ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તેવામાં આપણે આપણા શરીરને ઠંડક મળી રહે તેવી ઘણી વઘી વસ્તુ ખાઈ લઈએ છીએ, જેના કારણે ગરમીનું તાપમાન ઠંડુ રહે છે, આ માટે ઘણા લોકો ઠંડા પીણા પીવાના નું સૌથી વધુ પસંદ કરતા હોય છે.
પરંતુ આપણા શરીરને પીણાની મદદથી ઠંડુ કરવું એના કરતા આપણે એવી વસ્તુ ખાવી જોઈએ જેનાથી આપણા શરીરને ઠંડક પણ મળી રહે અને ગરમીમાં શરીરમાં ભરપૂર એનર્જી લેવલ પણ બનાવી રાખે, આ માટે આપણે દહીં ખાવાનું છે.
જે શરીરને ઠંકડ તો આપે છે સાથે ઘણા બઘા સ્વાસ્થ્યને લાભ પણ થાય છે. દહીં વજન ઘટાડવા થી લઈને મોટાભાગના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. દહીં ખાવાથી શરીરને અંદરથી ઠંડુ રાખે છે, માટે રોજે બપોરે એક વાટકી દહીં ખાવું જોઈએ, તો ચાલો દહીં ખાવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
દહીંમાં ઘણા બધા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે, જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, કોપર, વિટામિન-સી, વિટામિન-એ, વિટામિન-બી, ફેસ્ટી એસિડ, આયર્ન, મેગનેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ જેવા તત્વોનો સ્ત્રોત મળી આવે છે.
દહીંને નિયમિત પણે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, કારણકે તેમાં સારી માત્રામાં વિટામિન-સી મળી આવે છે, જે અનેક વાયરલ બીમારીથી બચી રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલ પોષક તત્વો સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે, તેને રોજે ખાવાથી શરીરમાં ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.
આ ખાટા મીઠા દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, જે હાડકાને કેલ્શિયમ પૂરું પાડે છે, જેના કારણે હાડકાની કમજોરી દૂર થાય છે અને હાડકાને મજબુત બનાવે છે. તેમાં મળી આવતું કેલ્શિયમ અને ફોસ્ફરસ દાંતને મજબૂત બનાવી રાખે છે.
આજના સમયમાં અનિયમિત જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણી હોવાના કારણે વજન વઘવાની સમસ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે, પરંતુ જો હેલ્ધી ફેટ ઘરાવતા દહીંનું નિયમિત પણે રોજે ડાયટમાં સમાવેશ કરવામાં આવે તો વજન સરળતાથી ઉતારી શકાય છે.
દહીંમાં ફાયબરની માત્રા ખુબ સારા પ્રમાણમાં જોવા મળે છે, જે કોઈ પણ ખોરાકને ઝડપી પચાવી દેખાવાની શક્તિ ઘરાવે છે, જેના કારણે આપણી મંદ પડી ગયેલ પાચનશક્તિ મજબૂત થઈ જાય છે, માટે પાચનને લગતી સમસ્યા હોય તો રોજે બપોરે એક વાટકી દહીં ખાવું જોઈએ, જેથી પેટને લગતી દરેક સમસ્યા દૂર થાય છે.
રોજે દહીં ખાવથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે, જેથી હાર્ટને લગતી કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, માટે રોજે દહીં ખાઈને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખી શકાય છે. દહીં ખાવાથી મૂડમાં સુઘારી માનસિક તણાવથી છુટકાળો અપાવે છે, જેથી કોઈ પણ કામ કરવામાં મૂડ આવે છે.
દહીંને ખાવાથી ત્વચામાં નેચરલી નિખાર આવે છે, જે લાંબા સમય સુઘી જુવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. વઘતી ઉંમરે દેખાતી કરચલી અને લટકતી ત્વચાની ચામડીની સમસ્યા થશે નહીં.