આપણા શરીરને અનેક રોગથી સુરક્ષિત રાખવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ માટે આજે અમે તમને એક ઉકાળા વિશે જણાવીશું જેનું સેવન માત્ર ત્રણ દિવસ સવારે અને સાંજે બે-બે ચમચી જ કરવાનું છે.

આપણા શરીરમાં ઈન્ફેક્શન અને હાનિકારક ઝેરી તત્વો હોવાથી આપણા શરીરમાં અનેક વાયરલ બીમારીના શિકાર થઈ જઈએ છીએ જેના કારણે આપણે ખુબ જ નબળાઈ અનુભવીએ છીએ. વાયરલ બીમારીમાં તાવ, ઉઘરસ અને શરદીની સમસ્યા થતી હોય છે.

જે વાતાવરણ બદલાતા થતી જતી હોય છે. આ ઉપરાંત વધુ પડતું પ્રદૂષણ અને અનિયમિત ખાન પાન ના કારણે થતી હોય છે. પ્રદુષણના રજકણો શ્વાસ દ્વારા આપણા ફેફસામાં જમા થાય છે. જેના કારણે કફની સમસ્યા થવા લાગે છે અને ઉઘરસ થવાનું શરૂઆત થઈ જાય છે.

વાયરલ ઈન્ફેક્શનને દૂર કરવા કેટલાક આયુર્વેદિક ઉપચારની મદદથી રાહત મેળવી શકાય છે. આયુર્વેદિમાં ઈન્ફેક્શનને દૂર કરવા માટે તુલસીને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માટે આજે અમે તમને શરદી, તાવ, ઉઘરસમાં રાહત મેળવવા માટે તુલસીના ઉકાળા વિશે જણાવીશું.

તુલસીનો ઉકાળો બનાવવાની રીત: સો પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી નાખી ઉકળવા મુકો, ત્યાર પછી તેમાં 12 તુલસીના તાજા પાન ઘોઈને નાખો, ત્યાર પછી તેમાં દોઢ ચમચી હળદર પાવડર અને અડધી ચમચી તજ પાવડર, ચાર લવિંગ પાવડર, એક ચમચી દેશી મઘ આ બઘાને મિક્સ કરીને જ્યાં સુઘી પાણી ચોથા ભાગ જેટલું ઓછું ના થાય ત્યાં સુધી ઉકાળો અને ત્યાર પછી તેને થોડું ઠંડુ થવા દઈને ગાળીને સવારે અને સાંજે બે- બે ચમચી પી જવું.

આ એક ઉકાળા નું સેવન કરવાથી ઘણા સમયથી ઉધરસ મટતી ના હોય તો માત્ર ત્રણ દિવસ સેવન કરવાથી મટી જશે. આ ઉપરાંત ગળામાં જામેલ જીદી કફને દૂર કરી દેશે. આ ઉકાળાનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ કરે છે.

આ ઉકાળામાં રહેલ તુલસીમાં એવા કેટલાક એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે ઈન્ફેક્શનને દૂર કરીને શરીરને રક્ષણ આપે છે. આ ઉપરાંત તેમાં રહેલ હળદર એન્ટી સેપ્ટિક, અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. હળદરને રસોઈનો એક ખજાનો માનવામાં આવે છે. જે તાવ, ઉઘરસ અને કફને દૂર કરવામાં મદદ કરે છે.

આ ડ્રિન્કનું સેવન કરવાથી આપણા શરીરમાં વાયરલ ઈન્ફેક્શન ને દૂર કરીને આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે અને અનેક રોગ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. ગળામાં આવેલ સોજાને દૂર કરવામાં આ ઉકાળાની બે ચમચી ખુબ જ અસરકારક છે.

આ ઉકાળાની બે ચમચીનું સેવન કરવાથી પેટના રોગ દૂર થઈ જાય છે. આ ઉપરાંત આપણી ઈમ્યુનિટીને વઘારીને નાના મોટા અનેક રોગને દૂર કરવામાં મદદ કરે છે અને અનેક રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *