કબજિયાત એક સામાન્ય સમસ્યા છે જે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. જેના કારણે ઘણા લોકો પરેશાન રહેતા હોય છે, આપણી કેટલીક શારીરિક પ્રવૃતીના અભાવના કારણે કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.

કબજિયાત થવી એ આંતરડાની મુવમેન્ટ પર ખબર પડતી હોય છે, શરીરમાં આંતરડા ની મુવમેન્ટ ધીમી થઈ જવાના કારણે મળ છૂટો પડતો નથી જેથી આંતરડામાં જામેલો રહે છે પરિણામે મળ ત્યાગ કરવામાં ખુબ જ તકલીફ પડે છે.

આપણા આંતરડાજ મળ જામી રહેવો એ આપણી બેઠાળુ જીવન અને ખાવાની ખરાબ તેવના કારણે હોય છે, ખાવાની ખરાબ ટેવના કારણે ક્રોનિક બની જાય છે પરિણામે કબજિયાત થતી હોય છે. વિશ્વભરમાં 30% એવા લોકો હશે જેમને કબજિયાતની સમસ્યા રહેતી હશે.

કબાજીયાત આપણી જીવન શૈલી પર નિર્ભર કરે છે, આ માટે આપણે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જેથી આપણે કબજિયાત જેવી સામાન્ય કહેવાતી મોટી બીમારી માંથી બચાવી રાખવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ કબજિયાતથી બચવા કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ.

આલ્કોહોલ ના પીવો: આલ્કોહોલ પીવું આપણા લીવર અને આપણા સ્વાસ્થ્ય ને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે, આ ઉપરાંત આલ્કોહોલ પીવાથી પેટ ભરેલું અને ફુલેલું લાગે છે પરિણામે કબજિયાત ની સમસ્યા ઉદભવી શકે છે. માટે કબજિયાથી છુટકાળો મેળવવા આલ્કોહોલ પીવાનું બંધ કરવું જોઈએ.

ચરબી યુકત ખોરાક ખાવાના બંધ કરો: આજના સમયમાં નાના હોય કે મોટા હોય દરેક વ્યક્તિને ચરબી યુક્ત ખોરાક ખાવા ખુબ જ ટેસ્ટી લાગે છે જેથી લોકો વધારે ખાવાનું પસંદ કરે છે, પરંત્તુ ચરબી યુક્ત ખોરાક ખાવાથી ખોરાક પચતો નથી પરિણામે આંતરડામાં જમા થાય છે અને કબજિયાત ની સમસ્યા થશે છે. માટે ચરબી યુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

પ્રોસેસ્ડ અનાજ ખાવાનું ટાળો: કબજિયાત થવાનું કારણ પ્રોસેસ્ડ અનાજ પણ હોઈ શકે છે, આ માટે સફેદ ચોખા, પાસ્તા મેંદા નો લોટ વાળી વસ્તુઓ ખાવાથી કબજિયાત થઈ શેક છે. માટે કબજિયાતથી છુટકાળો મેળવવા આ વસ્તુઓ ખાવાનું ટાળો.

ડેરી પ્રોડક્ટ ખાવાનું ટાળો: ડેરી પ્રોડક્ટ માં લેક્ટોજ અને ચરબીનું પ્રમાણ ખુબ જ વધુ જોવા મળે છે, પરિણામે કબજિયાત થતી હોય છે, આ માટે ડેરી પ્રોડક્ટ વાળી વસ્તુઓ ખાવાનું ઓછું કરી દો જેથી કબજિયાત માં રાહત મળશે.

તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો: તળેલા ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે જેને ખાવાથી તે પચતું નથી પરિણામે કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. માટે કબજિયાત જેવી સમસ્યા હોય તો વધારે તેલવાળા ખોરાક ખાવાના ટાળવા જોઈએ.

કબજિયાત જેવી સમસ્યામાં આ વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ જેથી આપણે કબજિયાતથી છુટકાળો મેળવી શકીશું. આ ઉપરાંત રોજિંદ અજીવનમાં હળવી કસરત અને વોકિંગનો સમાવેશું કરવો જોઈએ જે કબજિયાતની સમસ્યામાં રાહત આપશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *