આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે સૂકા મેવા ખુબ જ લાભફાયક છે. સૂકા મેવા ઘણા બઘા આવે છે જેમાં બદામ, અંજીર, પિસ્તા, અખરોટ, કિસમિસ વગેરે. આ બધા ડ્રાયફૂટ્સ આપણા શરીરના બંધારણ ને મજબુત બનાવે છે. જેનું રોજે સેવન કરવાથી આપણું શરીર તાકાતવર બને છે.

સૂકા મેવામાં ઘણા બધા પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે, જેમ કે, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-ઈ, મેગ્નેશિયમ, ફાયબર જેવા અનેક ખનીજ તત્વો મળી આવે છે. જે આપણા શરીરમાં પોષક તત્વોની કમીને પૂર્ણ કરે છે.

આપણું શરીર સ્વસ્થ રહે તે માટે આપણે હંમેશા યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ, સાથે આપણે દિવસની શરૂઆત એમાં કેટલીક હળવી કસરત અને યોગા નો સમાવેશ પણ કરવો જોઈએ. જેથી સવારથી જ આપણા શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને કોઈ પણ કામ કરવામાં મન લાગેલું રહે છે. હવે સુકામેવા ખાવાના ફાયદા વિષે જણાવીશું.

બદામ: બદામ માં કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. બદામને 8 કલાક પાણીમાં પલાળીયા પછી જ સેવન કરવું જોઈએ. બદામનુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. મગજની કાર્ય ક્ષમતા માં વધારો કરે છે જેથી આપણી યાદશક્તિ પણ વધે છે. માટે નાના બાળકો માટે બદામ ખુબ જ ફાયદાકારક છે. બદામ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કેન્સરના જોખમને ઘટાડે છે.

અંજીર: રોજે અંજીરનું સેવન કરવાથી માથાના દુખાવા થવાનું ખુબ જ ઓછું થઈ જાય છે. કમરના દુખાવા દૂર કરવા માટે આ ડ્રાયફૂટ ખુબ જ સારું પરિણામ આપશે. પેટને લગતી સમસ્યા જેવી કે કબજિયાતને કાયમી દૂર કરવા માટે અંજીરને આહારમાં સમાવેશ કરવો જોઈએ.

કિસમિસ: કિસમિસમાં લોહતત્વ થી ભરપૂર છે જેમાં આયર્નનો મુખ્ય સ્ત્રોત મળી આવે છે. લોહીની કમી, થાક અને નબળાઈ કિસમિસ ના સેવનથી દૂર થાય છે. રોજે કિસમિસનું સેવન કરવાથી ડાયજેશન સિસ્ટમને સુધારે છે. જેથી આપણી પાચનક્રિયા મજબૂત થાય છે. કિસમિસ નું સેવન હાડકાને મજબૂત બનાવે છે. લોહીને શુદ્ધ કરવા અને લોહીને વધારવા કિસમિસ ખાવી જોઈએ.

પિસ્તા: પિસ્તામાં સારી માત્રામાં પ્રોટીનનો ખજાનો મળી આવે છે. જે શરીરં પ્રોટીનની કમીને પૂર્ણ કરે છે, વજન ધટાડવા માટે પિસ્તા ખાવા જોઈએ જેથી વજન કંટ્રોલમાં લાવી શકાય છે. રોજે પિસ્તાનું સેવન કરવાથી ત્વચા સંબધિત સમસ્યા દૂર થાય છે અને ત્વચા માં નિખાર આવે છે. જેથી ચહેરો સુંદર દેખાવા લાગે છે.

અખરોટ: અખરોટ મગજ આકારનું હોય છે જે આપણા મગજની યાદશક્તિને વધારવામાં મદદ કરે છે. રોજે અખરોટ ખાવાથી વિચારોમાં વૃદ્ધિ થાય છે અને મગજ કોમ્પ્યુટર જેવું તેજ બને છે. માટે રોજે એક અખરોટને 6 કલાક પલાળીને ખાવાના છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ વધારવામાં મદદ કરશે.

પોષક તત્વોથી ભરપૂર આ બઘા સુકામેવા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે આ માટે આપણે સુકામેવાને થોડી થોડી માત્રામાં સેવન કરવાનું છે, જેમ કે, બદામ 4-5 ખાવી, કિસમિસ 10 દાણા ખાવા, અંજીર ના 2 ખાવા, અખરોટ 1 ખાવી, પિસ્તા 4-5 ખાવા આટલી માત્રામાં સુકામેવાનું સેવન કરવું જોઈએ,

આ બધા સૂકા મેવા 6-8 કલાક પલાળીને ખાવા જોઈએ જેથી તેના સૌથી વધારે ફાયદાઓ જોવા મળશે. બાળકોના સારા વિકાસ માટે સૂકા મેવા ખવડાવવા જોઈએ જેથી બાળકોના વિકાસમાં વૃદ્ધિ થાય. નાના મોટા દરેક વ્યક્તિએ સૂકા મેવા ખાવા જોઈએ જે લાંબા સમય સુધી શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *