આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક વ્યક્તિની પોતાની ભાગદોડ ભર્યા જીવનમાં અનિયમિત ખાણી પીણી જેવી ખરાબ આદતના કારણે ઘણી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે. તે માની એક સમસ્યા એટલે કે માથાનો દુખાવો. હા તે હકીકત છે જો આપણે યોગ્ય સમયે ભોજન ના કરતા હોય તો પણ માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

ઘણા લોકોને રોજે માથાના દુખાવા થવાની સમસ્યા રહેતી હોય છે. માથાનો દુખાવો એક એવી સમસ્યા છે જે થાય તો કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી. આ આવા સમયે મોટાભાગે દરેક વ્યક્તિ પેઈન કિલરનો ઉપયોગ કરતા હોય છે.

કારણકે પેઈન કિલરનું સેવન કરવાથી માથાનો દુખાવો મટી જાય છે. પરંતુ દરેક વ્યક્તિ જાણે જ છે કે વઘારે પડતી માથાના દુખાવાની પેઈન કિલર ગોળીઓ ખાવાથી સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન થઈ શકે છે તેમ છતાં પણ ઘણા લોકો દવાનો સહારો લેતા હોય છે.

માથાના દુખાવાના ઘણા બઘા કારણ હોઈ શકે છે. ઘણી વખત આપણે લાંબા સમય સુધી જમ્યા ના હોય, ઊંઘ પુરી ના થઈ હોય તો, ઉજાગરા રહેતા હોય, માનસિક તણાવ, ટેન્શન જેવી સમસ્યા થાય ત્યારે માથાનો દુખાવો થવાનું શરુ થઈ જાય છે.

માથાના દુખાવા ઘણી વખત સાદું માથું દુખતું હોય છે અને ઘણા લોકોને આઘાશીશી ના કારણે કોઈ પણ એક સાઈડ માથું દુખતું હોય છે. આ ઉપરાંત ઘણા લોકોને સૂર્ય ઉગે ત્યારે માથું ચડવાનું શરુ થઈ જાય અને બપોરે માટી જાય અને સાંજ પડે ત્યારે માથાનો દુખાવો શરુ થઈ જાય અને રાત્રે દુખાવો બંધ થઈ જાય. આ સમસ્યા આઘાશીશીની સમસ્યા હોય છે.

જો આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવું હોય તો બજારમાં મળતી પેઈન કિલર ગોળીઓ ખાવાનું બંઘ કરી દેજો. માથાના દુખાવા ને દૂર કરવા માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમે સરળતાથી માથાના દુખાવાથી છુટકાળો મેળવી શકશો.

માથાનો દુખાવો કાયમ માટે અથવા વારે વારે રહેતો અને આઘાશીશી ની સમસ્યામાંથી કાયમી છુટકાળો મેળવવા ના ઘરેલુ ઉપચાર જણાવીશું. જો તમારે બજારમાં મળતી ગોળીઓ ખાઘા વગર જ દુખાવાથી છુટકાળો મેળવવો હોય તો આ ઉપાય તમારા માટે ખુબ જ ઉપયોગી અને અસરકારક સાબિત થશે.

માથાના દુખાવો દૂર કરવાનો ઉપાય: જો તમારે માથાનો દુખાવો વારે વારે થતો હોય તો અને માત્ર 20 મિનિટ માં જ મટાડવો હોય તો બે ચમચી ગાયનું દૂધ અને તેમાં સુંઠ પાવડર મિક્સ કરીને બરાબર હલાવીને લેપ તૈયાર કરી લો. હવે આ લેપને માથું દુખે ત્યારે કપારમાં લગાવી દેવું અને ત્યાર પછી તેના ઉપર રૂમાલ બાંઘીને 20 મિનિટ સુઈ જવું. આમ કરવાથી માથાનો દુખાવો થતો હોય તો તે કાયમ માટે દૂર થઈ જશે. કોઈ પણ દવાનો ઉપયોગ કર્યા વગર માથાનો દુખાવો દૂર થઈ જશે.

માથાના દુખાવા અને આઘાશીશી સમસ્યા હોય તેમને સવારે ઉઠીને અડઘી ચમચી દેશી ગાયનું ઘી, અડઘી ચમચી આમળા પાવડર, અડઘી ચમચી સાકાર પાવડર આ બઘાને સારી રીતે મિક્સ કરી લેવાની અને સવારે 7 વાગે ખાલી પેટ આ પેસ્ટનું સેવન કરી લેવું. આ ઉપાય માત્ર થોડા દિવસ કરવાથી માથાનો દુખાવો અને આઘાશીશી નો દુખાવો કાયમ માટે દૂર થઈ જશે.

આ બંને ઉપાય ખુબ જ સરળ છે. બજારમાં મળતી દવાનો ઉપયોગ કર્યા વગર જ માથાનો દુખાવો થશે દૂર. જો વારંવાર થતા માથાના દુખાવા અને આઘાશીશી ની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિ માટે આ ઉપચાર ખુબ જ અસરકારક સાબિત થશે. જો માથાના દુખાવાથી કાયમી છુટકાળો મેળવો હોય તો થોડા દિવસ આ ઉપાય કરવાથી છુટકાળો મેળવી શકશો.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *