આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શિયાળામાં ઠંડીની સીઝનમાં આ વસ્તુઓનું સેવન કરી લો અને લોહીને બનાવી લો પાતળું. જેથી હાર્ટઅટેક અને સ્ટોક ની સમસ્યા ક્યારે આવશે નહીં. કારણે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે તેવા સમયે હાર્ટઅટેકનો હુમલો આવવાની શક્યતા વઘી જાય છે.

મોટી ઉંમરના લોકોમાં હાર્ટએટેકની સમસ્યા ખુબ જ વધુ જોવા મળે છે. પરંતુ અત્યારના સમય માં 35-40 વર્ષની ઉંમરના લોકોને આ સમસ્યા થતી હોય છે. આ ઉપરાંત બ્લડ પ્રેશનની સમસ્યા હોય તેમને ઠંડીની ઋતુ ખુબ જ મુશ્કેલી પડે છે.

શિયાળાની ઠંડીની ઋતુમાં વાતાવરણ ખુબ જ ઠંડુ હોય છે જેના કારણે આપણા શરીરમાં જે ગરમીની જરૂર હોય છે તે ગરમી મળતી નથી જેના કારણે પાતળું લોહી જાડું થઈ જતું હોય છે. એવામાં લોહી જાડું થવાથી નળીઓ બ્લોક થવા લાગે છે.

આ ઉપરાંત લોહી જાડું થવાથી એક જગ્યાએ ગંઠાઈ જતું હોય તેવામાં લોહીનું પરિભ્રમણ ના થવાના કારણે હાર્ટ અટેક અને સ્ટ્રોક ની સમસ્યા થવાની ખુબ જ વઘી જાય છે. એવામાં શિયાળામાં ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. માટે શરીરમાં લોહીને પાતળું કરવા માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી લોહી પાતળું રહેશે.

જો તમે આ વસ્તુનું સેવન શિયાળામાં વધુ માત્રામાં સેવન કરશો તો હાર્ટ અટેક જેવી સમસ્યા થશે નહિ. આ ઉપરાંત લોહી જામી જવાની સમસ્યા પણ ક્યારેય થશે નહિ. તો ચાલો કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જાણીએ.

લસણ: લસણના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે. શિયાળામાં ભરપૂર માત્રામાં લસણ મળી આવે છે. લોહીને પાતળું રાખવા માટે લસણ ખુબ જ ઉપયોગી છે. લસણનું નિયમિત સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ ખુબ જ સારું થાય છે. જો શરીરમા જાડા લોહીને પાતળું કરવું હોય તો દરરોજ આહારમાં લસણ નો ઉપયોગ કરવો જોઈએ.

આ ઉપરાંત દરરોજ એક કે બે લસણની કળી ખાઈ લેવાથી પણ બ્લડ સરકયુલેશન સારું થાય છે. આ ઉપરાંત ગંઠાઈ ગયેલ લોહી પણ છૂટું પડી જાય છે. જો તમે શિયાળામાં લીલા લસણનું સેવન કરો તો તે પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. તેનું સેવન કરવાથી પણ શરીરમાં લોહી પાતળું રહે છે અને બ્લડ પ્રેશર અને હાર્ટ અટેકની સમસ્યાથી પણ બચાવે છે.

દાડમ: દાડમ નું સેવન કરવાથી પણ લોહીને પાતળું કરી શકાય છે. તેનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ માં સુધારો થાય છે. દાડમમાં એવા કેટલાક એન્જાઈમ નામના તત્વો મળી આવે છે જે ગંઠાઈ ગયેલ લોહીને પાતળું કરે છે. જેના કારણે આખા શરીરમાં લોહી સરળતાથી પહોંચી જાય છે.

આદું: શિયાળામાં આદું ભરપૂર મળી આવે છે. આદુંમાં આયુર્વેદિક ઔઘીય ગુણ મળી આવે છે. માટે તમે આદુંને ચા માં નાખીને પી શકો. આદું આપણા હાર્ટ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. તેનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જાડા લોહીને પાતળું રાખે છે.

આ ઉપરત બ્લોક નસોને ખોલવા માટે પણ આદું ખુબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી આદુનો પાવડર એટલે કે સૂંઠ પાવડરના કહીને પીવાથી પણ લોહીનું પરિભ્રમણ સારું થાય છે. તેનું સેવન કરવાથી લોહી ગંઠાઈ જવાની સમસ્યા દૂર થાય અને હાર્ટ અટેકથી બચાવવામાં મદદ કરે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *