આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શિયાળાની શરૂઆત થતાં જ વ્યક્તિના શરીરમાં આળસ પ્રવેશી જાય છે સાથે સાથે પાણી ઓછું પીવાને કારણે ડીહાઇડ્રેશન ની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો જણાવે છે કે શિયાળાની ઋતુમાં અમુક વસ્તુઓ આપણા ભોજનમાં સામેલ કરવી જોઈએ.

જેથી શરીરમાં પાણીની કમી રહેશે નહીં અને તમે આસાનીથી ઘણી નાની મોટી બીમારીઓથી દૂર રહી શકો છો. આ બધી વસ્તુઓ શિયાળામાં આપણને એનર્જી આપવાનું પણ કામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. જે વાયરલ રોગોના શિકારથી બચાવે છે.

શિયાળામાં લીલા પાંદડા વાળા શાકભાજી ખાવા જોઈએ, તેમાં ભરપૂર માત્રા પોષક તત્વો મળી આવે છે. જે શરીરને પૂરતું પોષણ પૂરું પાડશે. જો તમે આખો શિયાળો લીલા પાંદડા વાળા શાકભાજી ખાસો તો નાઈ મોટી અનેક બીમારીઓ શરીર થી દૂર રહેશે.

પપૈયું સામાન્ય રીતે આપણને દરેક ઋતુમાં મળી આવે છે. પપૈયું સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે તે શરીરની ઘણી બીમારીઓ દૂર કરવાની તાકાત ધરાવે છે. પપૈયાને તમે આસાનીથી તમારા બ્રેકફાસ્ટ માં શામેલ કરી શકો છો. પપૈયું હૃદયરોગ માટે પણ ફાયદાકાર છે. હૃદયરોગ કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં કરીને તમને હૃદયરોગ થી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

સામાન્ય રીતે મોટાભાગના લોકો ગરમ પાણી પીવાની સલાહ આપતા હોય છે. કારણ કે ગરમ પાણીનું સેવન કરવાથી શરીરમાં જામી ગયેલો બધો જ કચરો બહાર નીકળી જાય છે અને પેટ પણ એકદમ સાફ થઈ જાય છે. તેથી તમારે દરરોજ સવારે ઊઠીને ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને સેવન કરવું જોઈએ.

ગરમ પાણી પીવાથી કફની સમસ્યાથી પણ રાહત થાય છે. દરરોજ સવારે ઊઠીને ગરમ પાણી પીવાથી શરીર એકદમ મજબૂત બની જાય છે અને વજન વધુ હોય તો વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો ઓટમીલ ને પણ સમાવેશ કરો. તમને જણાવીએ કે ઓટમીલ માં એવા ઘણા પોષક તત્વો હોય છે, જે પેટને લાંબા સમય સુઘી ભરેલું રાખવામાં મદદ કરે છે જેથી તમને ભૂખ ઓછી લાગે છે અને બીજું કઈ વઘારાનું ખાવાનું મન થતું નથી. જે વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

મેથીના દાણામાં ફોલિક એસિડ, કેરોટીન, કોપર, જસત, સોડિયમ અને મેગ્નેશિયમ પોષક તત્વો રહેલા છે. મેથી હાડકાને લગતી સમસ્યાઓ જેવી કે સંધીવાં અને સાયટિકામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.

મેથીનું સેવન કરવાથી લોહીના દબાણ, લોહીનું શુદ્ધિકરણ, પેટમાં ગેસની સમસ્યા, ડાયાબીટીસ, વાળ અને ચામડી, વજન ઘટાડવા પણ ઉપયોગી સાબિત થાય છે. પલાળેલી મેથી અને કલોંજી આંખોની રોશનીને તેજ બનાવે છે અને મોતિયાની સારવારમાં પણ મદદરૂપ બને છે

સામાન્ય રીતે બદામને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે પલાળેલી બદામ ખાવાથી વધુ ફાયદો થાય છે. જો તમે બદામને પલાળીને ખાવ છો તો તેની છાલ નીકળી જાય છે અને શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી પૂરી કરીશ શકાય છે. જો તમે શિયાળાની ઋતુમાં બદામને પલાળીને ખાવ છો તો તમે સારા પરિણામ પ્રાપ્ત કરી શકો છો.

બદામની જેમ અખરોટનું સેવન પણ શરીર માટે ફાયદાકારક છે. તમને જણાવીએ કે અખરોટમાં એવા ગુણો મળી આવે છે, જે તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર કરે છે અને શરીરને પોષકતત્ત્વોથી ભરપુર બનાવે છે. તેથી તમારે દિવસની શરૂઆત પલાળેલી અખરોટથી કરવી જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *