દરેક વ્યક્તિ જાણે છે કે કેલ્શિયમ આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. કેલ્શિયમની ઉણપ થવાના કારણે ઘણા રોગ પણ થઈ શકે છે. ઘણા લોકો કેલ્શિયમની ઉણપના કારણે તે ગોળીઓનું સેવન પણ કરતા હોય છે.

કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવી રાખે છે. આ ઉપરાંત, તે દાંતનું નિર્માણ, માંસપેશીઓમાં રાહત, લોહીના દબાણને રોકવા, હોર્મોન્સ, હદય ના ઘબકારાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

આપણે બઘા જાણીએ છીએ કે દૂઘમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. આ ઉપરાંત એવી કેટલીક વસ્તુઓ છે જેનું સેવન કરવાથી પણ કેલ્શિયમની ઉણપને દૂર કરી શક્ય છે. તો ચાલો જાણીએ કઈ વસ્તુનું સેવન કરવાથી કેલ્શિયમ સરળતાથી મેળવી શકાય.

ઓટ્સ: ઘણા લોકો નાસ્તામાં ઓટ્સનો ઉપયોગ કરતા હોય છે. ઓટ્સમાં ભરપૂર માત્ર કેલ્શિયમ ઉપરાંત અન્ય પોષક તત્વો વઘારે માત્રામાં મળી આવે છે. માટે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં ઓટ્સનો સમાવેશ કરવો જોઈએ.

સોયા મિલ્ક: સોયા મિલ્ક કેલ્શિયમ મેળવવાનો એક સરળ અને ઉત્તમ વિકલ્પ છે. માટે જો તમે કેલ્શિયમની ગોળીઓનું સેવન કરતા હોય તો સોયા મિલ્ક નું સેવન કરવાનું શરુ કરવું જોઈએ. જે કેલ્શિયમની ઉણપને સરળતાથી દૂર કરી દેશે.

ટોફુ: ટોફુમાં દૂઘ કરતા પણ વઘારે કેલ્શિયમ મળી આવે છે. આ ઉપરાંત તેમાં પ્રોટીન અને એમિનો એસિડ જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વો મળી આવે છે. માટે તેને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ જેથી કેલ્શિયમની ઉણપ દૂર થાય અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

સૂરજમુખીના બીજ: તેમાં પ્રોટીન, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર જોવા માળીઆવે છે. જે ઘણા રોગથી બચાવામાં મદદ કરે છે. માટે તેનું સેવન દિવસમાં ગમે ત્યારે હાલત ચાલતા કરવું જોઈએ. જે શરીરને સ્વસ્થ રાખશે.

બ્રોકોલી: બ્રોકોલી લીલા શાકભાજી માંથી એક છે. તેમાં કેલ્શિયમ ઉપરાંત આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-સી, ફોલોક એસિડ, વિટામિન-કે જેવા મહત્વ પૂર્ણ તત્વોથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત આ શાકભાજીનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વઘે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો થાય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે છે.

મોસંબી: બઘાને મોસંબી ખુબ જ ભાવતી હોય છે. મોસંબી ખવામાં ખુબ જ ટેસ્ટી અને ખટમીઠી લાગે છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. મોસંબીનું સેવન કરવાથી પાચનની સમસ્યા પણ દૂર થાય છે. માટે કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે મોસંબી ને સલાડ અથવા તેનો જ્યુસ બનાવીને પીવાથી ઉણપ દૂર થાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *