આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

અત્યારના સમય માં ઘણા લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય છે. ઘણા લોકો પથારીમાં સુઈ જાય તો પણ અડધો કલાક કે કલાક થઈ જાય તેમ છતાં પણ તે વ્યક્તિ આમ તેમ પડખું ફેરવતા રહેતા હોય છે. તેમ છતાં પણ તેમને ઊંઘ આવતી નથી.

જો તમારે ખુબ જ સારી અને ઝડપથી ઊંઘ લેવી હોય તો આયુર્વેદ અનુસાર કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. માટે આયુર્વેદ અનુસાર જો તમે આ નિયમનું દરરોજ પાલન કરશો તો તમને માત્ર 5 મિનિટ માં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે.

આપણે આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે યોગ્ય પૌષ્ટિક આહારની જરૂર પડતી હોય છે. તેવી જ રીતે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે સારી ઊંઘ લેવી તેટલી જ જરૂરી છે.

ઘણી વખત ઊંઘ પુરી ના થવાના કારણે માથું દુખવું, આખો માં બળતરા થવી, ગરદનમાં દુખાવા, થાક, તણાવ, નબળાઈ થવા જેવી સમસ્યા થતી હોય છે. માટે સારી અને ઘસઘસાટ ઊંઘ લાવવા માટે તમારે આ નિયમોનું પાલન કરવું જેથી તમને માત્ર પાંચ મિનિટ માં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે.

પહેલો નિયમ: સૌથી પહેલા આપણે આપનો ઊંઘવાનો સમય નક્કી કરી લેવો જોઈએ. જો તમે 9 વાગીયાનો સમય નક્કી કરો તો 9 વાગે સુઈ જવું અને જો 10 વાગ્યાનો સમય નક્કી કરો તો 10 વાગે સુઈ જવું જોઈએ. જો તમે દરરોજ સમય નક્કી કર્યા અનુસાર એક જ સમયે દરરોજ સુઈ જશો તો ખુબ જ સારી ઊંઘ આવી જશે.

તમે નક્કી કરેલ સમય પ્રમાણે સુઈ જશો તો તમે સવારે ઉઠો ત્યારે તમારી ઊંઘ પુરી થઈ જાય છે. જેના કારણે શરીરમાં આળશ કે નબળાઈ રહેતી નથી.આ ઉપરાંત ઊંઘ પુરી થવાથી માથું દુખાવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

બીજો નિયમ: રાત્રે સુતા પહેલા જમવાનો સમય પણ આપડે ફિક્સ રાખવો જોઈએ. કારણકે આયુર્વેદ માં જણાવ્યું છે કે સૂર્યાસ્ત સમય થાય ત્યારે ભોજન ગ્રહણ કરી જ લેવું જોઈએ. પરંતુ આપણી વ્યસ્ત જીવન શૈલીમાં તે પોસિબલ નથી. માટે દરેક વ્યક્તિએ ઊંઘવાના બે કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. જેથી ખાધેલ ખોરાકને પચવામાં સમય મળી રહે અને ખુબ જ સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

ત્રીજો નિયમ: સારી ઊંઘ મેળવવા માટે સાચી દિશામાં ઊંઘવું ખુબ જ જરૂરી છે. આ માટે પૂર્વ દિશામાં એટલે કે સૂર્ય ઉગે તે દિશામાં માથું રાખવું અને તેની વિરુદ્ધ દિશામાં પગ રાખવા. આ રીતે દરરોજ સુઈ જવાથી ખુબ જ સારી ઊંઘ આવશે.

ચોથો નિયમ: રાત્રે કેવી ઊંઘવું જોઈએ જેથી સારી ઊંઘ લાવી શકાય. આ માટે સીઘા પર પીઢ પર સુઈ જવું, આપણું મુખ આકાશ તરફ રાખવું અને આપણા બંને હાથ સાઈડમાં લાંબા રાખીને સુઈ જવું. આવી રીતે આપણે રાત્રે સુઈ જઈશું તો ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

પાંચમો નિયમ: જો આપણે ઊંઘ આવતી ના હોય અને આમ તેમ પડખા ફેરવતા હોઈએ ત્યારે આપણે પથારીમાં બેસીને જમણી સાઈડનું નાક બંઘ કરી લેવું અને ડાબા નાકથી ઊંડો શ્વાસ લઈને બહાર નીકાળવો. એવું ત્રણ થી ચાર મિનિટ કરવાથી ખુબ જ સારી અને મીઠી ઊંઘ આવે છે.

જો તમને પણ ઊંઘ આવતી ના હોય અને ખુબ સારી ઊંઘ લાવવી હોય તો આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરજો જેથી તમને ખુબ જ સારી અને માત્ર પાંચ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *