આમ તો આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે પાણી આપણા શરીરના અંગો માટે ખુબ જ જરૂરી છે. આપણે ઘરે હોઈએ તો ROનું પાણી, ફ્રિઝનું પાણી, માટલાનું પાણી પિતા હોઈએ છીએ, આ ઉપરાંત આપણે ક્યાંક બહાર ગયા હોય ત્યારે બિસ્લરી પાણી જેવા અન્ય મિનરલ્સ પાણી પિતા હોઈએ છીએ.

પરંતુ હવે ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે તેવામાં આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરીને પીવું જોઈએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, જેમાં કુદરતી રીતે ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીર માટે ખુબ જ આવશયક છે.

વરસાદનું પાણી પીવું એ અમૃત પીવા બરાબર છે, આ માટે દરેક વ્યક્તિએ વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આજે અમે તમને કુદરતી રીતે મળી આવતા વરસાદનું પાણી પીવાથી થતા સ્વાસ્થ્યને અનેક ફાયદા વિષે જણાવીશું.

પ્રાચીન સમયમાં ભૂગર્ભ ટાકા બનાવીને વરસાદના પાણીનો સંગ્રહ કરતા હતા, પીવાનું પાણી શુદ્ધ મળે તો આપણા શરીરમાં રોગો થવાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે. માટે પહેલાના સમયમાં ઘણા લોકો પાણીનો સંગ્રહ કરીને પિતા હતા. જેથી સ્વસ્થ અને નિરોગી રહેતા હતા.

આપણે જે પાણી પીએ છીએ તેની તુલનામાં વરસાદનું પાણી સાફ અને શુદ્ધ હોય છે, આ પાણીમાં આલ્કલાઈન Ph મ,મળી આવે છે જે શરીરમાં રહેલ હાનિકારક ઝેરી પદર્થો અને ગંદકીને દૂર કરીને પાચનક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

જેથી પેટને લગતા અનેક રોગો આપણા થી દૂર રહે છે. આ પાણીમાં મળી આવતા આલ્કલાઈન Ph લોહીમાં રહેલ અશુદ્ધિને દૂર કરે છે જેથી આપણું શરીર યોગ્ય રીતે કામ કરવામાં સક્ષમ બને છે. માટે લોહીને શુદ્ધ બનાવી રાખવા વરસાદનું પાણી સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

વરસાદનું પાણી આમ તો ખુબ જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે જેને પીવાનું વારે વારે ખુબ જ મન થતું હોય છે. તે પીવાથી શરીરમાં રહેલ બધા જ કચરાને દૂર કરવાની શક્તિ મળી રહે છે, ઘણા લોકો વરસાદના પાણીમાંથી મળી આવતું એક વિટામિન વિષે અજાણ હોય છે.

તે વિટામિન-બી12 છે જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે, વરસાદના પાણીમાં ભરપૂર માત્રામાં કુદરતી રીતે વિટામિન- બી12 મળી આવે છે. જે સ્નાયુઓ અને માંસપેશીઓ મજબૂત બનાવી રાખશે.

આમ તો ઘણા લોકો આજના આધુનિક યુગમાં નાની ઉંમરમાં સાંધાના દુખાવા ની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે તેવા લોકો માટે આ વરસાદના પાણીનો સંગહ કરીને પીવું જોઈએ, જેથી વિટામિન-બી12 ની ઊણપના ઇન્જેક્શન લેવાની જરૂર પડશે નહીં.

કુદરતી રીતે શરીરને વિટામિન-બી 12 જેવા અનેક પોષક તત્વો મેળવવા માટે વરસાદનું પાણી પીવું જોઈએ. કોઈ પણ કામ કરવામાં વારે વારે થાક લાગવાની સમસ્યા હોય તો પણ આ પાણી પીવાથી થાક દૂર કરી શરીરની બધી જ કમજોરીને દૂર કરશે. શરીરના દરેક હાડકા અને બાંધો મજબૂત બનાવવા માટે વરસાદી પાણી પીવું ખુબ જ જરૂરી છે.

જે શરીરને સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત ઝાડા ઉલ્ટી જેવા પાણી જન્ય રોગો પણ દૂર રહેશે. જો તમે પણ 70 વર્ષની ઉંમર સુધી નિરોગી અને સ્વસ્થ રહેવા માંગતા હોય તો બને એટલા વરસાદના પાણીનો સંગ્રહ કરીને પીવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *