આજની નવી જનરેશન પ્રમાણે ઘણા લોકોને ખાવાની કેટલીક ખરાબ ટેવ હોય છે, જે ટેવ સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે, આ માટે આપણે એવી કેટલીક વસ્તુઓ ખાવાની ટેવ છોડી દેવી જોઈએ. દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ આલગ અલગ જોવા મળતી હોય છે.

આજની યુવા પેઠીને કોઈ પણ સમયે ભૂખ લાગે અને કઈ પણ ખાઈ લેતા હોય છે, તેવામાં એવી કેટલીક વસ્તુઓ રાત્રીના સમયે કઈ પણ વિચરીયા વગર જ ખાઈ લેતા હોય છે, જેના કારણે આરોગ્ય ખરાબ થઈ જતું હોય છે.

આપણે રાત્રીના સમયે એવી કેટલીક વસ્તુઓ ખાઈ લઈએ છીએ જે ઊંઘ પર ખુબ જ ખરાબ અસર કરે છે પરિણામે ઊંઘ ના આવવાના કારણે માનસિક અને શારીરિક અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ માટે આપણે એવી કઈ વસ્તુઓ છે જેને રાત્રે ના ખાવી જોઈએ તેના વિષે જણાવીશું.

ફળો ના ખાવા : ફળો ખટ મીઠા અને ગળ્યા હોય છે, જેના કારણે રાત્રીના સમયે ફળ ખાવાથી બ્લડ સુગર લેવલ ને વધારી શકે છે, આ ઉપરાંત આપણી પાચનક્રિયાને ધીમી કરે છે. આ માટે રાત્રીના સમયે ફળો ખાવાના બંધ કરવા જોઈએ.

જંકફૂડ ના ખાવા: આજની યંગ જનરેશનમાં જંકફૂડ ખાવાનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. તેવામાં સોહી વધુ લોકો પીઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં જેવી વસ્તુઓ ખાતા હોય છે. જેને રાત્રે ખાવાથી પચતું નથી અને પેચનક્રિયાને ધીમી કરી દેશે જેથી લાંબા સમય સુધી ખોરાક ના પચવાના કારણે તે ખોરાક સડવા લાગે છે ને તે ચરબીમાં રૂપાંતર થઈ જાય છે.

જેથી મોટાપાની સમસ્યા અને કબજિયાત જેવી પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. માટે રાત્રીના સમયે જંકફૂડ વાળી વસ્તુઓ ઉપરાંત વધારે તળેલું, તીખું, વધારે પડતું ગળ્યું, મેંદા વાળું, ચીજવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

ચા કોફી ના પીવી: ચા અને કોફીમાં કેફીન મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી, કારણકે ચા અને કોફી પીવાથી ઊંઘ ના આવવાની સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પણ કરી શકે છે. માટે ચા કોફી ઉપરાંત દારૂ અને સિગરેટનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ.

ટામેટા ના ખાવા: ટામેટામાં એમિનો એસિડ મળી આવે છે, માટે જયારે ટામેટાને રાત્રીના સમયે ખાવામાં આવે તો બ્રેન એક્ટિવ થઈ જાય છે જેના કારણે ઊંઘ આવતી નથી. આ ઉપરાંત હાર્ટ બર્ન ની સમસ્યા પણ ઉત્પન્ન કરી શકે છે.

રાત્રીના ભોજન માં આ વસ્તુઓ ખાવાની બંધ કરવી જોઈએ, આ ઉપરાંત રાત્રીના ભોજન પછી હમેશા થોડું ચાલવું જોઈએ જેથી આપણી પાચનક્રિયા યોગ્ય કામ કરે પાચનતંત્રની શક્તિમાં વધારો કરે છે. શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવું હોય તો બહારના ખોરાક ખાવાનું સાવ બંધ કરી દેવું જોઈએ અને ધર્ણો શુદ્ધ ખોરાક જ ખાવો જોઈએ. જે લાંબા સમય સુધી તંદુરસ્ત રાખશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *