આજે ઘણા એવા લોકો છે જેમની અનિયમિત ખાવાની જીવન શૈલી હોવાના કારણે તે વ્યક્તિ વજન વધારે હોવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. આજના સમયમાં વજન વધારે હોવાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે.
ઘણા એવા લોકો પણ હોય છે જે વજન વધે છે તો પણ તેને કંટ્રોલ કરવાનું વિચારતા હોતા નથી જેના કારણે તે વ્યક્તિને લાંબા ગાળે ઘણી બધી બીમારીઓ નો સામનો કરવો પડતો હોય છે, જયારે આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ તે ખોરાક સારી રીતે ના પચવાના કારણે તે ચરબીમાં રૂપાતંર થઈ જાય છે.
પરિણામે ચરબી પેટના ભાગમાં તો વધે જ છે આ સાથે સાથરના ભાગમાં પણ વધતી જોવા મળે છે, આ ચરબીને ઓગાળવા માટે આપણે રોજિંદા જીવનમાં કેટલાક ફેરફાર પણ કરવા જોઈએ, પરંતુ ફેરફાર ના કરવાના કારણે ચરબી વધે છે અને વજનની સાથે બીમારીઓ નું જોખમ પણ વધ્યા કરે છે.
વધારે ચરબી અને વજન હોવાના કારણે ઘણા લોકો જિમ માં કસરત કરવા જતા હોય છે આ ઉપરાંત ઘણા લોકો યોગા કરતા હોય, વોકિંગ અને જોગિંગ કરતા હોય કે ઘણા લોકો ખાવાનું પણ ઓછું કરીને ઉપવાસ પર ઉતરી જતા હોય છે.
પરંતુ તમને જણાવી દઉં કે ખાવાનું બંધ કરવાથી વજન ઓછું થશે નહીં પરુ જો તમે ખાવામાં પૂરતું ધ્યાન આપશો તો ચોક્કસ વજન ને ઓછું કરી શકો છો. જો તમે વજન વધારે હોવાના કારણે ખુબ જ પરેશાન હોય તો રોજિંદા આહારમાં નારિયેળ પાણીનો સમાવેશ કરી શકો છો.
એમાં ખુબ જ સારી માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ મળી આવે છે જે ફળો કરતા વધુ નારિયેળ પાણીમાં હોય છે. નારિયેળ પાણીમાં ખુબ જ ઓછી માત્રામાં કેલરી હોય છે જેથી વજન વધતું નથી. નારિયેળ પાણીમાં ફાયબર નું પ્રમાણ ખુબ જ હોય છે જેથી એને પીવાથી પેટ ભરેલું હોય તેવું લાગે છે,
જેથી ખોરાક ખાવાની ઈચ્છા પણ ખુબ જ ઓછી રહેતી હોય છે. આ માટે જો તમે વજન ને ઘટાડવા માંગતા હોય તો નારિયેળ પીવાનું થોડા દિવસ ચાલુ કરી દો, જે વધી ગયેલ ચરબીને ઓગળવામાં મદદ કરશે અને વજન ને ઓછું કરવામાં મદદ કરશે.
તમને જણાવી દઉં કે નારિયેળ પાણી પીવાથી માત્ર વજન ઓછું નથી થતું આ સિવાય પણ અનેક ઘણા ફાયદાઓ પણ થાય છે. નારિયેળ પાણીમાં કુદરતી રીતે ઘણા પોષક તત્વો મળી આવે છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખે છે અને અને રોગો સામે લડવાની ક્ષમતામાં વઘારો કરે છે.
જો તમે હૃદય ને લગતી બીમારીથી પીડિત છો તો નારિયેળ પાણી પીવાથી તે બીમારીઓમાં ઘણી રાહત મળે છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. અવાર નવાર બ્લડપ્રેશર વધ ઘટ થયા કરે છે તો આ નારિયળ પાણી પીવાથી બ્લડપ્રેશર નિયત્રંણમાં રાખવામાં મદદ કરે છે.
શરીરમાં મોટાભાગના કોઈ પણ રોગો પેટના કારણે થતા હોય છે. જયારે પેટ ખરાબ થાય છે પાચનક્રિયા મંદ પડી જાય છે આ માટે જો નારિયેળ પાણી પીવો છો તો મંદ પડી ગયેલ પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને પેટને ખરાબ થતા અટકાવે છે. જેથી તમે એકદમ ફ્રેશ અને ફિટ મહેસુસ કરશો.