આજના મશિન યુગમાં ભાગદોડના કારણે ગેસની સમસ્યા સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા ખાસ કરીને દર બે વ્યક્તિએ એક જણને જોવા મળે છે. આજની બેવડી જિંદગીમાં દિવસભર ઓફિસની જવાબદારીઓ સંભાળવામાં વ્યસ્ત અને મહિલાઓ ઘરના કામમાં વ્યસ્ત રહે છે.
કામમાં વ્યસ્ત રહેવાને લીધે તેઓ પોતાને માટે સમય કાઢી શકતા નથી, જેના કારણે તે સમયસર ખાઈ કે પી શકતા નથી અને હંમેશા તણાવમાં રહે છે. જેના કારણે તેમને ગેસની સમસ્યા વારંવાર થઇ જાય છે. આ સમસ્યા મારા ફ્રેન્ડને પણ ઘણી પરેશાન કરતી હતી.
આ સમસ્યાને કારણે તેને ક્યાંય ફરવાનું જવાનું પણ પસંદ નહોતું. અનેક ઉપાયો કરવા છતાં તેને રાહત મળી રહી ન હતી. પરંતુ એક દિવસ અમારા પડોશમાં રહેતા એક કાકીએ કહ્યું કે ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે રોજ યોગા કરવા જોઈએ.
અને તેમના કહેવા પ્રમાણે યોગ કરવાથી મારા ફ્રેન્ડની સમસ્યા થોડા દિવસોમાં કાયમી માટે દૂર થઈ ગઈ છે. જો તમે ગેસની આ સમસ્યાથી પરેશાન છો તો યોગને તમારી દિવસનો એક ભાગ બનાવો. કાયમી માટે છુટકારો મેળવવા માટે આ યોગ દરરોજ 2 મિનિટ કરો. તો આવો જાણીએ કયા યોગાસન કરવાથી પેટના ગેસ દૂર થાય છે.
ગેસના લક્ષણો : પેટમાં ગેસ થવાને કારણે છાતીમાં બળતરા, માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને ખાટા ઓડકાર જેવા લક્ષણો જોવા મળે છે. આ સિવાય ઉબકા આવવા, ખોરાક ખાધા પછી પેટ ભરેલું લાગવું અને ખોરાક ના પચવો, ભૂખ ના લાગવી, પેટ ભારે ભારે થવુ જેવી લાગણી થવી. જેના કારણે ક્યાંય બહાર જવું મુશ્કેલ બની જાય છે.
પેટમાં ગેસ થવાના કારણો : ઘણા કારણો છે જેમ કે અનિયમિત જીવનશૈલી, તણાવ, ચિંતા, કસરતનો અભાવ, ફાસ્ટ ફૂડ, ધૂમ્રપાન વગેરે છે. તનાવ, ભય, તણાવ, બેચેની અને ક્રોધને કારણે પાચનક્રિયા માટે જરૂરી પાચક રસનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે અને અપચાની સમસ્યા થાય છે અને અપચાને કારણે પેટમાં ગેસ બને છે.
મરચા-મસાલાવાળો ખોરાક અને તળેલી-શેકેલી વસ્તુઓ વધુ ખાવાથી અને કઠોળ, ફાસ્ટ ફૂડ, બ્રેડ, રાજમા, ચણા, અડદની દાળ અને કેટલાક લોકો દૂધ અથવા ભૂખ કરતાં વધુ ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. આ સિવાય વાસી જમવાથી પણ આ સમસ્યા થાય છે.
સતત તણાવમાં રહેવું, મોડું સૂવું અને સવારે મોડે જાગવું, ખાવા-પીવાનો કોઈ ચોક્કસ સમય ના હોવો. આ ઉપરાંત પિત્તાશયમાં પથરી, ફેટી લીવર, લીવરમાં બળતરા, અલ્સર કે મેદસ્વિતા, ડાયાબિટીસ, અસ્થમા, પેટમાં કૃમિ, વધુ ખાવાથી પેટમાં ગેસ બની શકે છે.
પેટના ગેસથી બચવાના ઉપાય : પેટમાં ગેસની સમસ્યાથી બચવા માટે યોગ એ કાયમી ઉપાય છે, કારણ કે દરરોજ તેના માટે મેડિસિન લેવી શરીર માટે નુકસાનકારક છે અને યોગમાં કોઈપણ પ્રકારની આડઅસર નથી. તમે પવનમુક્તાસન કરીને ગેસની સમસ્યાથી બચી શકો છો. તો ચાલો જાણીએ પવનમુક્તાસન શું છે અને કેવી રીતે કરી શકાય.
પવનમુક્તાસનથી પેટનો ગેસ દૂર કરો : પવન એટલે હવા અને મુક્ત નીકળવું. એટલે કે એવું આસન જે શરીરમાં રહેલી જરૂર કરતા વધારાની હવા એટલે કે ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. તે તમારા શરીરમાંથી હાનિકારક ગેસને દૂર કરવામાં પણ મદદ કરે છે એટલે જ આ યોગને ગેસ રીલીઝિંગ યોગ કહેવામાં આવે છે. આ સિવાય પણ તેના ઘણી બીમારીઓથી બચાવે છે.
પવનમુક્તાસન કેવી રીતે કરવું : આ આસન કરવા માટે સૌથી પહેલા પીઠના બળ પર જમીન પર સૂઈ જાઓ. જમણા પગને ઘૂંટણ પર વાળો અને ઘૂંટણને બંને હાથે પકડીને છાતી તરફ લાવો. પછી માથું જમીનથી ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરો જેથી નાક ઘૂંટણને સ્પર્શ કરી શકે. પરંતુ દબાણ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો.
જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી આ સ્થિતિમાં રહો અને પછી મૂળ સ્થિતિમાં પાછા આવી જાઓ.આ જ ક્રિયા બીજા પગ સાથે પણ કરો. તે પછી છેલ્લે બંને પગ સાથે એકસાથે કરો. જો તમે દિવસમાં બે થી ત્રણ વખત પવનમુક્તાસન કરો છો તો થોડા દિવસોમાં તમે પેટની સમસ્યાઓ કાયમી માટે દૂર કરી શકો છો.
ગેસ રિલિઝિંગ યોગના બીજા ફાયદા : ફેફસાંને સ્વસ્થ રાખે છે અને પેટની ચરબી ઓછી થાય છે. પેટ માટે આ ખૂબ જ સારો યોગ છે અને તેને નિયમિત રીતે કરવાથી તમે પેટની ઘણી સમસ્યાઓથી બચી શકો છો. પેટમાં ગેસ, કબજિયાત અને પેટના ભારેપણુંથી રાહત આપે છે અને એસિડિટી ઘટાડે છે. કરોડરજ્જુને મજબૂત અને લવચીક બનાવે છે અને પાચનતંત્ર સારું થાય છે.
સાવધાની : જો તમને ઘૂંટણનો દુખાવો હોય તો આ આસન કરવાનું ટાળો. જો તમને તમારી પીઠ અથવા ગરદનમાં દુખાવો હોય તો પણ આ આસન ના કરો. જમ્યા પછી તરત જ આ આસન ક્યારેય ના કરો. આ સિવાય ગેસની સમસ્યા દૂર કરવા માટે શશાંકાસન, ભુજંગાસન, ધનુરાસન, માર્કટાસન, વજ્રાસન કરી શકો છો.
જો તમને આ પેટના ગેસની સબંધિત માહિતી ગમી હોય તો, આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આવી જ હેલ્થ ટિપ્સ અને યોગા સબંધિત માહિતી મળતી રહેશે.