મોટાભાગના ઘણા લોકો ઓફિસે અને ઘરકામ પણ કરતા હોય છે તેમને દિવસ દરમિયાન વધુ થાક લાગતો હોય છે. આખો દિવસ કામ કરીને આવે ત્યારે શરીરને પૂરતો આરામ મળી રહે તેવી કોશિશ કરતા હોય છે અને પૂરતી ઊંઘ પણ લેતા હોય છે.
પરંતુ તેમને પૂરતી ઊંઘ અને આરામ કરવા છતાં પણ શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થતો હોય છે. જો તમને શરીરમાં વારે વારે થાક અને નબળાઈના કારણે કમજોરી નો અનુભવ થતો હોય તો શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનો અભાવ પણ હોય શકે.
રોજિંદા આહારમાં અનિયમિત ખોરાક લેવાના કારણે પણ શરીરમાં પોષક તત્વોનો ઉણપ થતી હોય છે. આ માટે આપણા આહારમાં પણ કેટલાક ફેરફાર લાવવા પણ ખુબ જરૂરી છે. જે આરોગ્યને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
સ્વાસ્થ્યને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. હાલમાં શિયાળાની શરૂઆત થઈ છે તેવામાં ખુબ જ પ્રમાણમાં લીલા પાંદડા વાળા શાકભાજી મળી આવે છે. આજે અમે તમને થાક અને નબળાઈને દૂર કરવા માટે કયાં પૌષ્ટિક આહાર ખાવા જોઈએ તેના વિશે જણાવીશું.
લીલા પાંદડા વાળા શાકભાજી: લીલા પાંદડા વાળા શાકભાજીમાં શરીરને જરૂરી એવા પોષક તત્વો મળી આવે છે. આ ઉપરાંત તેમાંથી વિટામિન અને ખનીજ તત્વો પણ સારી માત્રામાં મળી આવે છે. જે શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જાનો સંચાર કરવામાં મદદ કરે છે. લીલા પાંદડા વાળા શાકભાજીમાં પાલક ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. આ સિવાય બજારમાં મળતા અન્ય લીલા પાંદડા વાળા શાકભાજી પણ ખાવા જોઈએ.
તેમાં આયર્ન પણ સારા પ્રમાણમાં મળી આવે છે. જો શરીરમાં આયર્ન ની ઉણપ હોય તો થાક અને નબળાઈનો અનુભવ થાય છે માટે આયર્નની ઉણપ દૂર કરવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. જે થાક અને કમજોરીને પણ દૂર કરશે. આ સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિએ મજબૂત બનાવશે.
ફળો ખાવા : શરીરમાં થાક અને નબળાઈને દૂર કરવા માટે સીઝનમાં મળતા ફળો ખાવા જોઈએ. ફળો ખાવાથી આરોગ્ય ખુબ જ સારું રહે છે. આ માટે દિવસ દરમિયાન વધુ કામ અને દોડધામ ના કારણે શરીરમાં થાક અને નબળાઈ આવતી હોય તો રોજે કોઈ પણ એક ફળ ખાવું જોઈએ. જે થાક ને કમજોરીને દૂર કરશે.
જો તમને અવારનવાર થાક લાગવાની સમસ્યા રહેતી હોય તો રોજિંદા આહારમાં લીલા પાંદડા વાળા શાકભાજી અને ફળો નું સેવન કરવું જોઈએ, જેને ખાવાથી હૃદય, લીવર, ફેફસા, કિડની, હાડકા, ત્વચા, વાળ, આંખો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.