અત્યારના લોકો મોંઘા અને નુકશાન કરનાર ઠંડા પીણાનો ઉપયોગ વધુ કરતા જાય છે અને દેશી ઔષધિથી બનતા પીણા પીવાનું ભૂલતા જાય છે. વધુ પડતા ઠંડા પીણાનો ઉપયોગ અનેક બીમારીઓનો ભોગ બને છે. પહેલાના જમાનામાં વડીલો ઠંડા પદાર્થોમાં કુદરતી રીતે મળતા પીણાનો ઉપયોગ કરતા હતા એટલા માટે તેઓ લાબું અને નિરોગી જીવન જીવી શકતા હતા.

આપણા વડીલો શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે ઠંડા પીણામાં તકમરિયા, લીંબુનું સરબત, ફુદીનાની ચા વગેરેનો ઉપયોગ કરતા હતા. તકમરિયા વિશેનો ઉલ્લેખ આયુર્વેદમાં કરવામાં આવ્યો છે. તકમરિયાનો છોડ તુલસીના છોડ જેવો જોવા મળે છે. તકમરિયામાં તુલસીની મંજરીની જેમ ફૂલ અને તેમાં બીજ આવે છે, જેને તકમરિયા તરીકે આપણે ઓળખીએ છીએ.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તકમરિયા નાના મોટા ઘણા રોગોને મટાડી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં તકમરિયા પ્રાચીન સમયથી જોવા મળે છે જેનો વર્ષોથી ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવી છે. તકમરિયાના ફૂલ થોડા રતાશ પડતા હોય છે અને તેના બીજ કાળા હોય છે.

તકમરિયા સ્વાદે તીખા, કડવા, તૂરા તથા ગરમ હોય છે. તકમરિયા એ મૃત્યુ સિવાય બધા જ રોગોની દવા છે એવું પણ કહેવાય છે. તકમરિયા ગુણમાં શીતળ હોય છે. તકમરિયા તાવ મટાડનાર અને વાતહર છે. તમને જણાવી દઈએ કે તકમરિયાના બીજમાં સેપોનીન નામનો પદાર્થ હોય છે.

પેશાબ લાવવું, સ્ખલન અટકાવવું, માસિકનો દુખાવો ઘટાડવો વગેરે સમસ્યાનો ઈલાજ તકમરિયા દ્વારા થઇ શકે છે. તકમરિયાનો આહાર માં સામેલ કરવાથી કબજીયાત જેવી સમસ્યા દૂર થાય છે અને પેટ ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ સાથે તે પાચન શક્તિ પણ મજબૂત બનાવે છે.

તકમરિયાનો ઉપયોગ ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઉનાળામાં તકમરીયાનું જ્યુસ બનાવીને પી શકાય છે. તકમરિયાના બીજને પલાળીને તેનો જ્યુસ બનાવીને પીવાથી શરીરને ઠંડક મળે છે, તેમજ લૂ પણ લાગતી નથી. તકમરીયા માં ફાઇબર રહેલું હોય છે જે પાચન તંત્ર સુધારવામાં મદદ કરે છે અને પાચન ક્રિયા ઝડપી થાય છે.

તકમરીયા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. તકમરીયા ફાઇબર સાથે પ્રોટીનથી પણ ભરપૂર હોય છે જે શરીરમાં ઉર્જા ઉત્પન કરે છે. આ સાથે તે વિવિધ વિટામિન્સ અને મિનરલ્સથી પણ ભરપૂર હોય છે.

એક અભ્યાસ પ્રમાણે તકમરીયા ના રોજિંદા વપરાશની કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ વગર તમારી પરફોર્મન્સમાં સુધારો આવે છે.  તકમરીયા માં રહેલ પ્રોટીનને કારણે ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. તકમરીયા લોહીમાં ફેટ અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર નું રિસ્ક ઘટે છે.

દરરોજ એક થી બે ચમચી તકમરીયા ખાવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જે લોકો વજન ઘટાડવા નવા નવા પ્રયોગો કરે છે તે લોકો માટે રોજિંદા જીવનમાં તકમરીયા નો સમાવેશ કરવો એ ફાયકારક સાબિત થાય છે.

તકમરીયામાં ખૂબ પ્રમાણમાં ફાઈબર હોવાથી તકમરીયા ને પાણીમાં ભીંજવતા તે જેલવાળા બી માં પરિવર્તિત થાય છે. જે આકાર અને વજનમાં પણ વધે છે. તેનાથી પેટ જલ્દી ભરાય છે અને ઓછું ખવાય છે. તકમરીયા નો સમાવેશ સલાડ, સૂપ કે કોઈ શાકભાજી સાથે ભેળવીને રોજિંદા જીવનના ખોરાકમા કરી શકાય છે.

તકમરિયામાં ઓમેગા-૩ એસિડ રહેલું હોય છે જે ત્વચાની સમસ્યાને નિવારી ને ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે. તકમરીયા હૃદય માટે પણ ફાયદાકારક હોય છે. તકમરિયામાં રહેલા ઓમેગા-3 અને ઓમેગા-6 એસિડ થી લોહીમાં સારા કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે અને ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે.

તકમરીયામાં રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખવાની સાથે તે હૃદયના રોગો અને સ્ટ્રોકના ખતરાને પણ ઘટાડે છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *