આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી હોવું ખુબજ જરૂરી છે કારણકે લોહી શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શરીરમાં લોહીની ઉણપ, જાડાઇ, લોહીમાં ગઠ્ઠા અથવા શરીરમાં વધુ પડતું લોહી વગેરે સ્વાસ્થ્યની અનેક સમસ્યાનું કારણ બની જાય છે.

અત્યારના સમયમાં ઘણા લોકોમાં લોહી જાડું થવાની સમસ્યા થાય છે. જે અનેક રોગોનું સૌથી મોટું કારણ બની જાય છે. કેટલાક લોકો લોહીને જાડું થતું અટકાવવા માટે જુદી જુદી દવાઓનો ઉપયોગ પણ કરે છે, જેમાં લોહી પાતળા કરનારા એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે.

લોહી ગંઠાઈ જવાનું જોખમ ઘટાડવા માટે દવાઓ સિવાય કેટલાક ખોરાક અને ઘરેલું ઉપાય પણ અસરકારક છે. આ માટે તમારી દિનચર્યામાં ફેરફાર કરીને, તમે સ્વસ્થ જીવન જીવી શકો છો.

તમને જણાવીએ કે લોહીના ગંઠાઇ જવાને કારણે હૃદયરોગ, કોલેસ્ટરોલમાં વધારો, હાર્ટ એટેક વગેરે હ્રદય સંબંધિત ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. તો ચાલો જાણીએ લોહીને જાડું થતું અટકાવવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે.

લોહીને શુદ્ધ કરવા માટે, ફાઈબરયુક્ત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ફાઈબરયુક્ત આહારના કારણે પાચન શક્તિ સારી રહે છે અને લોહી પણ યોગ્ય રહે છે. તમારા આહારમાં બ્રાઉન રાઇસ, ગાજર, બ્રોકોલી, મૂળા,, સફરજન અને તેના જ્યુસનો સમાવેશ કરવો જોઈએ એનાથી જાડું લોહી પાતળું બને છે.

લવિંગ એન્ટીઓકિસડન્ટ તત્વોથી ભરપૂર હોય છે જે લોહીમાં ગંઠાવાનું દૂર કરવામાં મદદ કરે છે. લવિંગમાં હાજર યુજેનોલ નામનો પદાર્થ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. જો કોઈ કારણોસર લોહીમાં ગઠ્ઠા જામી જાય તો લવિંગ તેને મૂળ સ્વરૂપમાં પાછું લાવવાનું કામ કરે છે. આ ગુણોને લીધે, ખોરાકમાં લવિંગનો ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે.

આ ઉપરાંત લોહીને સાફ અને પતળા થવા માટે શરીરમાંથી પરસેવો નીકળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે કસરત અથવા યોગ માટે દિવસમાં 30 મિનિટ જેટલો સમય કાઢો. બને તેમ ઊંડા શ્વાસ લો, સવારે શુદ્ધ ઓક્સિજન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. ઊંડા શ્વાસ ફેફસામાં ઓક્સિજન પ્રદાન કરે છે. જેના કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રહે છે અને લોહી જાડું થતું નથી.

લોહી સાફ કરવા માટે દરરોજ તુલસીના 5 થી 6 પાનનું સેવન કરવું જોઈએ. આ પાન શરીરમાં હાજર લોહીને સાફ કરશે. આ સાથે જ શરીરમાં ઑક્સિજનનો પ્રવાહ યોગ્ય રીતે વહેવામાં મદદ કરશે. જો તમારે શરીરનું લોહી સાફ કરવું હોય તો તમે આ ઉપાય અજમાવી શકો છો.

શાકભાજીમાં વપરાતા કારેલા જેટલા કડવા છે તેટલા જ ગુણકારી પણ હોય છે. એક કપ પાણીમાં 40 થી 55 ગ્રામ કારેલાનો રસ ભેળવીને થોડા દિવસ સુધી સેવન કરવાથી રક્ત શુદ્ધ થાય છે. ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી પણ લોહીના શુદ્ધિકરણ માટે કામ આવી શકે છે. ડુંગળીના રસ અને લીંબુનો રસ અથવા તેમાં મધ ભેળવીને દસ દિવસ રોજ પીવાથી અશુદ્ધ દૂર થાય છે તેમજ લોહીને શુદ્ધ કરે છે.

દ્રાક્ષમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે. દ્રાક્ષમાં જોવા મળતા પલ્સટીંગ ગુણધર્મો શરીરમાં લોહીની ગંઠાઇ જવાથી બચાવે છે. આ સિવાય રેસેવેરાટ્રોલ દ્રાક્ષની ઉપરની સપાટી પર જોવા મળે છે, જે પ્લેટલેટને લોહીમાં એક સાથે આવવાથી અટકાવે છે, લોહી ગંઠાવાનું અટકાવે છે અને લોહીને પાતળું બનાવે છે.

લસણમાં એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો હોય છે જે શરીરમાં જમા કરેલા મુક્ત રેડિકલને દૂર કરવા માટે કામ કરે છે, બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે અને તે લોહીના પ્રવાહને સંતુલિત કરવામાં તેમજ લોહીને પાતળા કરવામાં રામબાણ સાબિત થાય છે. ઓટ્સ અને બદામથી શરીર સ્વચ્છ રહે છે અને શરીરનું લોહી પણ સ્વચ્છ રાખવાની સાથે પાતળું કરે છે.

લાલ મરચું જાડા લોહીને પાતળું કરે છે. આ માટે રોજિંદા આહારમાં લાલ મરચાં નું સેવન કરવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *