જયારે વાતાવરણમાં ફેરફાર થાય છે ત્યારે શરદી ખાંસી અને ઉધરસ થવી એ સામાન્ય બાબત છે પરંતુ શરદી અને ખાંસીને કારણે કફની સમસ્યા થાય છે. બદલાતા વાતાવરણ કારણે ઘણીવાર છાતી અને ગળામાં કફ જામી જાય છે. છાતી અને ગળામાં કફ જામી જામી જવાથી નાના બાળકો વધુ પરેશાન થઇ જાય છે.

પરંતુ જો કફ વધુ થઇ ગયો હોય તો મોટી ઉંમરના લોકો પણ ખુબજ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ગળામાં કફ બનવાની શરૂઆત જ્યારે પણ કોઈને શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેકશન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યા થાય છે ત્યારે તે બનાવની શરૂઆત થાય છે.

સતત નાકમાંથી પાણી આવવું, છાતી અને ગળામાં કંઈક જામી ગયું હપોય તેવો અનુભવ થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી વગેરેનો સમાવેશ કફ થવાના લક્ષણોમાં થાય છે. હવે જાણીએ કફ દૂર કરવાના ઉપાયો વિષે.

ડુંગળીના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. ડુંગળીનો ઉકાળો કરી પીવાથી કફ દૂરથાય છે અને ઉધરસ પણ મટે છે. વધુ ઉધરસ આવે તો લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. દૂધમાં મરીનું ચૂર્ણ ઉકાળી પીવાથી ઉધરસ મટે છે. મરીના ચૂર્ણને જો સાકર, ઘી સાથે મેળવી ચાટવામાં આવે તો ઉધરસ મટાડી શકાય છે.

1 ચમચી મધ અને 2 ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે. હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી અને પીવાથી ઉધરસ મટે છે. સાકરને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ ને પણ મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.

સ્ટીમ લેવું એ કફને દૂર કરવા માટે સૌથી સારો વિકલ્પ ગણવામાં આવે છે. તેની ગરમીથી ગળાની ખરાશ દૂર થાય છે આ સાથે તે ગળા અને નાકના રસ્તાથી શરીરમાં પ્રવેશ કરે છે એટલે તે કફને પણ દૂર કરવામાં મદદ કરે છે. એક્સપર્ટ લોકો એક થી બે વાર સ્ટીમ લેવાની સલાહ આપે છે.

કાળા મરીનું સેવન છાતીમાં ગયેલા કફને દૂર કરવા માટે પણ ખુબજ લાભકારી સાબિત થાય છે. કાળા મરી ગળામાં ખરાશ, શરદી અને ખસીને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે મરીના ચૂર્ણમાં મધ, ઘી અને સાકર મેળવીને તેનું સેવન કરવાથી બધા પ્રકારની ખાંસી મટે છે.

દમ-શ્વાસ રોગમાં અડધી ચમચી જેટલા કાળા મરીનું ચૂર્ણ કરી એક ચમચી મધ, અડધી ચમચી ઘી અને થોડી સાકરમાં મિશ્ર કરીને સવાર-સાંજ સેવન કરવાથી ફાયદો થાય છે. પાણીમાં મીઠું નાખીને તેના કોગળા કરવાથી કફ દૂર થાય છે. ગળામાં દુખાવો થાય તોય હૂંફાળા પાણીમાં મીઠું નાખી તે પાણીથી કોગળા કરો તરતજ આરામ થઇ જશે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર ફુદીનાના તેલને ને છાતી પર લગાવવાથી કફને પ્રાકૃતિક રૂપથી દૂર કરવામાં મદદ મળે છે. થોડી ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઇ જાય છે અને તે નીકળી જાય છે આ સાથે ઉધરસપણ મટાડે છે. ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ માટી જાય છે.

ફુદીનાનો રસ પીવાથી પણ ઉધરસ માં ફાયદો થાય છે. હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા-એક મુઠ્ઠી જેટલા-સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવાથી હંમેશા માટે શરદી અને ઉધરસ મટાડી શકાય છે. મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્‍યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે આ સાથે કબજીયાતની તકલીફ પણ દૂર થાય છે.

હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફની ખાંસી એટલે કે કફના કારણે આવતી ખાંસી મટે છે આ સાથે જો નવશેકા પાણી સાથે અજમો ખાવામાં આવે તો પણ કફની ખાંસી મટે છે.

અરડૂસીનાં પાનને ઉકાળી તેનો રસ પીવાથી પણ સાથે શરદી, ઉધરસ મટે છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *