હાલના ટેક્નોલોજી યુગમાં દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યુ બની ગયું છે. જેમાં વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે સમય નીકાળી નથી શકતો. વ્યક્તિનું જીવન બેઠાળુ થઈ જવાના કારણે અનેક બીમારી શરીરમાં આવી શકે છે. ઘણી બઘી બીમારીમાં આપણે કેટલાક ઘરેલુ ઉપાય કરીને બીમારીમાં રાહત મેળવી શકીએ છીએ.

પરંતુ જો આપણે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે કેટલાક નિયમોનું યોગ્ય રીતે પાલન કરીશું તો આપણે લાંબા સમય સુઘી સ્વસ્થ અને નિરોગી રહીશું. જો તમે આ નિયમોને રોજિંદા જીવન માં સમાવેશ કરી લેશો તો તમે 50 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ રહેશો. તો ચાલો જાણીએ નિયમો વિષે.

સૂર્યાસ્ત પહેલા ઉઠી જવું: ઘણા લોકોને સવારે વહેલા ઉઠવામાં ખુબ જ આળસ આવતી હોય છે. પરંતુ જો તમે સૂર્ય ઉગે તે પહેલા ઉઠી જાઓ તો શરીર હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. માટે આળસને છોડીને આ પહેલા નિયમનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

એક ગ્લાસ નવશેકું પાણી પીવું: રોજ સવારે ઉઠીને એક ગ્લાસ પાણીને નવશેકું ગરમ કરીને પી જવાનું છે. જેથી આપણા શરીરમાં લીવર, કિડની પેટની સમસ્યા, ફેફસા, હૃદય, પેશાબ ને લગતી બીમારી કયારેય નહીં થાય.

સૂર્ય નમસ્કાર કરવો: સવારે ઉઠીને 5-10 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરના દરેક અંગોને યોગ્ય કસરત મળી રહે છે. જેથી શરીરમાં તાજગી અને ભરપૂર એનર્જી મળી રહે છે. આ ઉપરાંત 15 મિનિટ યોગા અને કસરત પણ કરવા જોઈએ.

દાતણ થી મોં સાફ કરવું: જો તમે મોં ને સાફ કરવા માટે ટુથપેસ્ટનો ઉપયોગ કરો છો તો તેનો ઉપયોગ કરવા કરતા લીમડાનું દાતણ અને બાવળના દાતણનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તેની કડવાશથી મોં માં રહેલ બઘા કીટાણુઓ નાશ પામે છે જેથી દાંતમાં સડો અને દુખાવાની સમસ્યા રહેતી નથી.

સવારે અને સાંજે ચાલવું: રોજે 40 મિનિટ ચાલવું જોઈએ. સવારે ઉઠીને 20 મિનિટ અને સાંજે જમ્યાના 30 મિનિટ પછી 20 મિનિટ ચાલવું જોઈએ. સવારે ચાલવાથી આપણા શરીરને શુદ્ધ ઓક્સિજન મળી રહે છે જેથી આપણા ફેફસા સ્વચ્છ અને મજબૂત રહે છે. સાંજે જમ્યા પછી ચાલવાથી આપણી પાચનક્રિયાને ઝડપી બનાવીને ખોરાકને પચાવવાનું કામ કરે છે.

સવારનો નાસ્તો: સવારે નાસ્તામાં પૌષ્ટિક આહાર લેવો જોઈએ. સવારે નાસ્તામાં ફણગાવેલ કઠોળનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત સવારે મગનું પાણી પીવું શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ફણગાવેલ કઠોળ ખાવાથી આપણી પાચનશક્તિ સ્ટ્રોંગ થાય છે અને શરીર મજબૂત થાય છે.

બહારનો ખોરાક ખાવાનું ટાળવું: આજના સમયમાં મોટાભાગના લોકો બહારના ફાસ્ટફૂડ અને જંકફૂડનું સેવન કરતા હોય છે જે વઘારે તળેલું તીખું અને મસાલેદાર હોય છે. જેથી ગેસ, અપચો, કબજિયાત, એસીડીટી થઈ શકે છે. માટે બહારનો ખોરાક ખાવાનું બંઘ કરી દેવું જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને હેલ્ધી રહે છે.

રાત્રે મોડું ના જમવું: ઘણા લોકોને રાત્રે મોડા જમવાની ટેવ હોય છે. પરંતુ રાત્રીના સમયે 7:30 -8 વાગ્યા સુઘીમાં ભોજન કરી લેવું જોઈએ. જેથી ખોરાક પચવામાં 2 કલાકનો સમય મળી રહે. રાત્રિનું ભોજન હંમેશા હળવું જ લેવું જોઈએ. જેથી ખોરાક સરળતાથી પચી જાય.

જમ્યાના પછી તરત ઘણા લોકોને પાણી પીવાની ટેવ હોય છે જમ્યા પછી તરત પાણી પીવાથી આપણી પાચનક્રિયા મંદ પડી જાય છે. માટે જમ્યાના 45 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ. જમ્યા પછી ક્યારેય ઊંઘવું ના જોઈએ. કારણકે જમ્યા પછી તરત સુઈ જવાથી ખોરાક પચવામાં ખુબ જ સમય લાગે છે અને ઘણી વખત ખોરાક પચતો પણ નથી. માટે જમ્યા પછી તરત સુવાની ટેવ છોડી દેવી જોઈએ.

જમ્યાં પછી ઘણા લોકોને તમાકુ, સિગરેટ, મસાલા, દારૂ જેવી વસ્તુઓનું સેવન કયારેય ના કરવું જોઈએ. બપોરે કે રાત્રીનું ભોજન કયારેય પેટ ભરીને ના જમવું જોઈએ. દિવસમાં એક વખત લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી રહે અને આપણા ફેફસા, લીવર, કિડની અને આંતરડા પણ સાફ રહે.

કયારેય ફ્રિજમાં રહેલ ઠંડા પીણાં, કોલ્ડ્રીંકનું સેવન ના કરવું જોઈએ. જો તમે આ નિયમોને રોજિંદા જીવનમાં અપનાવી લેશો તો તમે 50 વર્ષની ઉંમર પછી પણ ક્યારેય બીમાર નહીં પડો. 50 વર્ષની ઉંમર પછી પણ સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી રહેવું હોય તો આ નિયમો જરૂર જીવનમાં અપનાવવા જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *