આપણા સ્વાસ્થ્ય માટે પપૈયું ખુબ જ ફાયદાકારક છે. પપૈયું ખાવાના ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠું લાગે છે. પપૈયામાં ઘણા બઘા ઔષઘીય ગુનો મળી આવે છે. પપૈયાનું ઝાડ લાંબુ અને પાતળું હોય છે.
પપૈયું નાર અને માંદા એમ બે જાતિનું બનેલ હોય છે. તે કફનાશક અને હૃદય માટે ખુબ જ લાભદાય ફળ માનવામાં આવે છે. આ ઉપરાંત કબજિયાત, યકૃત, મૂત્ર માર્ગના અવરોઘને દૂર કરે છે. તેના સેવન થી વાયુથી થતા રોગથી દૂર રાખે છે.
પપૈયામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી, વિટામિન-એ, ફાયબર, પ્રોટીન, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે. તાજું પપૈયું ખાવાથી જ સ્વાસ્થ્યને ખુબ જ લાભ થશે. માટે આજે અમે તમને પપૈયાનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
ત્વચામાં નિખાર લાવવા: ત્વચા ને નિખાર લાવવા અને ચહેરાને સુંદર બનાવવા માટે પપૈયું ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે પપૈયાની અંદરથી જે બીયા નીકળે છે તેનાથી ચહેરા પર દરરોજ 5 થી 10 મિનિટ મસાજ કરવી. દરરોજ મસાજ કરવાથી 10 થી 15 દિવસમાં જ ખીલ, કરચલી અને ચહેરાની કાળી ત્વચા ને દૂર કરી દેશે.
આ ઉપરાંત ત્રણ ચમચી પપૈયાનો રસ અને તેમાં એક ચમચી આદું મિક્સ કરીને ચહેરા પાર લગાવી ને પાંચ મિનિટ માલિશ કરીને 30 મિનિટ સુઘી રહેવા દો. એવું થોડા દિવસ કરવાથી ચહેરા પરની ફોલ્લી ઓ દૂર થઈ જાય છે અને ચહેરો સુંદર બને છે.
હદય રોગથી બચાવે: હદય રોગથી પીડીત દર્દી માટે કાચા પપૈયાનું દૂઘ ખુબ જ લાભદાયક છે. આ માટે એ ચમચી કાચા પપૈયાનું દૂઘ અને અડઘી ચમચી સાકર મિક્સ કરીને દિવસમાં બે વખત ખાઈ લેવું. અને ઉપરથી અડઘા ગ્લાસ જેટલું પાણી નું સેવન કરવું. આમ કરવાથી હૃદયને લગતી અનેક સમસ્યા પણ દૂર થઈ જાય છે.
લીવર ને સ્વસ્થ રાખે: આપણા શરીરના સ્વાસ્થ્ય માટે લીવરને સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી છે. આ માટે એક ચમચી અને તેમાં એક ચપટી સાકર નો ભૂકો કરીને બંને ને મિક્સ કરીને રાત્રે સુતા પહેલા પી જવું. આ રીતે પીવાથી લીવર માં જામેલો બઘો કચરો દૂર થઈ જશે અને લીવર સાફ અને સ્વસ્થ થઈ જશે.
પાચન તંત્ર સુઘારવા: પેટને સાફ રાખવા માટે પપૈયું ખુબ જ ફાયદાકારક છે. આ માટે જમ્યાના 30 મિનિટ પછી પપૈયાની બે થી ત્રણ ચિપ્સ કાપીને ખાઈ જવી. દરરોજ જમ્યા પછી સેવન કરવાથી ખાઘેલ ખોરાકને પચવામાં આસાની રહે છે અને પાંચ ક્રિયામાં સુધારો થાય છે. આ ઉપરાંત પાચન તંત્ર મજબૂત થાય છે.
લોહીને શુદ્ધ કરે: દરરોજ થોડા માત્રામાં પપૈયાનું સેવન કરવાથી ખરાબ લોહીને શુદ્ધ કરે છે અને લોહીને વઘારવાનું કામ કરે છે. માટે જો શરીરમાં આયર્નની ઉણપ રહેતી હોય તો તે કંઈ પણ પૂર્ણ થઈ જાય છે.
વજન ઘટાડે: જો તમે વજન ઘટાડવા માટે ડાયટ નો ઉપયોગ કરો ચો પપૈયું ફાયદાકારક સાબિત થશે. માટે દરરોજ દિવસમાં બે વખત ડાયટમાં પપૈયાનું સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.