શિયાળાની ઋતુમાં મળી આવતા લાલ જામફળ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લાલ જામફળમાં સંચર નાખીને સેવન કરવાથી સ્વાદિષ્ટ, મીઠું અને ટેસ્ટી લાગે છે. લાલ જામફળનું સેવન કરવાથી શરીરમાં ઈમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત થાય છે.
શિયાળામાં જામફળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદો થાય છે. આ ઉપરાંત જામફળના પાન નું સેવન કરવાથી દાંત ની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. માટે આજે આ આર્ટિકલમાં લાલા જામફળ ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
લાલ જામફળમાં વિટામિન-એ, વિટામિન બી9, મિનરલ્સ, વિટામિન-ઈ, બીટા કેરોટીન, ફાયબર, વિટામીન-સી જેવા તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
પોષક તત્વોની ઉણપ દૂર કરે: જામફળનું સેવન કરવાથી ભરપૂર માત્રા માં વિટામિન ને મિનરલ્સ મળી આવે છે જે જે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. શરીરમાં થાક અને નબળાઈને દૂર કરીને શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે.
આંખો અને વાળ માટે: લાલ જામફળમાં રહેલ વિટામિન એ અને વિટામિન-ઈ આંખો અને વાળનું રક્ષણ કરે છે. તેમાં રહેલ વિટામિન-એ આંખોને સ્વસ્થ રાખે અને આંખોની નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલ વિટામિન-ઈ વાળને પોષણ આપે છે જેથી વાળ ખરવાની સમસ્યા થતી નથી.
કેન્સર સામે રક્ષણ આપે: લાલ જામફળમાં લાઈકોપીન નામનું તત્વ કેન્સર સામે રક્ષણ આપવાનું કામ કરે છે. માટે કેન્સર થી બચવા માટે નિયમિત લાલ જામફળનું સેવન કરવું જોઈએ.
ત્વચા માટે: લાલા જામફળમાં બીટા કેરોટીન આવેલ હોય છે જેના કારણે ચામડીથી થતા રોગ જેવા કે ખંજવાળ, ખસ, દાદર જેવા રોગોથી બચાવે છે.
કબજિયાતમાં રાહત: લાલ જામફળ માં ભરપૂર માત્રા માં ફાયબર મળી આવે છે જેના કારણે પેટને લગતી સમસ્યા એટલેકે કબજિયાતમાં રાહત મેળવી શકાય છે. લાલા જામફળનું સેવન કરવાથી પેટમાં રહેલ હાનિકારક તત્વોને દૂર કરવામાં મદદ કરે છે જેથી પાચન ક્રિયા સારી થાય છે.
ઈમ્યુનીટી વઘારે: જામફળમાં રહેલ વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં મોસંબી કરતા પણ વઘારે પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે. જેથી રોગપ્રતિકારક શક્તિ વઘે છે. જેના કારણે વાયરલ ઈન્ફેકશન દૂર થાય છે.
જો વઘારે પડતી ચિંતા અને તણાવ રહેતો હોય તો જામફળનું સેવન કરવાથી ઘણી રાહત મળે છે. માટે શિયાળામાં મળી આવતા લાલ જામફળનું સેવન દરરોજ કરવાથી ઘણી સમસ્યા દૂર થાય છે. અને સ્વાસ્થ્ય ને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.