આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

પગની એડીનો દુખાવો ઘણા લોકોને થતો જોવા મળે છે, એડીમાં થતા દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, પગની એડીમાં થતા દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આ સાથે પગની એડીના થતા દુખાવાના કારણ વિષે પણ જણાવીશું.

પગની એડી દુખાવાના કારણો: પગની એડીનો દુખાવો મહિલાઓમાં વધુ જોવા મળતો હોય છે. કારણકે મહિલાઓ વધુ સમય સુધી ઉભા ઉભા રસોઈ કરતા હોય છે જેના કારણથી આખા શરીરનું વજન એમની એડી એટલેકે પગની પાની પર આવતું હોય છે જેથી પગની એડીમાં દુખાવા થતા હોય છે.

જેમનું વજન વધારે હોય છે એવા લોકોમાં ને અમુક ઉમર એટલેકે 30+ પછી પગની એડીનો દુખાવો થવાની શક્યતા વધુ રહેતું હોય છે. આ ઉપરાંત જે લોકો વધુ લમ્બો સમય સુધી એક ધારું ચાલ્યા હોય તો તેમને પણ એડીનો દુખાવો રહેતો જેવા મળે છે.

આ સિવાય ઘણી મહિલાઓને ઊંચી એડી વાળા સેન્ડલ કે ચમ્પલ પહેરવાની આદત હોય છે તે મહિલાઓને પગની પાનીમાં દુખાવા થવાની શક્યતા વધુ રહેતી હોય છે. આ ઉપરાંત શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધઘટ થતું રહેતું હોય છે જેના કારણે પણ પગની એડીમાં દુખાવા થતા હોય છે.

હિલમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે આયુર્વેદિક ઉપચાર ખુબ જ અસરકારક સાબિત થશે. આ માટે આજે અમે તમને એડી (હિલ) માં થતા દુખાવાને રાહત આપવા માટેના દેશી ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાય કરવાથી ખુબ જ ઝડપથી આરામ મળશે.

પગની એડીમાં થતા દુખાવાના ઘરેલુ ઉપાય:
1. આ માટે તમે બરફનો ઉપયોગ કરી શકો છો, તમને પગની એડીમાં દુખાવો થતો હોય તો બરફ નો ટુકડો લઈને એડીમાં ધસીને માલિશ કરવાનું છે. બરફનો ઉપયોગ કરવાથી દુખાવામાં ખુબ જ આરામ મળશે.

2. એક અડધી ડોલ પાણીની ભરી લેવાની છે, ત્યાર પછી તે પાણીમાં સિંધવ મીઠું નાખીને તે ડોલમાં પગ 15-20 મિનિટ સુધી ડબોળી રાખવાના છે, આ સમયે તમે પગની અડીને અંદર જ માલિશ કરી લો જેહિ દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળી જશે.

3. પગની એડીમાં ખુબ જ અસહ્ય દુખાવા અવારનવાર રહેતા હોય તો મેથીનો પાવડર અને હળદર બંને એક સાથે મિક્સ કરીને એક ચમચી સવારે અને સાંજે ફાંકી ઉપરથી હૂંફાળું પાણી પી જાઓ આમ આ ઉપાય કરવાથી પગની એડી ઉપરાંત સાંધા ના દુખાવા, કમરના દુખાવા, ઢીચણ ના દુખાવા હશે તો એ પણ દૂર થશે. શરીરમાં કેલ્શિયમ ની કમી હોવાના કારણે પણ હિલ પેઈન થતું હોય તો તે કમીને પુરી કરી દુખાવામાં રાહત આપે છે.

4. લવિંગ ના તેલમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે જે એડીના દુખાવા માં 15-20 મિનિટ માલિશ કરવાથી ખુબ જ ઝડપથી આરામ આપશે, આ માટે લવિંગના તેલની મળીશ કરીશ એડીમાં કોર્ટન નું કપડું બાંધી ને આખી રાત માટે રહેવા દો જેથી એની અસર ખુબ જ સારી થશે. સાંઘા, કમર, ઢીંચણ, સ્નાયુઓ માં દુખાવા હોય તો એ જગ્યાએ પણ લવિંગના તેલની માલિશ કરવાથી દુખાવા દૂર થાય છે.

જો તમે એડીના દુખાવાથી ખુબ જ પરેશાન થઈ ગયા હોય ઓ ઉપરોક્ત જણાવેલ ઉપાય કરવાથી તાત્કાલિક રાહત જોવા મળશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *