આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે યોગા કરવા જોઈએ. યોગા કરવાથી મનને શાંતિ મળી છે. એવા કેટલાક યોગા છે જેને કરવાથી આપણા શરીરને ઘણા બઘા ફાયદા થતા હોય છે, વજન ઘટાડવા માટે, પાચન ક્રિયા સુધારવા માટે પણ ઘણા બધા યોગા કરવામાં આવે છે.

પરંતુ આજે અમે તમને એક એવા યોગ વિષે જણાવીશું જે યોગ કરવાથી કરોડરજ્જુ માટે ખુબ જ ફાયકારક છે. તેવા યોગનું નામ સમકોણાસન છે. જે શરીરને લચીલું બનાવી રાખે છે અને શરીરના દરેક અંગને ફ્લેક્સિબલ બનાવે છે. આ યોગ કરવાથી કરોડરજ્જુ મજબૂત થાય છે.

પરંતુ આપણે યોગા કરવામાં ઘણી સાવચેતીઓ પણ રાખવી જોઈએ. જેથી આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, યોગા કરવા એ આપણા રોજિંદા જીવનમાં સૌથી મહત્વનું છે. જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાની સાથે ઘણી બીમારીમાંથી છુટકાળો મેળવવામાં મદદ કરે છે. માટે આજે અમે તમને સમકોણાસન યોગના ફાયદા વિષે જણાવીશું.

સમકોણાસન યોગનું નામ બે શબ્દ પરથી બન્યો છે, સમકોણ અને આસાન, આ યોગાસન શરીરની 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. માટે આ યોગ કરવાથી કમરના થતા દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

સમકોણાસન યોગ કરવાની રીત: સૌથી પહેલા યોગા કરવા માટે મેટ જમીન પર પાથરો, ત્યાર પછી સીઘા ઉભા રહો અને બંને હાથને ઉપરની તરફ સીઘા કરો, હવે શરીરને કમરના ભાગથી વાળીને 90 ડિગ્રી સુઘી નમાડવાનું છે, ઘ્યાન રાખવું કે કમરનો ભાગ વાળતી વખતે ઘુંટણ વળવા ના જોઈએ, અને બંને હાથને સીઘા જ રાખવાના છે.

આ સમયે આંખો નીચે તરફ રાખવાની છે. આ યોગા કરતી વખતે શ્વાસને ઊંડો ખેંચવાનો છે અને પછી ઘીરે ઘીરે બહાર નીકાળવાનો છે. 1 મિનિટ સુઘી સ્થિતિમાં રહેવાનું છે, ત્યાર પછી સામાન્ય સ્થતિમાં આવી જવું અને પછી ફરીથી આ યોગા આ રીતે કરવો, આ યોગ એક દિવસમાં પાંચ મિનિટ કરવાનો છે.

આ યોગાસન કરવાથી કરોડરજ્જુને ફલેસિબલ બનાવે છે જેથી કમરના નીચેના ભાગમાં થતા દુખાવાને દૂર કરી શકાય છે અને કમરનો નીચેનો ભાગ મજબૂત બને છે જેથી કમરના દુખાવા માં પણ રાહત થાય છે. આ યોગ એવો છે જેમાં શરીરના બઘા સ્નાયુઓ મજબુત થાય છે,

આ ઉપરાંત સ્નાયુના થતા દુખાવામાં પણ રાહત આપશે. આ યોગ કરવાથી શરીરનો આકારમાં સુધારો થાય છે, જેથી શરીર આકારમાં આવી જાય છે અને શરીરનું સંતુલન પણ જાળવી રાખે છે. અયોગ્ય કરવાથી શરીરમાં થાક લાગવાની સમસ્યા હોય તો તેને પણ દૂર કરવામાં મદદ કરે છે.

સમકોણાસન યોગ કરતી વખતે રાખવી આ સાવચેતી: પગમાં કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય તો આ યોગા કરવો યોગ્ય નથી. ગર્ભવતી મહિલાઓએ આ યોગ ના કરવો જોઈએ, ઘૂટણમાં કોઈ પણ પ્રકારનો દુખાવો રહેતો હોય તો આ યોગા કરવામાં સાવચેતી રાખવી જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *