જો દરેક વ્યક્તિ આ ત્રણ વસ્તુને રાત્રે પલાળીને સવારે ખાઈ લે છે તેમનુ શરીર ખુબ જ મજબૂત થઈ જાય છે. એટલે કે આ વસ્તુનું સેવન કરવાથી તમારા શરીરના મોટાભાગના રોગથી મુકત થઈ જાય છે.

આ ત્રણ વસ્તુમાંથી વિટામિન-સી, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન-બી6, ફોસ્ફરસ. પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિટ, વિટામિન-એ, વિટામિન-ઈ, ફાયબર, ઝીંક જેવા તત્વો પુષ્કર પ્રમાણમાં મળી આવે છે. માટે આ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં કોઈ પણ પોષક તત્વોની ઉણપ હોય તો તે ઉણપને પણ દૂર કરી દેશે.

જો તમારા શરીરમાં પ્રોટીનની ભરપૂર હોય તો તમને અનેક રોગથી બચાવે છે. તેમાં રહેલ મેગ્નેશિયમ નબળા પડેલા હાર્ટને મજબૂત અને હેલ્ધી બનાવે છે. જો શરીરમાં ફાયબર અને પોટેશિયમની ઉણપ હોય તો વાયુના રોગ, પેટને લગતા રોગ થવાની શક્યતા રહે છે. માટે આ તત્વોની ઉણપને દૂર કરવા માટે આ ત્રણ વસ્તુ ખુબ જ ફાયદાકારક છે.

આ સિવાય જેમને પાચન શક્તિ નબળી હોય તેમને પણ સુઘારવામાં મદદ કરે અને પાચનક્રિયાને મજબૂત બનાવે છે. માટે આ ત્રણ વસ્તુ શરીરને અંદરથી મજબૂત બનાવવામાં ખુબ જ ઉપયોગી છે. તો ચાલો જાણીએ કઈ વસ્તુનું સેવન કરવાથી શરીર લોખંડ જેવું મજબૂત થાય તેના વિષે જાણીએ.

મગફળી: મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટમાં વધુ પ્રમાણમાં થાય છે. વિટામિન-ઈ ઘણા બધા માંથી મળી આવે છે પરંતુ સૌથી વધારે વિટામિન-ઈ મગફળીમાં મળી આવે છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ અને પ્રોટીન મળી આવે છે. માટે મગફળીનું સેવન કરવું ખુબ જ લાભદાયક છે.

જો રાત્રે 10 દાણા મગફળીના પલાળીને સવારે ખાવામાં આવે તો શરીરમાં થઈ રહેલ સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા, કમરના દુખાવા દૂર થઈ જાય છે. આ ઉપરાંત શરીરમાં વિટામિન-ઈ, કેલ્શિયમ, વિટામિન-સી, પ્રોટીન જેવા તત્વોની ઉણપ દૂર થઈ જાય છે અને શરીરને મજબૂત બનાવે છે.

મગ: મગનું સેવન આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે. મગને શાક બાનવીને ખાઈ શકાય, મગને ફણગાવીને ખાઈ શકાય છે. કેમ દરેક વસ્તુ પાણીમાં પલાળીને ખાવાથી વાયુ અને પિત્તના રોગ દૂર થઈ જાય છે.

તેમાં રહેલ મેગ્નેશિયમ તત્વ હાર્ટના બ્લોકેજને દૂર કરે છે. તેનું સેવન કરવાથી લોહીનું પરિવહન સારું થાય છે. જેના કારણે થાક, કમજોરી, શ્વાસ ચડવો, ચક્કર, અશકતી જેવી ઘણી સમસ્યામાં દૂર થઈ જાય છે. માટે દરરોજ મગને પલાળીને ખાવાથી શરીર મજબૂત રહેશે અને અનેક રોગથી રક્ષણ કરશે.

ચણા: પલાળેલા ચણા નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત ગેસ, કબજિયાત જેવી પેટની સમસ્યાને દૂર કરીને પાચનક્રિયાને મજબૂત બનાવશે. માટે જો તમે રાત્રે ચણા ને પલાળીને સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ, ફાયબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-સી ઉણપ દૂર થાય અને શરીરને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી આંખો તેજ થાય અને વાળને મજબૂત બનાવે છે.

અમે જણાવેલ ત્રણ વસ્તુઓ શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન વિટામિન-ઈ ની ઉણપ ને દૂર કરે છે. જે સાંઘાના દુખાવા, ગોઠણ ના દુખાવા, કમરના દુખાવા ને દૂર કરે છે. આ ઉપરાંત આ ત્રણ વસ્તુનું સેવન શરીરમા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવી રાખે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *