શરીર લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી બની રહે તે દરેક વ્યક્તિ ઈચ્છે છે. પરંતુ અત્યારની જીવન શૈલીમાં એવા કેટલાક ફેરફાર થઈ રહ્યા છે જે આપણા જીવન ને ઘણું મુશ્કેલ બનાવી શકે છે. પરંતુ આપણે આપણા આહારમાં એવી એવી કેટલીક વસ્તુ ખાવી જોઈએ આપણા શરીરને હેલ્ધી બનાવી દેશે.

વર્ષોથી આયુર્વેદમાં ઘી સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માટે વર્ષો પહેલા ઘી ને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈને કેટલાક રોગોને દૂર કરવામાં મદદ મેળવી શકાય છે. ઘી આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઘીનો ઉપયોગ કરીને પેટને લગતી સમસ્યાને દૂર કરવામાં પણ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ ઉપરાંત આખો દિવસ કામ કરીને હાથ પગ માં દુખાવા થતા હોય તો ઘી નો ઉપયોગ કરવાથી રાહત મેળવી શકાય છે.

આજના સમયમાં ઘણા લોકોને ખુબ જ કામ કરીને આવ્યા હોય અને રાત્રે સુવા જાય ત્યારે તેમને ઊંઘ પણ નથી આવતી કે અનીદ્રારની સમસ્યા રહેતી તેવા લોકોને પથરીમાં સુતા હોય તેમને પણ ઊંઘ આવતી હોતી નથી. તેમના માટે પણ ઘી સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

એક ચમચી ઘી ખાવાથી શરીરનો ગમેએવો થાક હશે તો દૂર કરી શકાય છે, ઉપરાંત સોજાની સમસ્યા હોય કે અપચાની સમસ્યા હોય તેવા એક ચમચી ઘી ખાઈ લેવાથી ખુબ જ રાહતનો અનુભવ મેળવી શકાય છે. અત્યારે હાલમાં ઉનાળામાં કાળઝાળ ગરમીમાં સૌથી વધુ પગના તળિયામાં બળતરા ની સમસ્યા હોય છે.

આવી સ્થતિમાં પગના તળિયામાં થતી બળતરામાં રાહત મેળવવા માટે ઘીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેના વિષે જણાવીશું. આ માટે સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી દેશી ઘી લઈ લો, હવે એ ઘી ને પગના તળિયામાં લગાવીને માલિશ કરો, જ્યાં સુધી પગના તળિયામાં ગમાવો ના થાય ત્યાં સુઘી પગમાં માલિશ કરવાનું છે.

બંને પગમાં વારા ફરીથી માલિશ કરવાથી પગના તળિયામાં થતી બળતરામાં રાહત મળશે. આ ઉપરાંત રાત્રીના સમયે પગના તળિયામાં માલિશ કરવાથી ખુબ જ સારી અને ધસધસાટ ઊંઘ આવી જશે, જેથી અનિદ્રાની સમસ્યા હશે તે પણ દૂર થઈ જશે.

પગના તળિયામાં માલિશ કરવાથી રાત્રે સૂતી વખતે નાશકોરા ની સમસ્યા હોય તો એ પણ દૂર થઈ જશે. આ ઉપરાંત પગના તળિયામાં માલિશ કરવાથી અપચો અને કબજિયાત ની સમસ્યામાં રાહત મેળવામાં મદદ કરશે. આખો દિવસ કામ કરીને થાક લાગે ત્યારે પગના તળિયામાં માલિશ કરવાથી થાક દૂર થઈ જાય છે અને ખુબ જ આરામનો અહેસાસ થાય છે.

પગના તળિયામાં રોજે માલિશ કરવાથી વાત દોષ દુર થાય છે, તણાવ માંથી મુક્તિ મેળવવા માટે દેશી ઘીની માલિશ ખુબ જ ફાયદાકારક છે, જે મન ને શાંત રાખવામાં મદદ કરે છે. ઘી ની માલિશ શરીર પર કરવાથી સ્નાયુઓ મજબૂત અને ચેર સાથે માંશપેશીઓ માં હતી તણાવની સમસ્યા દૂર થાય છે, આ ઉપરાંત સાંધા મજબૂત અને સ્ટ્રોંગ બને છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *