આજના સમયમાં વ્યક્તિની કેટલીક ખોટી આદતો અને ખોટી જીવન શૈલીના કારણે કમરના દુખાવા,, સાંઘાના દુખાવા, ઘુંટણ ના દુખાવા જેવી તકલીફો ઘણી વઘી ગઈ છે. તેમાં ઘુંટણ અને કમરનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે.

તેવા સમયે વ્યક્તિ દુખાવાને બંઘ કરવા માટે લોકો દવાઓ અને ગોળીઓ ખાવાનું શરુ કરી દેતા હોય છે. પરંતુ દવાઓની સાથે તમે કેટલાક ઘરેલુ ઉપચાર કરવાથી પણ આ દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

આ સમસ્યાથી માત્ર મોટી ઉંમરના વડીલો જ નહીં પરંતુ નાનું ઉંમરના લોકો પણ ખુબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આવા સમયમાં આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિષે જણાવીશું જેની મદદથી ઘુંટણ ના દુખાવામાં ઘણી રાહત મળશે.

સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીચણ કે શરીરના અન્ય દુખાવા રાહત આપવાનું કામ આ ડ્રિન્ક કરે છે. આ ડ્રિન્ક ને રાતે સુવાના પહેલા પીવાની સલાહ આપવામાં આવે છે. આ ડ્રિન્કને એક મહિનો પીવાથી દુખાવો ગાયબ થઈ જશે. હવે આ ડ્રિન્ક કઈ રીતે બનાવવું તેના વિષે જણાવીશું.

આ ડ્રિન્ક બનાવવા માટે તમારે મેથીના દાણા, કાળા મારી અને જીરુંની જરૂર પડશે.
ડ્રિન્ક બનાવવાની રીત: આ માટે સૌથી પહેલા બે ચમચી મેથીના દાણા લઈને તેને મિક્સર જારમાં નાખીને પીસી લો, ત્યાર પછી તેને ચારણીની મદદથી ચાળી લો અને પછી એક બાઉલમાં આખો, હવે 5-6 કાળા મરીને મિક્સર જારમાં અથવા પારાખાણીમાં નાખી પીસી પાવડર બનાવી લો,

તેવી જ રીતે જીરું ને પીસીને પાવડર બનાવીને એક બાઉલ રાખી લો, હવે આ ત્રણ બનાવેલ પાવડર ને સારી રીતે મિક્સ કરીને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે. ત્યાર પછી આ પાવડરનો ઉપયોગ દુખાવાને દૂર કરવા માટે કરવાનો છે.

હવે ડ્રિન્ક બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ થોડું હૂંફાળું પાણી લઈ તેમાં અડઘી ચમચી તૈયાર કરેલો પાવડર ઉમેરો, ત્યાર પછી સારી રીતે હલાવીને મિક્સ કરી લો, અને પછી તે ડ્રિન્ક પી જવાનું છે, આ ડ્રિન્ક પીતી વખતે તમને થોડું તીખું લાગશે, આ માટે તમે ઈચ્છો તો તેમાં સાકર મિક્સ કરી ને પી શકો છો.

આ ડ્રિન્ક માં મળી આવતા મેથીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જેને વર્ષોથી સાંઘા અને ઘુંટણ એ કમરના દુખાવામાં રાહત મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે. જેનું સેવન કરવાથી લોહીમાં રહેલ સુગર ની માત્રા ઓછી થાય છે અને સુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

વજન વધારે હોવાના કારણે પણ ઘુંટણમાં દુખાવા થતા હોય છે આ માટે આ ડ્રિન્કમાં રહેલ જીરું વજન ને નિયત્રંણમાં રાખવામાં મદદ કરે છે, આ સિવાય જીરૂને ચાવવાથી અથવા તેનું પાણી બનાવી પીવાથી પણ વજન ઘટાડી શકાય છે, વજન ઓછું થવાના કારણે પણ ઘુંટણ ના દુખાવામાં રાહત મળે છે.

કાળામરીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ અને બળતરા વિરોઘી ગુણ મળી આવે છે જે ઘુંટણમાં થતા દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. ઘુંટણમાં થતા દુખાવા આ ઉપચાર ખુબ જ ઉપયોગી સાબિત થશે આ સાથે નિષ્ણાત અને ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *