આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણે બધા વિટામિન D વિષે જાણીએ છીએ જે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોવું ખાસ જરૂર હોય છે. આપણે બધા જાણીએ છીએ કે વિટામિન D મેળવવાનો મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. જો આપણે નિયમિતપણે સવારે 10 થી 15 મિનિટ સુધી નોર્મલ સૂર્યપ્રકાશમાં બેસીએ તો તેના આપણે ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે.

ગામડામાં તો લોકો તડકામાં જ રહે છે, ખેતરમાં કામ કરે છે પરંતુ શહેરના ઘરોમાં સૂર્યપ્રકાશ બહુ ઓછો આવે છે, પરંતુ સ્વસ્થ રહેવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. તેથી તમને બાલ્કની, ટેરેસ જ્યાં પણ મળે ત્યાં દરરોજ થોડો સમય સૂર્યપ્રકાશ લેવો જોઈએ.

સૂર્યપ્રકાશના ફાયદા : તમને જણાવીએ કે હાડકાંને મજબૂત બનાવવામાં સૂર્યપ્રકાશ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સૂર્યપ્રકાશથી મેટાબોલિજ્મમાં સુધારો આવે છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. એક સંશોધન મુજબ સૂર્યપ્રકાશ અને BMI વચ્ચે ઊંડો સંબંધ છે. તે વજન ઘટાડવામાં ઘણીં મદદ કરે છે.

આપણે શરીરને જરૂરી 90% વિટામિન D સૂર્યપ્રકાશમાંથી મેળવી શકીએ છીએ. તે ઓસ્ટીયોપોરોસીસ થવાની શક્યતા પણ ઘટાડે છે. સૂર્યપ્રકાશ લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે આપણને શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.

તમને જણાવીએ કે સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન બનવા લાગે છે, જેનાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને તમને રાત્રે ઘાઢ ઊંઘ આવે છે. દરરોજ થોડીવાર તડકામાં બેસી રહેવાથી શરીર બેક્ટેરિયા મુક્ત બને છે અને ત્વચા ચમકવા લાગે છે. તેનાથી ત્વચા પરના ડાઘ, ખીલ અને સ્કિન ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ દૂર થાય છે.

નિયમિત રીતે તડકામાં થોડીવાર બેસી રહેવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે, હૃદયરોગ જેવી ગંભીર બીમારીનો ખતરો પણ ઓછો થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. સૂર્યપ્રકાશ રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. સૂર્યસ્નાન કરવાથી લોહીમાં રેડ બ્લડ સેલ્સ એટલે કે લાલ રક્તકણો અને શ્વેત રક્તકણો એટલે કે વાઈટ બ્લડ સેલ્સની સંખ્યામાં વધારો થાય છે.

આના કારણે પાચનતંત્ર બરાબર રહે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. સૂર્યસ્નાન કરવાથી મગજ સ્વસ્થ રહે છે અને તમામ પ્રકારના ઈન્ફેક્શન, ફંગલ ઈન્ફેક્શન અને અન્ય ઘણી બીમારીઓ પણ સૂર્યપ્રકાશથી મટી શકે છે.

વિટામીન Dની ઉણપને પૂરી કરવાનો સૌથી સરળ ઉપાય છે સવારે 10 વાગ્યા પહેલા સૂર્યપ્રકાશમાં થોડી વાર જઈને બેસી જવું. દરરોજ 15 થી 20 મિનિટ સૂર્યસ્નાન કરવાથી વિટામિન-D ની ઉણપને દૂર કરી શકાય છે.

સંશોધન મુજબ વિટામિન D કોરોના જેવી બીમારી સામે લડવામાં પણ મદદ કરે છે. વિટામિન-D કોરોના દર્દીઓમાં વાયરસને ગંભીર બનતા અટકાવે છે અને તેનાથી થતા મૃત્યુના જોખમને પણ ઘટાડે છે.

કેટલા સૂર્યપ્રકાશની જરૂરી છે? અઠવાડિયામાં 3દિવસ સવારે 20 થી 30 મિનિટ સૂર્યપ્રકાશ લેવો પૂરતું છે. આના કારણે શરીરને જરૂરી વિટામિન D પૂરું કરી શકાય છે.

આ બાબતોનું ધ્યાન રાખો : તીવ્ર સૂર્યપ્રકાશ લેવાનું ટાળો. કારણકે તેમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. આ કિરણો ત્વચાના કેન્સરનું કારણ પણ બની શકે છે. શરીરમાં પરસેવો થયા પછી તડકામાં ન બેસો.

બપોર પછી તડકામાં બેસવાથી વધુ ફાયદો નથી થતો, પરંતુ તમને ચોક્કસ નુકસાન થઈ શકે છે. તેથી બપોર પછી તડકામાં જવાનું હંમેશા ટાળો. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે ભારતમાં લગભગ 80% લોકોમાં વિટામિન- D ની ઉણપ જોવા મળે છે.

ખરેખર એ ચિંતાનો વિષય છે કે 90% બાળકો પણ વિટામિન- D ની ઉણપને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એકલા દિલ્હીમાં જ 90 થી 97 ટકા શાળાના બાળકો (6-17 વર્ષની વયના)માં વિટામિન-D ની ઉણપ જોવા મળી છે, જ્યારે ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં તમને પૂરતો સૂર્યપ્રકાશ મફતમાં મળે છે.

તો જો તમે પણ હાડકા મજબૂત બનાવવા માંગતા હોય અને ઘણી બીમારીથી બચવા માંગતા હોય તો તમારે દરરોજ 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. આવી જ વધારે માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *