અત્યારના સમયમાં દરેક વ્યકતિની રહેણીકરણીમાં ઘણા ફેરફાર જોવા મળે છે. ઘણા લોકો બહારની અવનવી વાનગીઓ ખાવાના ખુબ જ શોખીન હોય છે. પરંતુ બહારની મોટાભાગની વાનગીઓ ભેરસેર વાળી હોય છે.

મોટાભાગની દરેક વ્યકતિને મસાલેદાર તીખું અને તરેલું ખાવાનું ખુબ જ ગમે છે. પરંતુ તે બઘી વસ્તુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બગડી પણ શકે છે. જો આપણું શરીર બગડે તો આપણા શરીરમાં કમજોરી અને થકાન અને નબળાઈ આવી શકે છે.

તેમ છતાં અત્યારના સમયમાં પણ ઘણા લોકો બહારનું ખાવાનું પસંદ કરે છે. જો આપણે બીમાર થઈ જઈએ તો આપણા શરીરમાં અશક્તિ આવી જાય છે. માટે આપણે આપણા ખાન પાન માં ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ.

હવે અમે તમને અશક્તિ થવાના લક્ષણો અને અશક્તિને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિને વઘારવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાયનો ઉપાય ખુબ જ સરળ છે જેથી તમે આસાનીથી શરીરમાં અશક્તિ અને નબળાઈને દૂર કરી શકશો.

અશક્તિ અને નબળાઈ થવાના મુખ્ય લક્ષણો: જો શરીરમાં અશક્તિ હોય તો કોઈ પણ કામ કરવામાં બેચીની રહેતી હોય છે. શરીરમાં અસ્ફૂર્તિ આવી જાય છે, કોઈ પણ કામ કરવામાં વારે વારે થાક લાગવો, શરીરમાં લોહીની ઉણપ થઈ જવી, શરીર વીક થવાથી ચક્કર આવે, તાવ આવે, ખોરાક ખાવાનું ના ભાવે, નબળાઈના કારણે મનમાં અશાંતિ રહેવી વગેરે નબળાઈના લક્ષણો છે.

અશક્તિ અને નબળાઈ દૂર કરવાના ઘરેલુ ઉપચાર: દરરોજ સવારે અને સાંજે એક- એક ચમચી શુદ્ધ મઘ ખાઈ લેવાનું છે. હવે મઘનું સેવન કર્યા પછી એક વાટકી દૂધ ગરમ કરીને પી જવાનું છે. આ ઉપાય દરરોજ કરવાથી શરીરમાં કયારેય અશક્તિ અને નબળાઈ આવશે નહિ અને મન શાંત રહેશે.

સૌથી પહેલા એક પતાસું લઈ લેવું, ત્યાર પછી વડનું દૂઘ તેના ઉપર લગાવીને ખાઈ લેવું. એનું સેવન દિવસમાં એક વખત કરવું. તેનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ પણ દૂર થશે અને શારીરિક કમજોરી પણ દૂર કરી દેશે. તે હદય અને મગજ બને માટે લાભ દાયક છે.

જો વારે વારે કોઈ પણ કામ કરતા હોય અને શરીરમાં અશક્તિ અને નબળાઈ આવી જતી હોય તો એક ખજૂર, એક ઈલાયચી, ત્રણ થી ચાર કિસમિસના દાણા બધાને મિસ કરીને એક ચમચી મઘ ઉમેરીને ખાઈ લેવું. તેનું સેવન દિવસમાં બે વખત કરવું.

શરીરમાં થાક નબળાઈ અને અશક્તિને દૂર કરવા માટે દરરોજ ત્રણ થી ચાર ખજૂર, દસ થી પંદર કિસમિસ ખાઈ લેવી જોઈએ. તેનું સેવન કરવાથી શરીરમાં લોહીને શુદ્ધ કરે છે અને નવું લોહી બનાવામાં મદદ કરે છે.

દરરોજ ચાર ખજૂર ખાઈ લીઘા પછી તેની ઉપર એક ગ્લાસ દૂધ પીવાથી શરીરમાં અશક્તિ અને નબળાઈ દૂર થઈ જાય છે. આ ઉપરાંત શરીરમાં સ્ફૂર્તિ આવે છે. અને આખો દિવસ કામ કરવા છતાં પણ થાક નો અહેસાસ થતો નથી.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *