જો તમારા ઘરમાં ફ્રીજ છે, તો તમે તેમાં શાકભાજી અને ફળો તો એમાં રાખતા જ હશો. પરંતુ કેટલીક વસ્તુઓને ફ્રીજમાં રાખતા પહેલા તમારે કેટલીક બાબતો જાણવી જ જોઈએ. એવી ઘણી વસ્તુઓ છે જે ફ્રીજમાં રાખવામાં આવે તો બગડી શકે છે અને તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ .

જો તમે કોફી પીવાના શોખીન છો, તો તમારે કોફી પાઉડરને ફ્રીજમાં ક્યારેય ન રાખવો જોઈએ. આ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે કોફી પાઉડરને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે, ત્યારે કોફીનો સ્વાદ, કુદરતી ગુણધર્મો અને ગંધ બંને નાશ પામે છે. કેફીન ચાના પાંદડાની જેમ કોફીમાં જોવા મળે છે, તેથી તેને બહાર રાખવું જોઈએ .

ફ્રિજમાં તેલ ક્યારેય ન રાખવું જોઈએ. ફ્રીજમાં રાખવામાં આવે તો તે ઘટ્ટ થઈ જાય છે અને તેના તમામ પ્રાકૃતિક ગુણધર્મો નાશ પામે છે. તેથી તેલને ઘરના સામાન્ય તાપમાને રાખવું જોઈએ .

ડુંગળીને ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઈએ. ખાસ કરીને સમારેલી ડુંગળી. જ્યારે ડુંગળીને ફ્રિજમાં રાખવામાં આવે છે, ત્યારે તેની અંદરની ભેજ સમાપ્ત થઈ જાય છે અને ડુંગળીમાં જોવા મળતો રસ ઠંડો થયા પછી તેના કુદરતી ગુણો ગુમાવે છે.

બટાકામાં પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ જોવા મળે છે, બટાકાને ફ્રીજમાં રાખવાથી સ્ટાર્ચ સુગરના રૂપમાં તૂટી જવા લાગે છે, જેના કારણે તે મીઠી બનવા લાગે છે અને તે બેસ્વાદ બની જાય છે. ફ્રિજમાં રાખેલા બટાકાનું સેવન કરવાથી પેટમાં દુખાવો થઈ શકે છે.

ટામેટાં હંમેશા સામાન્ય તાપમાને રાખવા જોઈએ. જ્યારે રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે, ત્યારે ટામેટાંની કુદરતી પાકવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે અને બરફના કણો તેની અંદર જમા થવા લાગે છે, જેનાથી ટામેટાંનો કુદરતી સ્વાદ સમાપ્ત થઈ જાય છે .

મધને ઘરના સામાન્ય તાપમાને રાખવું જોઈએ અને ફ્રિજના ઠંડા તાપમાનમાં નહીં. જો મધને બહાર રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી પણ બગડતું નથી. તેને રેફ્રિજરેટરમાં રાખવાથી મધ ખાંડની જેમ જામવા લાગે છે .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *