શું તમને રાત્રે બરાબર ઊંઘ નથી આવતી? જો તમે રાત્રે ઊંઘમાંથી વચ્ચે જાગી જાઓ છો તો શું ફરીથી ઊંઘ નથી આવતી ? સવારે ઉઠાવાની ઈચ્છા નથી ને વહેલા જાગી જાઓ છો? જો આ બધી સમસ્યા સતત થોડા દિવસો કે લાંબા સામાન્યથી થઇ રહી છે તો ચોક્કસ તમે અનિંદ્રાની સમસ્યાના શિકાર થઇ ગયા છો.
જો કે આજકાલ બદલાતી જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગીમાં ઊંઘ ન આવવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને સારી ઊંઘ મેળવવા માટે કેટલાક લોકો ઊંઘની ગોળીઓનો પણ સહારો લે છે.
પરંતુ શું તમે જાણો છો કે ઊંઘની ગોળીઓ લેવાથી આપણા શરીર પર ઘણી આડ અસર પણ થઈ શકે છે. એટલા માટે તમારે ઊંઘવા માટેમ ભૂલથી પણ ઊંઘની ગોળીઓ ન લેવી જોઈએ.
જો તમને પણ રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી તો તમારે ઊંઘની ગોળીઓ લેવાની કોઈ જરૂર નથી કારણ કે આ સમસ્યાને તમે કેટલાક આયુર્વેદિક દવાથી દૂર કરી શકાય છે. આ આયુર્વેદિક ઉપાયથી તમે સૂતાની સાથે જ 5 મિનિટમાં ઊંઘી જશો.
આ નુસ્ખાની સૌથી સારી વાત એ છે કે તેને લેવાથી તમારા શરીર પર કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી અને તે ખૂબ જ સસ્તો નુસખો છે, જેને સરળતાથી કરી શકાય છે. તો ચાલો જાણીએ આવા કેટલાક ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાયો વિશે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે અને જેને લેવાથી તમને 5 મિનિટમાં ઘસઘસાટ અને ગાઢ ઊંઘ આવી જશે.
સારી ઊંઘ માટે નુસખો : સૌથી પહેલા અશ્વગંધા અને સર્પગંધા સરખી માત્રામાં પીસીને પાવડર બનાવો. ચારથી પાંચ ગ્રામ આ ચૂર્ણને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી સાથે લો. આ આયુર્વેદિક ઉપચારથી તમને સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.
હવે તમને પ્રશ્ન થતો હશે કે માત્ર અશ્વગંધા અને સર્પગંધા શા માટે? પ્રાચીન સમયથી અશ્વગંધા આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને સદીઓથી તેનો ઉપયોગ ભારતીય લોકો કરતા આવ્યા છે. તે ઔષધીય ઉપયોગો ધરાવતું એક વૃક્ષ હોવાનું માનવામાં આવે છે.
તે શરીરને ચુસ્તી ફુર્તી પ્રદાન કરે છે. અશ્વગંધાને ટોનિક કહેવામાં આવે છે કારણ કે તે શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્ય માટે સારું છે. અશ્વગંધાને અંગ્રેજીમાં ભારતીય જિનસેંગ કહેવામાં આવે છે. અશ્વગંધા વૃક્ષ અને તેના ઔષધીય ગુણોનું વર્ણન પરંપરાગત ચાઈનીઝ દવા અને આયુર્વેદ બંનેમાં જણાવવામાં આવેલું છે.
અશ્વગંધા કુદરતે આપેલું એવું એક એવું વરદાન છે કે જેનો ઉપયોગ આપણે અનેક પ્રકારના રોગો અને બ્યુટી પ્રોડક્ટમાં કરવામાં આવે છે. તણાવ, ચિંતા , થાક, ઊંઘની સમસ્યા જેવી સમસ્યાઓનો અસરકારક રીતે ઉપચાર અશ્વગંધાથી કરી શકાય છે. તે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.
અનિદ્રાથી પીડાતી મહિલાઓ માટે ભારતીય સર્પગંધા એક સરળ ઉપાય સાબિત થાય છે. ભારતીય સર્પગંધા શરીરને આરામ આપે છે, શાંત કરે છે અને ગાઢ ઊંઘ લાવામાં મદદ કરે છે. તે અનિદ્રા, બેચેની અથવા સામાન્ય થાકથી પીડિત મહિલાઓને તેમના નિયમિત કામો કરવા માટે સક્ષમ બનાવે છે.
આ સિવાય સુતા પહેલા હાથ-પગને બરાબર સાફ કરો અને સૂતા પહેલા પગના તળિયાની માલિશ કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને દિવસ દરમિયાન લાગેલો થાક પણ દૂર થાય છે. સારી ઊંઘ માટે દરરોજ સૂતા પહેલા તળિયાની માલિશ કરવાથી તમારી ઊંઘ ના આવવાની સમસ્યા દૂર થઈ જશે.
જો કે આ નુસખો સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલો, પરંતુ તેને લેતા પહેલા એકવાર નિષ્ણાતની સલાહ જરૂર લો. કારણ કે દરેકનું શરીર અલગ હોય છે. આવી વધુ માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.