કબજીયાત, ગેસ, અને અપચો એ પેટને લગતી સામાન્ય સમસ્યા છે. જે અનેક રોગોનું મૂળ કારણ માનવામાં આવે છે. જેમને આ માંથી કોઈ સમસ્યા હોય તે વ્યક્તિ કોઈને કોઈ બીમારીના સકંજામાં સંકરાયેલ હોય છે. આ સમસ્યા આપણી કેટલીક બેદરકારીના કારણે પણ થઈ શકે છે.

પેટને લગતી સમસ્યાને દૂર કરવા માટે અંજીર ખુબ જ ફાયદાકારક છે. અંજીર એક ડ્રાયફ્રૂટ્સ છે. જેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે. આ ઉપરાંત તેમાં પોષક તત્વોનો ભંડાર પણ મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, ફાયબર, પ્રોટીન, આયર્ન, વિટામિન-સી, વિટામિન-એ, મેંગેનીઝ, વિટામિન-કે, મિનરલ્સ જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. અંજીર પેટને લગતી સમસ્યા દૂર કરવા ઉપરાંત લોહીને શુદ્ધ કરીને લોહીને વઘારવામાં મદદ કરે છે. ઉપરાંત શરીરમાં નબળાઈને પણ દૂર કરવામાં મદદ કરે છે.

પેટને લગતી સમસ્યામાં ફાયબરથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. પરંતુ હાલના સમયમાં ઘણા લોકો બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડ જેવા ભારે ખોરાકનું સેવન કરે છે જેના કારણે ખોરાક પચવામાં ખુબ જ મુશ્કેલી થતી હોય છે.

જેના કારણે આપણી પાચનક્રિયા ઘીમી થઈ જાય છે અને ખોરાક ના પચવાના કારણે તે ખોરાક સડવા લાગે છે. જેથી આપણા શરીરમાં ગેસ, કબજીયાત અને અપચાની સમસ્યા થતી હોય છે. જેમને કબજિયાતની સમસ્યા હોય તેમને મેંદા વાળી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

આજે અમે તમને જણાવીશું કે અંજીરનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ જેથી જૂનામાં જૂની કબજિયાત પણ દૂર થઈ જાય. તો ચાલો જાણીએ અંજીરનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ.

સૌથી પહેલા તો એક બાઉલ લઈ તેમાં અડઘા બાઉલ જેટલું પાણી ભરી લેવું, ત્યાર પછી બે થી ત્રણ અંજીર લઈને પાણીમાં નાખીને બાઉલને આખી રાહત ઢાંકેલું રાખવું. ત્યાર પછી સવારે ઉઠો ત્યારે તે અંજીરને સારી રીતે ચાવીને ખાઈ જવાના છે અને અંજીર ખાઈ લીઘા પછી તેનું પાણી પણ પી જવું. જો તમે અંજીર અને તેનું પાણી પી લેશો તો માત્ર 5 મિનિટ માં જ તમને પ્રેશર આવી જશે.

જેથી પેટનો બઘો જ કચરો સડસડાટ બહાર નીકળી જેશે. જેથી પેટ અને આંતરડા બંને સારી રીતે સાફ થઈ જશે. અંજીરમાં રહેલ ફાયબર આપણી મંદ પડી ગયેલી પાચનશક્તિ મજબૂત થઈ જાય છે. અંજીર આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે.

અંજીરમાં સારી માત્રામાં આયર્ન પણ મળી આવે છે જે આપણા શરીરમાં રહેલ હીમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. આ ઉપરાંત અંજીરને પલાળીને ખાવાથી આપણા લોહીમાં રહેલ અશુદ્ધિઓ ને દૂર કરે છે અને આપણા લોહીને શુદ્ધ કરી લોહીને વઘારવામાં મદદ કરે છે.

જો શરીરમાં વારે વારે થાક લાગતો હોય શરીર કમજોર પડી જતું હોય તો રોજે અંજીર પલાળીને ખાવાથી શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી મળી રહે છે. જેથી કોઈ પણ કામ કરવામાં આળશ આવતી નથી.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *