ઘુંટણ ના દુખાવા થવા આજના સમયમાં ખુબ જ સામાન્ય થઈ ગયા છે. ઘુંટણ ના દુખાવા ખાસ કરીને 35+ મહિલાઓમાં વધુ જોવા મળતો હોય છે, જેના કારણે જેમ જેમ ઉમર વધતી જાય છે તેમ એ દુખાવો પણ વધતો જતો હોય છે, આ માટે લાંબા સમય સુધી ઘુંટણ ના દુખાવા ના રહે તે માટે કેટલાક આયુર્વેદિક ઘરેલુ ઉપાય અપનાવીને ઘુંટણના થતા દુખાવામાં ઘણી રાહત મેળવી શકાય છે.
મોટા ભાગના લોકો સવારે ઉઠે ત્યારે ઘુંટણ દુખાવાની ફરિયાદ કરતા જોવા મળતા હોય છે, આ સાથે ઘણા લોકોને હાથ પગમાં કળતર થતી હોય, કે સાંધા ના કે કમરના દુખાવા થતા જોવા મળતા હોય છે, જે આજની આધુનિક બદલાયેલ જીવન શૈલી અને શરીરને અનુકુળ ના હોય તેવા ખોરાક ખાવાના કારણે વ્યક્તિ ઘુંટણ ના દુખાવા જેવી અનેક બીમારીથી પીડાઈ રહ્યો છે.
ઘુંટણ ના દુખાવા આમ તો 50+ ની ઉંમરે જોવા મળતા હોય છે પરંતુ આજે વ્યક્તિ 25-30 વર્ષ ની ઉંમર પછી પણ ઘુંટણ ના દુખાવાની સમસ્યાથી પીડાતો થઈ રહ્યો છે. જયારે ઉઠવા બેસવાની કેટલીક ખરાબ કુટેવ હોય તો પણ ઘુંટણ ના દુખાવા થતા હોય છે.
આ સિવાય જોઈન્ટ માં લુબ્રિકેંટ નું પ્રમાણ ઓછું થવાના કારણે પણ ઘુંટણમાં દુખાવા થતા જોવા મળે છે. ઘણી વખત વજન વધુ હોવાના કારણે પણ ઘુંટણ માં ભાર પડવાના કારણે પણ દુખાવા થતા હોય છે, વધુ વજન ઉપાડવાથી ઘુંટણ પર ખુબ જ જોર પડવાના કારણે ઘુંટણમાં દુખાવો થતો હોય છે.
ઘુંટણમાં દુખાવા થાય તો તેને તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો જોઈએ નહિ તો તે વધતી ઉંમરે ખુબ જ પરેશાની માં મૂકી શકે છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ દેશી આયુર્વેદિક ઉપાય જણાવીશું જેની મદદથી ઘુંટણમાં થતા દુખાવામાં રાહ મળશે.
ઘુંટણના દુખાવાના ઘરેલુ ઉપાય:
ગિલોયનો પાવડર: આયુર્વેદમાં ગિલોયનો પાવડર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, તેમાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે જે ઘુંટણના દુખાવા ઉપરાંત પણ ઘણા બધા ફાયદા રૂપ સાબિત થાય છે. ગિલોયને ગળો તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઘુંટણમાં દુખાવો થતો હોય તો રોજે સવારે એક ચમચી ગિલોય પાવડરને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પછી પી જાઓ, આ પાણી પીવાથી ઘુંટણમાં થતા દુખાવામાં ઘણી રાહત મેળવી શકાય છે. આ પીણું આયુર્વેદિક પીણું છે.
જે ઘુંટણ ના થતા દુખાવા ઉપરાંત શરીરમાં થતી કળતર, હાથ પગના દુખાવા, કમરના દુખાવા, સ્નાયુના દુખાવા થતા હોય તો તેમાં પણ ખુબ જ રાહત આપવાનું કામ કરે છે. જો તમે નિયમિત પણે ગિલોયના પાવડરનું સેવન કરો છો તો થોડા જ દિવસમાં ઘુંટણમાં થતા દુખાવામાંથી આજીવન માટે છુટકાળો મેળવી શકાય છે.
આ પાણી પીવાથી શરીરમાં ઈમ્યુનિટી માં પણ વધારો કરે છે જે શરીરમાં અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ઘુંટણના થતા દુખાવામાં તેલની માલિશ પણ કરી શકો છો.
આ માટે લવિંગનું તેલ, લીમડાનું તેલ, સરસવનું તેલ આ માંથી કોઈ પણ એક તેલ લઈને દિવસમાં બે વખત ઘુંટણમાં માલિશ કરવી જોઈએ જેથી ઘુંટણ માં થતા દુખાવામાં ઘણી રાહત ઘણી રાહત મળશે, તેલની માલિશ કરવાથી જોઈન્ટ માં ભરી ગયેલ વાયુને દૂર કરે છે અને લુબ્રિકેંટ ની કમીને પુરી કરે છે જેથી દુખાવામાં આરામ થાય છે.