આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

વજન ઘટાડવા માટે રોજે કેટલીક કસરત અને યોગા કરવા જોઈએ આ સાથે એવા કેટલાક ખોરાક ખાવા જોઈએ જેની મદદથી વજન ધટાડવામાં મદદ મેળવી શકાય છે. વજન ઓછું કરવા માટે લોકો જિમ માં ખુબ જ પરસેવો પાડતા હોય છે. પરંતુ તેમ છતાં જોઈએ તેટલું વજન ઓછું કરી શકતા નથી.

જો તમે વજન ધટાડવા માંગતા હોય તો આજે અમે તમને વજન ઓછું કરવા માટેના કેટલાક ખોરાક વિષે જણાવીશું જે ખોરાકને આહારમાં સમાવેશ કરીને વજન ને નિયત્રંણમાં લાવી શકાય છે. વજન ઓછું કરવા માટે ફાયબર અને પ્રોટીન થી ભરપૂર ખોરાક ખાવો જોઈએ.

ફાયબર અને પ્રોટીનથી ભરપૂર પોષક તત્વો યુક્ત ખોરાક ખાવાથી મેટાબોલિઝમમાં વધારો થાય છે અને ચરબીને ઓછી કરી શરીરના આકારને સુધારે છે. ફાયબર અને પ્રોટીન યુક્ત ખોરાક ખાવાથી પેટ ભરેલું લાગે છે જેથી ભૂખ ઓછી લાગે છે અને વજન સરળતાથી ઓછું થાય છે.

વજન ઓછું કરવું ખુબ જ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. માટે જો તમે રોજિંદા જીવનમાં શારીરિક પરિશ્રમ ની સાથે આ વસ્તુને આહારમાં સમાવેશ કરશો તો ચોક્કસ વજન નિયત્રંણમાં રહેશે. તો ચાલો વજન ઓછું કરવા ક્યાં ખોરાક ખાવા તેના વિષે જણાવીશું.

જો તમને પણ અવારનવાર ખાવાની ઈચ્છા થતી હોય તો બહારના ફાસ્ટફૂડ નું સેવન કરવાનું છોડી તે સમયે બદામ ખાવાની ચાલુ કરો, બદામમાં ફાયબર અને પ્રોટીન ખુબ જ સારી માત્રામાં મળી આવે છે ભૂખને શાંત કરે છે અને પેટને ભરેલું રાખે છે જેથી વજન ઓછું નિયત્રંણમાં રહે છે.

લીલા શાક્ભાજી ખાવા જોઈએ. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. તેમાં પાલક અને બ્રોકોલી ફાયબર અને પ્રોટીનનો ખજાનો છે સાથે તેમાં વિટામિન-સી આયર્ન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે તેમ કેલરીનું પ્રમાણ નહિવત હોય છે જે વજન ને વધતા રોકે છે.

કઠોળ આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. ડોક્ટર અને નિષ્ણાત પણ કઠોળ ખાવાની સલાહ આપે છે. તેમાં સારી માત્તરમાં પ્રોટીન અને ફાયબર હોય છે, જે પચવામાં ખુબ જ આસાન છે, માટે કઠોળમાં દેશી ચણા અથવા મગ અને મગનું પાણીનો સમાવેશ કરવો જોઈએ જે ચરબીને ઓછી કરી વજન ને ઓછું કરવામાં મદદ કરશે.

વજન ઓછું કરવાનું વિચારી રહ્યા હોય તો નારિયેળ પાણીનો સમાવેશ કરી શકાય છે. તેમાં ફાયબર સારી માત્રામાં હોય છે. તે વજન ઓછું કરવામાં અસરકારક છે. તે હૃદય અને લીવરને પણ સ્વસ્થ અને હેલ્ધી રાખે છે.

ફાયબર અને પ્રોટીન થી ભરપૂર એવા ઈંડા નો પણ તમે સવારના નસ્તામાં સમાવેશ કરી શકો છો, જે વજન ઓછું કરવાની સાથે વાળના સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું છે. તેનું નિયમિત સેવન કરવાથી ચરબી વધતી નથી અને વજન નિયત્રંણમાં રહે છે.

જો તમે પણ વજન ઓછું કરવામાં માટે જિમ માં વધુ પૈસા ખર્ચીને પરસેવો પાડો છો અને વજન ઓછું નથી થતું તો રોજિંદા આહારમાં આ વસ્તુઓ ખાવાની ચાલુ કરો અને બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન કરવાનું ટાળો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *