આજનો યુગ ખુબજ ઝડપી યુગ છે. આપણે બધા બધું જ કામ ખુબજ ઝડપથી કરવા માંગીએ છીએ. પછી ભલે તે ખાવાની વાત હોય કે રાંધવાની વાત હોય. કોઈ પણ કામમાં વધુ સમય પસાર કરવો કોઈને પસંદ નથી. સવારે ઑફિસ જવાનું વહેલું હોય છે, તેથી બધા લોકો ખૂબ જ ઝડપથી ખોરાક ખાઈ લઈએ છીએ.

આ ઉપરાંત દિવસમાં પણ ખોરાક ખાવા માટે ખૂબ જ ઓછો સમય હોય છે, જેના કારણે આપણે શાંતિથી બેસીને ખાતા નથી અને ખોરાકને ચાવતા નથી. ઘણા લોકોની તો પહેલેથી જ આદત હોય છે જલ્દી જલ્દી ખાવાની. પરંતુ હકીકતમાં બહુ જલ્દી-જલ્દી ભોજન કરવું આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

જ્યારે તમે સતત ઝડપથી ખાઓ છો તો તેનાથી વિપરીત અસર થાય છે. તો ચાલો આજે આ માહિતીમાં જલ્દી-જલ્દી ખોરાક ખાવાથી તમને શું નુકસાન થઈ શકે છે. અપચોની સમસ્યા: જ્યારે તમે હંમેશા ખોરાક જલ્દી-જલ્દી ખાઓ છો, તો તમને અપચો નો સમસ્યા થઇ શકે છે. વાસ્તવમાં, ઉતાવળમાં ખાવાને કારણે, મોંમાં લાળ યોગ્ય રીતે કામ કરતું નથી અને કાર્બોહાઇડ્રેટ્સનું યોગ્ય રીતે પાચન થતું નથી.

એવું પણ બને છે કે તેના કારણે તમારા ખોરાકની યોગ્ય પ્રોસેસ થયા વગર, ખોરાક અન્નનળીમાં જાય છે, કારણે તેને પાચનમાં સમસ્યા થાય છે. આ રીતે, તમારો ખોરાક, તમારા પેટમાં લાંબા સમય સુધી રહે છે, જેના કારણે પેટમાં ઘણા બધા એસિડિક રસ સ્ત્રાવ થાય છે અને આ લાંબા સમય સુધી થાય છે. જેના કારણે તમને અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

સ્થૂળતાની સમસ્યા: ખૂબ ઝડપથી ખાવાથી મેદસ્વીપણાની સમસ્યા થઈ શકે છે. એવું કહેવાય છે કે ખોરાકને ઓછામાં ઓછો 32 વાર ચાવવો જોઈએ. જો તમે 32 વખત ખોરાકને ચાવી શકતા નથી તો તમારે ઓછામાં ઓછી 15 વગર વખત તો ચાવવું જ જોઈએ.

વાસ્તવમાં, જ્યારે તમે ખોરાક ચાવો છો, ત્યારે તે તમારા મગજને સંકેત આપે છે કે તમે ખાઈ રહ્યા છો અને પછી તમને સંપૂર્ણતાનો અહેસાસ થાય છે. પરંતુ જ્યારે તમે ફાસ્ટ ફૂડ ખાતા હોવ ત્યારે તમારા મનને તે સંકેત મળતો નથી. જેના કારણે તમે જરૂર કરતા વધારે ખાઓ છો અને સતત વધારે ખાશો તો મેદસ્વી થવાની શક્યતા વધી જાય છે.

ડાયાબિટીસ થવાની સંભાવના રહે: જ્યારે તમે ઉતાવળમાં ખોરાક લો છો, તો તેનાથી વ્યક્તિનું વજન વધારે થવાની શક્યતા વધી જાય છે, જે ભવિષ્યમાં ડાયાબિટીસનું કારણ બની શકે છે. વાસ્તવમાં, મેદસ્વી હોવાને કારણે ઇન્સ્યુલિન પ્રતિકાર થાય છે અને આનાથી વ્યક્તિમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ગણું વધી જાય છે.

અન્ય આરોગ્ય સમસ્યાઓ થઇ શકે: તમારા શરીરની કાર્ય પ્રણાલી એકબીજા સાથે જોડાયેલી છે. જ્યારે વ્યક્તિને એક સ્વાસ્થ્ય સમસ્યા થાય છે ત્યારે તમને બીજી ઘણી સમસ્યાઓ પણ તમને ઘેરી લે છે. ઉદાહરણ તરીકે, સ્થૂળતા અને ડાયાબિટીસ એકસાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

તેનાથી વ્યક્તિમાં મેટાબોલિક સિન્ડ્રોમની સમસ્યા થઈ શકે છે. આ સિવાય વ્યક્તિને હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, સ્ટ્રોકની સંભાવના વગેરે જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી બિમારીઓ લાંબા સમયે જીવલેણ સાબિત થઇ શકે છે.

ગૂંગળામણની સમસ્યા: આ પણ એક સમસ્યા છે, જે વારંવાર ખાવાના કારણે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ઉતાવળમાં ખોરાક ખાઓ છો, ત્યારે ખોરાક ગળામાં અટવાઈ જાય છે, જેનાથી ગૂંગળામણ થઈ શકે છે. આ તમારા જીવનને પણ જોખમમાં મૂકી શકે છે.

તેથી ખોરાક હંમેશા ચાવીને ખાવો. જો તમે તેને 32 વખત ચાવી શકતા નથી, તો તમારે તેને ઓછામાં ઓછા 15-20 વખત ચાવવાની જરૂર છે. તમારા શરીરને ખોરાકના તમામ પોષક તત્વો ત્યારેજ મળે છે જયારે તમે ખોરાકને ચાવીને ખાઓ છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *