વ્યક્તિની ભાગદોડ ભરી જીવન શૈલીમાં પોતાના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન આપી શકતા નથી. જેના પરિણામે વ્યક્તિને ઘણી બધી બીમારીઓના શિકાર બનતા હોય છે. આ માટે વાતાવરણમાં થતા બદલાવમાં આહારમાં લેવામાં પૂરતું ઘ્યાન આપવું જોઈએ.
શરીરમાં કોઈ પણ જીવાણુઓ કે બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે ત્યારે શરીરમાં ઈન્ફેક્શન અને વાયરલ બીમારીઓ થતી હોય છે. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે જેના પરિણામે કમજોરી અને અશક્તિ આવી જતી હોય છે.
આવા સમયમાં રોગપ્રતિકારક શક્તિને વઘારવા માટે આ ફળોનો પણ સમાવેશ કરી શક્ય છે, જો તમે નિયમિત પણે આ એક ફળનું નિયમિત પણે સેવન કરશો તો શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી મળશે અને શરીરને અનેક રોગોથી બચાવી રાખશે.
સફરજન ખાવું: વર્ષોથી આપણા દાદા અને પરદાદા ઉપરાંત ડોકટરો અને નિષ્ણાતો પણ કહેતા આવ્યા છે કે જે વ્યક્તિ રોજે એક સફરજન ખાઈ લે છે તેમના શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ પ્રવેશ થતો નથી, તેમનું શરીર સ્વસ્થ અને મજબૂત રહે છે.
સફરજનમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જે શરીરમાં લોહીની કમી હોય તો તેને પણ પૂર્ણ કરવાનું કામ કરે છે, આ સિવાય શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખી અનેક રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. આ માટે રોજે એક સફરજન ખાવાનું શરુ કરું દો જે 70 વર્ષની ઉંમરે પણ શરીરને નિરોગી અને પથ્થર જેવું મજબૂત બનાવી રાખવામાં મદદ કરશે.
ખાટા ફળો ખાઈ શકાય: શરીરમાં વઘતા ઈન્ફેક્શન અને બેક્ટેરિયલ નો નાશ કરવા માટે ખાટા ફળો ખાઈ શકાય છે, જે કીટાણુઓ અને બેક્ટેરિયલને વધતા અટકાવી તેનો નાશ કરશે છે અને શરીરમાં એનાથી થતા રોગો સામે રક્ષણ આપે છે.
ખાટા ફળોમાં કીવી, લીંબુ,, મોસંબી જેવા ફળો નો પણ સમાવેશ કરી શકો છો, જેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન, વિટામિન-એ, ફાયબર, પ્રોટીન, પોટેશિયમ જેવા તત્વો પણ મળી આવે છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે.
જો તમે પણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માંગો છો તો રોજે સવારે બાફેલા મગ અને તેનું પાણી પીવું જોઈએ જે શરીરને ભરપૂર એનર્જી અને ઉર્જા પ્રદાન કરે છે જે અનેક રોગો સામે લડીને ઈમ્યુનિટીને વઘારે છે.
આ ફળોનું સેવન કરવાથી કુદરતી રીતે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધશે અને 100 થી વધુ બીમારીઓ સામે લડી તેને દૂર કરશે, શરીરને લાંબા સમય સુધી સ્વાસ્ત્થ અને નિરોગી રાખવું હોય તો જરૂર આ એક ફળનું સેવન કરવું જોઈએ.