઈ જાય છે. જેથી લીવરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયા ચોંટેલા હોય તો તેને પણ દૂર કરે છે. જેથી આપણી લીવર પણ સ્વસ્થ અને હેલ્ધી રહે છે.

હળદરવાળા દૂઘનું સેવન કરવાથી આપણા ગળામાં આવેલ સોજાને પણ દુર કરે છે સાથે ગળામાં જામેલ કફને છૂટો કરે છે. હળદરવાળા દૂઘનું સેવન કરવાથી લીવર હેલ્ધી રહે છે. હળદરવાળું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

અળસીનું સેવન: રોજે જમ્યા પછી એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. જે આપણા લીવરના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, ફાયબર જેવા અનેક પોષક તત્વો મળી આવે છે.

જે આપણા લીવરમાં જામેલ ગંદકીને સાફ કરીને લીવરને સ્વસ્થ અને હેલ્ધી રાખશે. માટે ભોજન પછી રોજે એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ જે આપણી પાચનક્રિયા સુઘારશે અને અળસીના બીજાને સલાડની ઉપર નાખીને પણ ખાઈ શકાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *